અંબાજી મોહનથાળ-ચીકી વિવાદમાં નીતિન પટેલની એન્ટ્રી, જાણો શું કહ્યું

 છેલ્લાં 10 દિવસથી મા અંબાના અંબાજી મંદિરમાં પ્રસાદને લઇને શરૂ થયેલો વિવાદ ખતમ થવાનું નામ નથી લેતો. ગુજરાત સરકારે અંબાજી ટ્રસ્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યાના એક દિવસ પછી  રાજ્યના પૂર્વ નાયબ મંત્રી અને ભાજપના કદાવર નેતા નિતિન પટેલે પણ આ વિવાદમાં ઝુકાવ્યું છે અને તેમના એક નિવેદનને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. નિતિન પટેલની એન્ટ્રી પછી શું અંબાજીમાં ફરી પ્રસાદ  તરીકે મોહનથાળ મળતો થશે?  નિતિન પટેલે શાતં થઇ ગયેલા મુદ્દાને ફરી ગરમ કરી દીધો છે.

અંબાજી મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવતો હતો, પરંતુ સંચાલકોએ મોહનથાળને બદલે ચીકીને પ્રસાદ તરીકે આપવાનું શરૂ કરતા ભારે વિવાદ ઉભો થયો હતો. એ પછી શનિવારે ગુજરાત સરકારના પ્રવક્તા રૂષિકેશ પટેલે સ્પષ્ટ કહ્યુ હતું કે, અંબાજી મંદિરમાં ચીકી જ પ્રસાદ તરીકે અપાશે, મોહનથાળ નહીં. હવે જયારે સરકારના પ્રવકતાએ નિવેદન આપી દીધું છે એ પછી નિતિન પટેલે એમ કહ્યુ કે, આ મામલો  શ્રધ્ધાળુઓ અને મંદિર ટ્રસ્ટ વચ્ચેનો છે, પરંતુ મને આશા છે કે સરકાર કોઇ યોગ્ય સમાધાન કાઢશે. નિતિન પટેલના આ નિવેદને બધાને ચોંકાવી દીધા છે. સરકારે તો જાહેર કરી દીધું છે, પછી નિતિન પટેલ સમાધાનની વાત કેમ કરી રહ્યા છે?

નિતિન પટેલના આ નિવેદનને કારણે ભાજપના કેટલાંક નેતાઓમાં ખુશી જોવા મળી છે, કારણકે તેઓનું માનવું છે કે અંબાજી મંદિરના પ્રસાદ વિવાદને કારણે ભાજપને  નુકશાન થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ જાણે છે કે ભલે નિતિન પટેલ અત્યારે સરકારનો હિસ્સો નથી, પરંતુ તેમનું કદ આજે પણ ઉંચુ છે. એટલે લોકો પણ એવું માની રહ્યા છે કે શું અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ ફરી મળતો થશે?

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી મંદિરમાં 1લી માર્ચથી પ્રસાદ તરીકે મોહનથાળને બદલે ચીકીનું વિતરણ શરૂ થયું હતું જેનો અનેક લોકોએ વિરોધ કર્યો હતો. કોંગ્રેસે પણ આ વિવાદમાં ઝુકાવ્યું હતું. વિશ્વ હિંદુ પરિષદે પણ ટ્રસ્ટના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. વિશ્વ હિંદુ પરિષદે તો 13 માર્ચે 3 હજાર મંદિરોમાં મોહનથાળ વિતરણ કરવાની જાહેરાત કરી છે અને સરકારને અલ્ટીમેટમ પણ આપ્યું છે.

સરકારની જાહેરાત પછી નિતિન પટેલના નિવેદન પછી સરકાર પોતાના નિર્ણયથી પીછેહઠ કરે છે કે નિર્ણય યથાવત રાખે છે તે આગામી દિવસોમાં ખબર પડશે.

About The Author

Related Posts

Top News

શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં...
Politics 
શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

SIRએ દેશભરમાં નોંધપાત્ર ચર્ચા જગાવી છે. પશ્ચિમ બંગાળમાં પણ આ અંગેના ઘણા મુદ્દાઓ સામે આવતા રહ્યા છે. આવતા વર્ષે...
National 
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે મતદાર યાદીમાંથી 58 લાખ નામ દૂર કર્યા, પંચે ખુલાસો કર્યો કે આ લોકો ક્યાં ગયા?

સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

તપાસ સમિતિએ અમદાવાદની ક્રિશ્ચિયન ટ્રસ્ટ સંચાલિત જાણીતી 'સેવન્થ-ડે સ્કૂલ'નો વિસ્તૃત અહેવાલ રાજ્ય સરકારને સુપરત કર્યો છે. જેમાં...
Gujarat 
સેવન્થ-ડે સ્કૂલને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, સરકાર પોતે સ્કૂલનો વહીવટ સંભાળશે

'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!

કોંગ્રેસે ભૂતપૂર્વ ધારાસભ્ય મોહમ્મદ મોકીમને પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. તેમણે તાજેતરમાં પક્ષના નેતૃત્વમાં પરિવર્તનની માંગ કરી હતી અને કહ્યું હતું...
National 
'3 વર્ષથી રાહુલ ગાંધી...' કોંગ્રેસના ભૂતપૂર્વ MLAએ નેતૃત્વ પરિવર્તનની માંગ કરી, પાર્ટીએ તેમને જ કાઢી મૂક્યા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.