રાજકોટ હનુમાન ચાલીસા કથામાં છકડોચાલક રોજ ભક્તોને પીવડાવે છે 250 લીટર દૂધની ચા

રાજકોટના રેસકોર્સ મેદાનમાં ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથામાં વ્યાસપીઠ પરથી રોજ હજારો લોકોને સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે કથાના પાંચમા દિવસે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો કથા સાંભળવા માટે ઉમટી પડ્યા હતા. જે દરમિયાન આ પાંચ દિવસોમાં આશરે 80 હજારથી વધુ લોકોએ આ કથા સાંભળી છે. જો કે, કેટલાક લોકો નિઃસ્વાર્થ ભાવે આ કથામાં સેવા પણ આપી રહ્યા છે. જેમાના એક છે પાચાભાઈ ભરવાડ કે જેઓ છકડો રિક્ષાના ચાલક છે. જેઓ દરરોજ 200થી 250 લિટર દૂધની ચા નિઃસ્વાર્થ ભાવે કથામાં આવતા હજારો લોકોને પીવડાવે છે અને તેમની સેવાને વ્યાસપીઠ પરથી ખુદ હરિપ્રકાશદાસ સ્વામીએ બિરદાવી હતી. સ્વામીને પાચાભાઈએ કહ્યું હતું કે, પત્નીના દાગીના, છકડો રિક્ષા વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ.

પાચાભાઈની સેવાની પ્રસંશા કરતાં વ્યાસપીઠ પરથી સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, 'અહીં એક ભરવાડ બાપા આવ્યા છે, તેઓ દરરોજ બધાને ચા પીવડાવે છે.' આ સાથે જ તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, તેમની પાસે કંઈ નથી, તેઓ છકડો રિક્ષા ચલાવે છે. આ સાથે જ સ્વામીએ કહ્યું કે, પાચાભાઈએ એવું કહ્યું હતું કે મારા ઘરવાળાના દાગીના અને છકડો વેચી દઈશ, બાકી ચા તો હું જ પીવડાવીશ. જો કે, કથા શરૂ થઈ એ પહેલાં તેમને અન્ય લોકોએ એવું કહ્યું હતું કે, અમે દૂધ અને ચા-ખાંડ આપીશું જે બાબતે પચાભાઈએ તો તરત જ કહ્યું કે તો નથી પીવડાવી, ચા તો જ પીવડાવીશ જો બધું જ મારું હોય. ખાલી મને જગ્યા આપો. ગેસ, ચા-ખાંડ, તપેલાં અને માણસો પણ મારા અને પીવડાવીશ પણ હું.

પાચાભાઈએ જણાવ્યું કે, હું હનુમાન દાદા પર શ્રદ્ધા ધરાવું છું. દાદાએ મને અહીં મોકલ્યો છે. તું સેવા કરવા જા એવું દાદાએ મને કહ્યું, તારી સેવા થઈ જશે. આથી સેવા આપવા માટે હું અહીં આવ્યો છું. 200થી 250 લિટર દૂધ અહીં રોજ આવે છે, જેમાં સાથે ચા-ખાંડ પણ અમે લાવીએ છે. આપણા પર ભગવાનની કૃપા થઈ ગઈ છે અને સ્વામીજી પણ રાજી થઈ ગયા. જેથી અમે પણ આજે રાજી થઈ ગયા. મારું ગુજરાન હું રિક્ષા ચલાવીને ચલાવું છું. દાદાનું નામ લઈને હું સેવા કરી રહ્યો છું. એમાં મને દાદા પણ સાથ આપી રહ્યા છે.

ભાવિક હીરાભાઈ જોગરાણિયાએ જણાવ્યું હતું કે, એ અમારા માટે ગૌરવની વાત છે કે આ કથા સ્થળ પર અમને જે જગ્યા આપવામાં આવી છે ત્યાં અમને સેવાનો લાભ મળ્યો છે. મારે કંઈક અહીં કરવું છે તેવું અમારા પાચાભાઈને થયું અને અહીં સેવા આપવા માટે તેમણે સ્વામીજીને રજૂઆત કરી અને એ લોકોએ સ્વીકારી લીધું. આમા અમારા પાચાભાઈની સાચી મહેનત છે. માણસ નાનો છે, પણ તેનું દિલ મોટું છે. વ્યાસપીઠ પરથી સ્વામીજીએ કાલે જ તેમનું સન્માન કર્યું છે. એટલે આ ગૌરવની વાત છે અમારા પરિવાર અને સમાજ માટે. હનુમાન દાદા અને દ્વારકાધીશ ભગવાન અમને આવી જ સેવા કરવાની શક્તિ આપે એવી અમે પ્રાર્થના કરી છે.

સ્‍વામીજીનું હૃદય પાચાભાઇની સેવાભાવના જોઈને ગદગદિત થઈ ગયું હતું. આ સાથે જ સ્વામીજીએ કહ્યું કે, માત્ર પૈસા જ મહત્ત્વના નથી સેવા કરવા માટે, વ્‍યક્‍તિનો ભાવ પણ ઉત્તમ હોવો જોઈએ અને આપણી સામે એનું જીવતું ઉદાહરણ રાજકોટના સામાન્ય પરિવારના આ વૃદ્ધ રિક્ષાચાલક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો ચોથા દિવસે ભવ્‍ય અન્‍નકૂટ દર્શન યોજાયો હતો, જેમાં પોતાના ઘરે બનાવેલી વાનગીઓ ધરાવીને હરિભક્તો તેમજ શ્રાવકોએ આ ભવ્‍ય અન્નકૂટ ભગવાનને ધરાવ્યો હતો. જ્યારે શનિવારના રોજ કથાના પાંચમા દિવસે સાંજે ભવ્‍ય હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવી હતી.

શું-શું ધરાવાયું અન્નકૂટમાં

2000થી વધુ બનાવેલી વાનગીનો ભોગ ધરાવાયો

પ્રસાદીમાં 100થી વધુ ફ્રૂટ્સ ધરાવાયા

1500થી વધુ મીઠાઇનો ભોગ ધરાવાયો

અન્નકૂટ મહોત્સવમાં 2500થી વધુ વાનગી ધરાવાઈ

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.