ICAI સુરત બ્રાંચ (WIRC) દ્વારા ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ 2025- 'સામર્થ્ય' સુરતમાં

ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) ના WIRC ની સુરત બ્રાંચ દ્વારા 14 અને 15 જૂન 2025ના રોજ સુરતના લિ મેરિડીયન હોટેલ ખાતે ભવ્ય ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ 2025 – "સામર્થ્ય"નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ બે દિવસીય ફ્લેગશિપ કાર્યક્રમમાં દેશભરના 1,400 કરતાં વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હાજરી આપશે, જ્યાં તેઓ વ્યવસાય સાથે જોડાયેલી નવીન પ્રવૃત્તિઓ, વિકસતી નીતિઓ અને ભાવિ તકો પર ચર્ચા કરશે.

33

કોન્ફરન્સનો ઉદ્દેશ આવકવેરા, કોર્પોરેટ ટેક્સ અને જીએસટી કાયદાઓમાં થયેલા તાજેતરના સુધારાઓ અંગે અગત્યની માહિતી પૂરી પાડવાનો છે, તેમજ એકાઉન્ટિંગ ક્ષેત્રમાં AI ની વધતી ભૂમિકા, આંતરરાષ્ટ્રીય તકો, મૂડીબજાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને સમજવાનો પણ છે.

કોન્ફરન્સ અંગે માહિતી આપતાં ICAI સુરત બ્રાંચના અધ્યક્ષ સીએ અશ્વિન ભાઉવાલાએ જણાવ્યું હતું; "માત્ર યોગ્ય જાણકારી હોવી જ પૂરતું નથી, પરંતુ સમયસર અપડેટ રહેવું એટલું જ અગત્યનું છે. આ નેશનલ કોન્ફરન્સ દ્વારા બદલાવ અને વ્યવસાયને આકાર આપતી તકો અંગે Chartered Accountants ને વધુ સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

32

આ કાર્યક્રમમાં મુખ્ય પ્રવચનો અને ટેક્નિકલ સત્રોનો મિશ્રણ હશે, જે સહભાગીઓ માટે શીખવા તથા નેટવર્કિંગ માટે અનોખો અવસર ઊભો કરશે- ખાસ કરીને તેટલા માટે જે વૈશ્વિક સ્તરે વિસ્તરણની તૈયારીમાં છે.

35

કાર્યક્રમમાં ICAIના અધ્યક્ષ સીએ ચરણજોતસિંહ નંદા, ઉપાધ્યક્ષ સીએ પપ્રસન્નાકુમાર ડી., CCM સીએ જય છૈરા, CCM સીએ ઉમેશ શર્મા, અને CCM સીએ સંજીબ સાંઘી જેવી વિખ્યાત હસ્તીઓ હાજરી આપશે.

34

મોટિવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન તેમના પ્રેરણાદાયી વિચારો સાથે ઉપસ્થિતોને સંબોધન કરશે. સાથે સાથે ડૉ. વિજય કેડિયા, સીએ આંચલ કપૂર, ડૉ. રાકેશ ગુપ્તા અને દિવાસ ગુપ્તા પણ તેમના અનુભવો અને વિશ્લેષણો શેર કરશે.

 

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.