નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગડી શકે: સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં નવરાત્રિ પહેલાં હવામાન વિભાગે ખેલૈયાઓ માટે ચિંતાજનક આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને 23 સપ્ટેમ્બરથી બંગાળની ખાડી અને અરબ સાગરમાં સર્જાનાર સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યમાં ભારે વરસાદી માહોલ બની શકે છે. જો આગાહી સાચી સાબિત થશે તો નવરાત્રિના રંગમાં વરસાદ ભંગ પાડી શકે છે અને ખેલૈયાઓને છત્રી-રેઈનકોટ સાથે ગરબા રમવાની ફરજ પડી શકે છે.

Navratri
deshgujarat.com

1થી 7 સપ્ટેમ્બર: ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદ વધશે એવી આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

3 સપ્ટેમ્બરથી ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે 3 સપ્ટેમ્બરથી ભારે વરસાદ શરૂ થઈ શકે છે. અપર એર સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને બંગાળની ખાડીમાં સક્રિય થનારી લો પ્રેશર સિસ્ટમને કારણે આ પરિસ્થિતિ સર્જાશે. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Navratri
english.gujaratsamachar.com

આજે સવારના 6થી 12 વાગ્યા દરમિયાન રાજ્યના 43 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દાહોદના ઝાલોદમાં સૌથી વધુ 1.34 ઈંચ જ્યારે વલસાડના વાપીમાં સૌથી ઓછો 1 મિમી વરસાદ પડ્યો છે. હજી સુધી ગુજરાતમાં કુલ સરેરાશ 32 ઈંચ વરસાદ થઈ ચૂક્યો છે.

સપ્ટેમ્બરમાં 109% વરસાદની શક્યતા

IMD મુજબ, સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. 2 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં નવી લો-પ્રેશર સિસ્ટમ વિકસવાની શક્યતા છે, જેના કારણે શરૂઆતના દિવસોમાં વરસાદી માહોલ રહેશે. 8થી 22 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ ઘટી જશે, પરંતુ 23થી 30 સપ્ટેમ્બર દરમિયાન ફરી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

નવરાત્રિમાં વરસાદી માહોલ

આ વર્ષે નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. જો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદ વરસશે તો ખેલૈયાઓની મજા બગડી શકે છે. તેથી ખેલૈયાઓએ વરસાદને ધ્યાનમાં રાખીને તૈયારી સાથે ગરબા રમવા જવું પડશે.

 

 

About The Author

Related Posts

Top News

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.