ગુજરાતમાં PM મોદી બોલ્યા- તેમને મુસ્લિમ મહિલાઓની ચિંતા નથી અમે...

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે અમદાવાદમાં આયોજિત ‘નારી વંદન અભિનંદન’ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. PM મોદીએ આ કાર્યક્રમમાં મહિલાઓને પાનો ચઢાવતા કહ્યુ હતું કે આવનારા દિવસોમાં જ્યારે મહિલાઓ આગળ વધશે ત્યારે દેશને આગળ વધતા કોઇ નહીં રોકી શકશે. તેઓ તાજેતરના 33 ટકા મહિલા આરક્ષિત બિલના અનુસંધાનમાં બોલી રહ્યા હતા. સાથે સાથે તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું હતું.

PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું- જ્યારે અમે મુસ્લિમ મહિલાઓને ટ્રીપલ તલાકથી મુક્તિ અપાવવાની વાત કરી રહ્યા હતા, ત્યારે વિપક્ષા દળોને પોતાના રાજકીય સમીકરણોની ચિંતા હતી. તેમને મુસ્લિમ મહિલાઓના અધિકારોની ચિંતા નહોતી. તેમને ફક્ત પોતાના વોટ બેંકની ચિંતા હતી, જ્યારે ટ્રીપલ તલાક સામે કાયદો લાવવામાં આવ્યો, ત્યારે તેઓ મુસ્લિમ મહિલાઓના અધિકારો માટે કેમ ઉભા ન રહ્યા.

સંસદમાં નારી વંદન બિલ પસાર થયા પછી ગુજરાત આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. PM મોદીએ કહ્યુ કે, પહેલાં તેમણે દશકો સુધી મહિલા આરક્ષણ બિલ લટકાવી રાખ્યું. આ વખતે તેમને ખબર પડી ગઇ હતી કે સરકાર પાછળ હટવાની નથી એટલે સંસદમાં કિંતુ, પરંતુની સાથે બિલને સમર્થન આપ્યું.

અમદાવાદ એરપોર્ટ પાસે આયોજિત મહિલા અભિવાદન કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે તમારી તાકાત છે કે તેમને સમર્થન આપવા માટે મજબૂર કરવામાં આવ્યા. PM મોદીએ કોંગ્રેસનું નામ ન લીધું પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી આગામી ચૂંટણીમાં આ ઉપલબ્ધિનો ફાયદો ઉઠાવશે. PMમોદી ને કહા બિલ કા સોમહાર્ત તો કિયા પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિનો ઉલ્લેખ કરીને કરી હતી. PM મોદીએ કહ્યું કે તેઓ બિલને સમર્થન આપે છે પરંતુ તેમણે તેને વર્ગોમાં વહેંચવાનો પ્રયાસ કર્યો. PM મોદીએ પોતાના ભાષણની શરૂઆત માતૃભૂમિ અને માતૃશક્તિને નમન કરીને કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારી વંદન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરેલી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ મહિલાઓને કહ્યુ કે, તમે મને દિલ્હી મોકલ્યો, પરંતુ ગુજરાતના અનુભવોમાંથી જે શિખ્યો તે પ્રમાણે દેશ માટે નિર્ણયો લીધા. પ્રધાનમંત્રીએ કહ્યુ કે એ તમારી તાકાત છે, તમારા આર્શીવાદ છે, જેણે મને નિર્ણયો લેવાની તાકાત આપી.

એ પહેલાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મહિલા આરક્ષણ બિલને ઐતિહાસિક બિલ તરીકે લેખાવ્યું હતું. દરેક સાંસદે બિલને સમર્થન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આ બિલને કારણે મહિલાઓને ફાયદો થશે.

નવા સાંસદ ભવનના કામકાજના શરૂઆતના પહેલાં જ દિવસે મહિલા આરક્ષણ બિલ લાવવામાં આવ્યું હતું, જો કે તેનો અમલ 2029 સુધીમાં થશે

Related Posts

Top News

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
Opinion 
જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી

'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

26 માર્ચ 2025ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં અલ્હાબાદ હાઈકોર્ટના તે વિવાદાસ્પદ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં...
National 
'બ્રેસ્ટ પકડવું રેપ નથી...' અલ્હાબાદ HCની ટિપ્પણી પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક

બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

દેશના ખૂણે ખૂણે લોકો હવે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરી રહ્યા છે. જો તમે પણ ATMમાંથી પૈસા...
Business 
બીજી બેંકના ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે, RBIએ કહ્યું- દરેક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલાશે

તમિલનાડુમાં 2026માં એનડીએ સરકાર: 'દારૂની બેફામ રેલમછેલ' અને 'ભ્રષ્ટાચારની આંધી' પર લગામની આશા

તમિલનાડુમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (એનડીએ)ના નેતૃત્વમાં 2026માં સરકાર રચાવાની સંભાવનાને લઈને એક નિવેદને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે....
Politics 
તમિલનાડુમાં 2026માં એનડીએ સરકાર: 'દારૂની બેફામ રેલમછેલ' અને 'ભ્રષ્ટાચારની આંધી' પર લગામની આશા

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.