ગુજરાતમાં માતા-પિતાની મંજૂરી વિના લવ મેરેજ નહીં થાય? CM પટેલે કહી મોટી વાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, તેમની સરકાર એ વાતનો અભ્યાસ કરશે કે શું લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાનું પ્રાવધાન સંવૈધાનિક સીમામાં રહીને કરી શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટિપ્પણી પાટીદાર સમુદાયના કેટલાક પક્ષો દ્વારા લવ મેરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાની માગના જવાબમાં કરી હતી.

મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજના પ્રતિનિધિત્વ કરનારા સરદાર પટેલ ગ્રુપ દ્વારા રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેમને લગ્ન માટે છોકરીઓને ભગાવવાની ઘટનાઓનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું છે જેથી એવી વ્યવસ્થા બનાવી શકાય, જેમાં (લવ મરેજ માટે) માતા-પિતાની મંજૂરી અનિવાર્ય હોય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, (ઋષિકેશ પટેલે) મને છોકરીઓને ભગાવવાની ઘટનાઓનો અભ્યાસ કરાવવા કહ્યું છે, જેથી એ જોઇ શકાય કે શું (લવ મરેજ માટે) માતા-પિતાની સહમતીને અનિવાર્ય બનાવી શકાય છે? જો સંવિધાન સમર્થન કરે છે તો અમે આ સંબંધમાં અભ્યાસ કરીશું અને તેના માટે સર્વોત્તમ વ્યવસ્થા લાગૂ કરવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ કહ્યું કે જો સરકાર વિધાનસભામાં આ સંબંધમાં બિલ લઇને આવે છે તેઓ તેનું સમર્થન કરશે.

તેમણે કહ્યું કે, ‘એવો સમય જેમાં લવ મરેજ દરમિયાન માતા-પિતાને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. સરકાર લવ મેરેજ માટે વિશેષ પ્રવધાન કરવા પર વિચાર કરી રહી છે જે સંવૈધાનિક હોય. મુખ્યમંત્રીએ ભરોસો અપાવ્યો છે કે લવ મરેજ માટે માતા-પિતાની મંજૂરીને અનિવાર્ય બનાવવાને લઇને અભ્યાસ કરાવવામાં આવશે. જો રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં એવું કોઇ બિલ લાઇને આવે છે તો હું તેનું સમર્થન કરીશ.

ગુજરાત સરકારે વર્ષ 2021માં ગુજરાત ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમમાં સંશોધન કર્યું હતું અને લગ્ન માટે બળજબરી કે ખોટી રીતે ધર્માંતણને દંડનીય ગુનો બનાવ્યો હતો. સંશોધિત અધિનિયમ હેઠળ દોષીઓને 10 વર્ષની જેલની સજા આપવાનું પ્રવધાન કર્યું હતું. જો કે ત્યારબાદ ગુજરાત હાઇ કોર્ટે અધિનિયમની વિવાદિત કલમોનના અમલ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો અને કેસ સુપ્રીમ કોર્ટમાં વિચારાધીન છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.