વાહવાહી માટે પહેલા પાણી રોક્યુ પછી છોડ્યું એટલે પૂર આવ્યા, ઇસુદાનનો BJP પર હુમલો

ગુજરાતમાં ભારે વરસાદને કારણે 5 જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને લોકોની હાલત દયાજનક બની છે. ઠેર ઠેર સ્થળાંતરના કામ ચાલી રહ્યા છે અને જનજવન ખોરવાઇ ગયું છે. આ દરમિયાન રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ એક વીડિયો જારી કરીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે અને આરોપ પણ લગાવ્યા છે. ગઢવીએ કહ્યુ કે, પહેલાં વાહ વાહી લૂંટવા માટે નર્મદા ડેમમાં પાણી ભેગું કરી રાખ્યું. પછી ખબર પડી કે આ તો વધારે પાણી છે એટલે નર્મદા ડેમમાંથી પાણી છોડવા માંડ્યું જેને કારણે આજે ગુજરાતમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે.

આમ આદમી પાર્ટીના નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ગઢવી હિંદી ભાષામાં બોલી રહ્યા છે.ઇસુદાને કહ્યું કે, પહેલા વાહવાહી લૂંટવા માટે સરકારે પાણી નર્મદા ડેમમાં એકઠું થવા દીધું અને પછી છોડ્યું એમાં રાજ્યમાં પૂર આવ્યું છે. ગઢવીએ કહ્યુ કે, લોકોના મનમાં હવે સવાલ આવી રહ્યો છે કે, આ કુદરતી આફત છે કે માનવ સર્જિત?

ઇસુદાને કહ્યુ કે, આમ આદમી પાર્ટીના કાર્યકરો લોકોની મદદે દરેક જિલ્લામાં પહોંચી ગયા છે. તેમણે કહ્યુ કે, મારે વહીવટી તંત્રને કહેવું છે કે, માત્ર સ્થળાંતર કરવું પુરતુ નથી., એ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરવી એટલી જ જરૂરી છે.

ઇસુદાને કહ્યું કે ગુજરાતમાં એટલો વરસાદ પણ નથી પડ્યો કે પૂર આવી જાય. ભાજપના નેતાઓએ પણ બીજી વખત વાહી વાહી લૂંટતા પહેલાં એ જાણી લેવું જોઇએ કે આને કારણે લોકોને કેટલી મુશ્કેલી પડશે.

રાજકારણને સાઇડ પર રાખીએ તો એક વાત તો છે જ કે લોકોની હાલત ભારે કફોડી બની છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠા વિસ્તારના 7 જિલ્લામાં પૂરના પાણી ફરી વળ્યા છે. નર્મદાના નજીકના વિસ્તારોમાં ખાસ કરીને અંકલેશ્વર, ભરૂચ, ચાણોદ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે અને તે પણ 5થી 6 ફુટ જેટલા. નર્મદાની જળ સપાટી વધતા ગોલ્ડન બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. કેટલાંક વિસ્તારોમાં તો લોકોના ઘરમાં 10 ફુટ જેટલા પાણી ફરી વળ્યા છે અને NDRFની ટીમ સતત બચાવકાર્યમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 100થી વધારે લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.