વકીલ શ્રેયસ દેસાઇ અને ડો. ઇરમલા દયાલ દ્વારા લખાયેલા પુસ્તકનું લોકાર્પણ

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજ સુરત દ્વારા Contemporary Judicial Pronouncements with Reference to Consumer Law વિષય પર વકીલ શ્રેયસ દેસાઇ અને કોલેજના ઇન્ચાર્જ આચાર્યા ડો. ઇરમલા દયાલ દ્વારા લખવામાં આવેલ પુસ્તકનું લોકાર્પણ સુરત ખાતે કરાયું હતું.

અતિથિ વિશેષ તરીકે મેયર હેમાલી બોઘાવાલા હાજર રહી પુસ્તક વિમોચન માટે અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ન્યાયાધીશ વિષ્ણુકુમાર પટેલ (પ્રેસીડન્ટ, ગુજરાત રાજ્ય ડીસ્પ્યુટ રીડ્રેસલ કમિશન) મુખ્ય મહેનાન તરીકે હાજર રહ્યા હતા. ન્યાયાધીશ પી.પી. મેખિયા (પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, સુરત) ન્યાયાધીશ એ.એમ.દવે (ભુતપુર્વ પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, સુરત) ન્યાયાધીશ બી.જી.દવે (પ્રમુખ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન, વલસાડ) ડો. કિશોરસિંહ ચાવડા, કુલપતિ, પ્રો. પરસી એન્જિનિયર વગેરે લોકો હાજર રહ્યા હતા. પ્રેસીડન્સીયલ એડ્રેસ રાજેશ દેસાઇ(ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી), ભરત શાહ (પ્રથમ વાઇસ ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી) સુરતના એડવોકેટ શ્રેયસ દેસાઇ (ચેરમેન, એડમીનીસ્ટ્રેટીવ કમિટી, વી.ટી.ચોક્સી, સાર્વજનિક લો કોલેજ, સુરત) દ્વારા લોકાર્પણ થયેલ પુસ્તકની માહિતી અને ભવિષ્યમાં પણ આજ પ્રકારના ઉપયોગી પુસ્તકો સમાજને આપવામાં આવશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવેલ હતી. આ પ્રસંગે રીલીઝ થયેલ પુસ્તક વિશે ટૂંકમાં માહિતી વી.ટી.ચોકસી સાર્વજનિક લો કોલેજ સુરતના ઇન્ચાર્જ આચાર્યા અને પુસ્તકના ઓથર ડો. ઇરમલા દયાલ દ્વારા અપાઇ હતી. 

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.