સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું

થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ ગ્રુપ તરીકે ઓળખાતી હતી. આ મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર પર અચાનક ઇન્કમટેક્સની ડીડીઆઇ વિંગે સૂરતમાં દરોડો પાડતા સોપો પડી ગયો છે. સરકારે અગાઉ આ ગેંગના સાગરિતોને શાંત કરી દીધા હતા. જોકે, સવાલો ઊભા થઇ રહ્યા છે કે શું મહાકાલ ગેંગનું હજુ પણ અસ્તિત્વ છે કે પછી તેની ઉપર આ છેલ્લો ઘા છે. શું તમામ સભ્યોને હવે નેસ્તાનબૂદ કરી દેવાશે.

સૂરતમાં જમીનોના ભાવો આસમાને જતા સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ 5 વર્ષ પહેલા 30 લોકોની એક ગેંગ બનાવી હતી. દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવાયું હતું કે આ ગેંગમાં 10 ભૂમાફિયા, 4 પત્રકાર, 2 ગેંગસ્ટર ઉપરાંત રાજકારણીઓ, વકીલ અને સીએ પણ જોડાયેલા હતા. આ ગેંગનો સૂરતમાં મોટો ત્રાસ ઊભો થયો હતો. ઉદ્યોગપતિઓ ત્રાહિમામ થઇ ગયા હતા. ત્યારે આખી વાત છેક વડાપ્રધાન સુધી પહોંચી હતી. ત્યારબાદ પગલા લેવાયા હતા. જોકે, ગેંગ તો સમય જતા વિખેરાઇ ગઇ પરંતુ કેટલાક લોકો વ્યક્તિગત ધોરણે કામ કરતા હતા. તેમને ઉપરથી સપોર્ટ પણ મળતો હતો. કહેવાય છે કે આ ગેંગેના કેટલાક સાગરિતોએ ફરી માથું ઉચકવાનો પ્રયાસ કર્યો. મુખ્ય સાગરિતે 6 તો લકઝરી કારો ખરીદી હતી. આઇટીના દરોડામાં લગભગ 1.3 કરોડની કેશ અને કારો ઉપરાંત ઘણા દસ્તાવેજો જપ્ત કરાયા છે. બુધવારે સવારથી જ આઇટીની ટીમે જુદી જુદી જગ્યાઓએ દરોડા પાડ્યા હતા. આ દરોડા પછી મહાકાલ ગ્રુપના બીજા સાગરિતોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. ધીરે ધીરે તેમના વિશે ઘણી બધી માહિતીઓ બહાર આવી રહી છે. તેમના કૌભાંડો વિશેની માહિતી આગામી સમયમાં વધુમાં વધુ બહાર આવી રહી છે.

 

About The Author

Related Posts

Top News

લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

આવકવેરા વિભાગની ડીડીઆઇ વિંગે બુધવારે સુરતના જાણીતી લક્ષ્મી ડાયમંડ કંપની અને ગજેરા ગ્રુપના ગુજરાતભરના સ્થળોએ સાગમટે દરોડા પાડ્યા હતા. જેને...
Gujarat 
 લક્ષ્મી ડાયમંડના ગુજરાતભરના સ્થળો પર ઇન્કમ ટેક્સના દરોડા

સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર IT ત્રાટક્યું

થોડા વર્ષો અગાઉ સૂરતની જાહેજલાલી જોઇને સૌરાષ્ટ્રના એક મોટા નેતાએ લેન્ડ માફિયાઓને ભેગા કરી એક ગેંગ બનાવી હતી જે મહાકાલ...
Gujarat 
સૌરાષ્ટ્રના મોટા નેતાએ ઊભા કરેલા લેન્ડ માફિયાઓના મહાકાલ ગ્રુપના સૂત્રધાર પર  IT ત્રાટક્યું

કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

કોંગ્રેસ અને શશિ થરૂર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું બરાબર ચાલી રહ્યું નથી. થરૂર અને પાર્ટી હાઇકમાન્ડ વચ્ચે દૂરીઓ વધી...
Politics 
કોંગ્રેસથી દૂરી બનાવી રહ્યા છે શશિ થરૂર? બજેટ સત્રની બેઠકમાં ફરી ગેરહાજર રહ્યા...

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.