સફરજન ખાવાથી કેવું જોખમ? રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ શું કહી દીધું? ગાયનો કર્યો ઉલ્લેખ

અન એપલ અ ડે કિપ્સ ધ ડૉક્ટર અવે.., આ વાક્ય તમે કદાચ વારંવાર સાંભળ્યું હશે, કારણ કે સફરજન ફાઇબર, વિટામિન C અને એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે, જે પાચન, રોગપ્રતિકારક શક્તિ અને હૃદયના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. આટલું જ નહીં તે વજન નિયંત્રણ, બ્લડ સુગર મેનેજમેન્ટ, ડાયાબિટીસ અને જૂની બીમારીઓનું જોખમ ઘટાડવામાં મદદરૂપ થાય છે. પરંતુ, સફરજનના બગીચાઓમાં જંતુનાશકોના ઉપયોગથી ચિંતા વધી છે. તાજેતરમાં, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ એક અહેવાલ લખ્યો હતો કે, કાશ્મીરમાં સફરજનના બગીચામાં કામ કરનારા લોકો દ્વારા દિવસમાં ઘણી વખત સતત રાસાયણિક છંટકાવ કરવાથી ટ્યૂમર વધી રહી છે. શ્રીનગરના આ અહેવાલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ ચોંકાવી દીધા છે.

US Tariff Threat
jagran.com

આચાર્ય દેવવ્રતે ફેસબુક પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ શેર કરતા લખ્યું કે, ‘એક સફરજન રોજ સ્વાસ્થ્ય માટે, પરંતુ શું અખરેખર સાચું છે?’ તાજેતરમાં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત અહેવાલમાં કાશ્મીરના સફરજનના બગીચાઓમાં વધુ પડતા જંતુનાશકોના ઉપયોગના વિનાશક પરિણામોનો પર્દાફાશ કર્યો છે. આ સમાચાર આપણા બધા માટે એક ગંભીર ચેતવણી છે. અ અહેવાલમાં જણાવાયું છે કે રસાયણોના સતત સંપર્કમાં રહેવાથી ખેડૂતો અને શ્રમિકોમાં ટ્યૂમરના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે.

આચાર્ય દેવવ્રતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘વધુ પડતા જંતુનાશકોના ઉપયોગથી ન માત્ર ફળો ઝેરી થઈ રહ્યા, પરંતુ માનવ રક્તમાં રાસાયણિક અવશેષ ભળી રહ્યા છે, જેના કારણે સ્થૂળતા, કિડનીને નુકસાન અને ચયાપચયની સમસ્યાઓ થાય છે. આ ઘાતક પરિણામોથી બચવાનો એકમાત્ર સુરક્ષિ રસ્તો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી છે. પ્રાકૃતિક ખેતી ન માત્ર આપણી ધરતી માતા અને પર્યાવરણને બચાવે છે, પરંતુ ખેડૂતોને ઝેરી રસાયણોના સંપર્કમાં આવવાથી પણ બચાવે છે. તે ગ્રાહકોને શુદ્ધ, પૌષ્ટિક અને રાસાયણિક મુક્ત આહાર સુનિશ્ચિત કરે છે. તે ખેતીનો ખર્ચ ઘટાડીને ખેડૂતોની આવકમાં વધારો કરે છે.

apple tree
facebook.com/acharydevvrat

ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લખ્યું છે કે, આજે સમયની માંગ છે કે આપણે રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ ફરીએ. સ્વસ્થ નાગરિક જ સ્વસ્થ અને સક્ષમ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. ચાલો આપણે ઝેરમુક્ત ખેતી અને રોગમુક્ત ભારત માટેના આ મહાન અભિયાનનો ભાગ બનીએ. ઉલ્લેખનીય છે કે આચાર્ય દેવવ્રત, જે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલની વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે, તેઓ મૂળ હરિયાણાના રહેવાસી છે. રાજ્યપાલ બનતા પહેલા, તેઓ કુરુક્ષેત્રમાં એક ગુરુકુળના આચાર્ય હતા. તાજેતરના વર્ષોમાં આચાર્ય દેવવ્રત ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમણે ગુજરાતના હજારો ખેડૂતોને કુદરતી ખેતી સાથે જોડ્યા છે. હવે, તેમણે જંતુનાશકોના ઉપયોગને કારણે સફરજનના ઉત્પાદનમાં ઘટાડો અને સફરજન ઉગાડનારાઓના સ્વાસ્થ્ય પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.

About The Author

Related Posts

Top News

અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. અજિત પવાર સાથે સવાર 5 લોકોએ...
National 
અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

સુપ્રીમ કોર્ટ આજે UGC કેસની સુનાવણી કરવાની છે, ત્યારે તમિલનાડુના CM સ્ટાલિને UGCના નિયમોને ટેકો આપ્યો છે. તેમણે...
National 
તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના...
Gujarat 
AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

કોણ કહી રહ્યું છે શિંદે-BJPથી અલગ થવાના હતા અજિત પવાર, આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે?

મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારે બુધવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. તેમના અકાળ અવસાનથી મહારાષ્ટ્રના સમગ્ર રાજનીતિ હચમચી ગઇ છે....
Politics 
કોણ કહી રહ્યું છે શિંદે-BJPથી અલગ થવાના હતા અજિત પવાર, આ દાવો કેમ કરવામાં આવી રહ્યો છે?

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.