ICAI સુરત બ્રાંચ (WIRC) દ્વારા ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ 2025- 'સામર્થ્ય' સુરતમાં

ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સંસ્થા (ICAI) ના WIRC ની સુરત બ્રાંચ દ્વારા 14 અને 15 જૂન 2025ના રોજ સુરતના લિ મેરિડીયન હોટેલ ખાતે ભવ્ય ઓલ ઇન્ડિયા નેશનલ કોન્ફરન્સ 2025 – "સામર્થ્ય"નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ બે દિવસીય ફ્લેગશિપ કાર્યક્રમમાં દેશભરના 1,400 કરતાં વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હાજરી આપશે, જ્યાં તેઓ વ્યવસાય સાથે જોડાયેલી નવીન પ્રવૃત્તિઓ, વિકસતી નીતિઓ અને ભાવિ તકો પર ચર્ચા કરશે.

33

કોન્ફરન્સનો ઉદ્દેશ આવકવેરા, કોર્પોરેટ ટેક્સ અને જીએસટી કાયદાઓમાં થયેલા તાજેતરના સુધારાઓ અંગે અગત્યની માહિતી પૂરી પાડવાનો છે, તેમજ એકાઉન્ટિંગ ક્ષેત્રમાં AI ની વધતી ભૂમિકા, આંતરરાષ્ટ્રીય તકો, મૂડીબજાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતાને સમજવાનો પણ છે.

કોન્ફરન્સ અંગે માહિતી આપતાં ICAI સુરત બ્રાંચના અધ્યક્ષ સીએ અશ્વિન ભાઉવાલાએ જણાવ્યું હતું; "માત્ર યોગ્ય જાણકારી હોવી જ પૂરતું નથી, પરંતુ સમયસર અપડેટ રહેવું એટલું જ અગત્યનું છે. આ નેશનલ કોન્ફરન્સ દ્વારા બદલાવ અને વ્યવસાયને આકાર આપતી તકો અંગે Chartered Accountants ને વધુ સજ્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

32

આ કાર્યક્રમમાં મુખ્ય પ્રવચનો અને ટેક્નિકલ સત્રોનો મિશ્રણ હશે, જે સહભાગીઓ માટે શીખવા તથા નેટવર્કિંગ માટે અનોખો અવસર ઊભો કરશે- ખાસ કરીને તેટલા માટે જે વૈશ્વિક સ્તરે વિસ્તરણની તૈયારીમાં છે.

35

કાર્યક્રમમાં ICAIના અધ્યક્ષ સીએ ચરણજોતસિંહ નંદા, ઉપાધ્યક્ષ સીએ પપ્રસન્નાકુમાર ડી., CCM સીએ જય છૈરા, CCM સીએ ઉમેશ શર્મા, અને CCM સીએ સંજીબ સાંઘી જેવી વિખ્યાત હસ્તીઓ હાજરી આપશે.

34

મોટિવેશનલ સ્પીકર હર્ષવર્ધન જૈન તેમના પ્રેરણાદાયી વિચારો સાથે ઉપસ્થિતોને સંબોધન કરશે. સાથે સાથે ડૉ. વિજય કેડિયા, સીએ આંચલ કપૂર, ડૉ. રાકેશ ગુપ્તા અને દિવાસ ગુપ્તા પણ તેમના અનુભવો અને વિશ્લેષણો શેર કરશે.

 

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.