મુસ્લિમ માતાની સંપત્તિ પર હિન્દુ દીકરીનો હક નથી: કોર્ટ

ગુજરાતની એક કોર્ટ ઉત્તરાધિકારને લઇને મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. આ કેસમાં મુસ્લિમ માતાની હિન્દુ દીકરીઓને સંપત્તિનો અધિકાર મળ્યો નથી. કેસ મહિલાની 3 દીકરીઓએ દાખલ કર્યો હતો, જેમાં તેમણે માગ કરી હતી કે માતાના મોત બાદ સેવાનિવૃત્તિના લાભ તેમને આપવામાં આવે. કોર્ટે કહ્યું કે, કેમ કે મહિલાઓની માતાએ ઇસ્લામ કબૂલ કરી લીધો હતો એટલે તેમના હિન્દુ બાળકો મુસ્લિમ કાયદા અનુસાર તેમના ઉત્તરાધિકારી નહીં હોય શકે. કોર્ટે મહિલાના મુસ્લિમ પુત્રને તેનો પ્રથમ શ્રેણીનો વારસદાર અને યોગ્ય ઉત્તરાધિકારીના રૂપમાં રાખ્યો છે.

રંજન ત્રિપાઠીની પહેલાથી બે દીકરીઓ હતી. વર્ષ 1979માં તે ગર્ભવતી હતી, આ દરમિયાન તેના પતિનું નિધન થઇ ગયું. તેનો પતિ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)માં નોકરી કરતો હતો. પતિના મોત બાદ રંજન ત્રિપાઠીને BSNLમાં અનુકંપાના આધાર પર ક્લાર્કની નોકરી મળી ગઇ. નોકરી મળ્યાના થોડા દિવસ બાદ એક ત્રીજી દીકરીને જન્મ આપ્યો. ત્રણેય દીકરીઓને છોડીને તે મુસ્લિમ વ્યક્તિ સાથે જઇને રહેવા લાગી. મહિલાની ત્રણેય દીકરીઓની દેખરેખ તેના પૈતૃક પરિવારે કરી. વર્ષ 1990માં ત્રણેય દીકરીઓએ પરિત્યાગના આધાર પર રંજન પર ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો અને કેસ જીતી લીધો.

વર્ષ 1995માં રંજને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો અને ત્યારબાદ મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા. રંજને પોતાના સર્વિસ રેકોર્ડમાં પણ પોતાનું નામ બદલીને રેહાના મલેક રાખી લીધું. દંપતીને ત્યારબાદ એક દીકરો થયો. રંજન ઉર્ફે રેહાનાએ સર્વિસ રેકોર્ડમાં પોતાના આ દીકરાને નૉમિની બનાવ્યો. વર્ષ 2009માં રંજનના નિધન બાદ તેની 3 દીકરીઓએ પોતાની માતાની ભવિષ્ય નિધિ, ગ્રેચ્યુટી, વીમો, લીવ એન્કેશમેન્ટ અને અન્ય લાભો પર પોતાનો અધિકાર બતાવતા શહેરની સિવિલ કોર્ટમાં એક કેસ દાખલ કર્યો.

તેમના દાવાને ફગાવતા કોર્ટે કહ્યું કે, જો મૃતક મુસ્લિમ હતી તો તેમનો વર્ગ Iના ઉત્તરાધિકારી હિન્દુ નહીં હોય શકે. કોર્ટે નયના ફિરોઝખાન પઠાણ ઉર્ફ નસિમ ફિરોઝખાન પઠાણ કેસમાં ગુજરાત હાઇ કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપ્યો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે બધા મુસલમાન મોહમ્મદન કાયદા હિસાબે શાસિત હોય છે. ભલે તેઓ ઇસ્લામમાં પરિવર્તિત થઇ ગયા હોય. કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે, હિન્દુ વારસા કાયદા મુજબ પણ દીકરીઓ પોતાની મુસ્લિમ માતાથી કોઇ અધિકાર હાંસલ કરવાનો હકદાર નથી.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.