ગુજરાતમાં PM મોદી બોલ્યા- તેમને મુસ્લિમ મહિલાઓની ચિંતા નથી અમે...

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે અમદાવાદમાં આયોજિત ‘નારી વંદન અભિનંદન’ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. PM મોદીએ આ કાર્યક્રમમાં મહિલાઓને પાનો ચઢાવતા કહ્યુ હતું કે આવનારા દિવસોમાં જ્યારે મહિલાઓ આગળ વધશે ત્યારે દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકશે. તેઓ તાજેતરના 33 ટકા મહિલા આરક્ષિત બિલના અનુસંધાનમાં બોલી રહ્યા હતા. સાથે સાથે તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું હતું.

PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું- જ્યારે અમે મુસ્લિમ મહિલાઓને ટ્રીપલ તલાકથી મુક્તિ અપાવવાની વાત કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષા દળોને પોતાના રાજકીય સમીકરણોની ચિંતા હતી. તેમને મુસ્લિમ મહિલાઓના અધિકારોની ચિંતા નહોતી. તેમને ફક્ત પોતાના વોટ બેંકની ચિંતા હતી, જ્યારે ટ્રીપલ તલાક સામે કાયદો લાવવામાં આવ્યો, ત્યારે તેઓ મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે કેમ ઉભા ન રહ્યા.

સંસદમાં નારી વંદન બિલ પસાર થયા પછી ગુજરાત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યુ કે, પહેલાં તેમણે દશકો સુધી મહિલા આરક્ષણ બિલ લટકાવી રાખ્યું. આ વખતે તેમને ખબર પડી ગઇ હતી કે સરકાર પાછળ હટવાની નથી એટલે સંસદમાં કિંતુ, પરંતુની સાથે બિલને સમર્થન આપ્યું.

અમદાવાદ એરપોર્ટ પાસે આયોજિત મહિલા અભિવાદન કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે તમારી તાકાત છે કે તેમને સમર્થન આપવા માટે મજબૂર કરવામાં આવ્યા. PM મોદીએ કોંગ્રેસનું નામ ન લીધું પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી આગામી ચૂંટણીમાં આ ઉપલબ્ધિનો ફાયદો ઉઠાવશે. PMમોદી ને કહા બિલ કા સોમહાર્ત તો કિયા પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિનો ઉલ્લેખ કરીને કરી હતી. PM મોદીએ કહ્યું કે તેઓ બિલને સમર્થન આપે છે પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિને નમન કરીને કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારી વંદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ મહિલાઓને કહ્યુ કે, તમે મને દિલ્હી મોકલ્યો, પરંતુ ગુજરાતના અનુભવોમાંથી જે શિખ્યો તે પ્રમાણે દેશ માટે નિર્ણયો લીધા. પ્રધાનમંત્રીએ કહ્યુ કે એ તમારી તાકાત છે, તમારા આર્શીવાદ છે, જેણે મને નિર્ણયો લેવાની તાકાત આપી.

એ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહિલા આરક્ષણ બિલને ઐતિહાસિક બિલ તરીકે લેખાવ્યું હતું. દરેક સાંસદે બિલને સમર્થન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બિલને કારણે મહિલાઓને ફાયદો થશે.

નવા સાંસદ ભવનના કામકાજના શરૂઆતના પહેલાં જ દિવસે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું હતું, જો કે તેનો અમલ 2029 સુધીમાં થશે

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.