માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને લાગ્યો મોટો ઝટકો, HCમાં પણ ન મળી રાહત, અરજી ફગાવી

મોદી સરનેમને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધના માનહાનિના કેસમાં હાઇ કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. કોર્ટે સજા પર રોક માટે રાહુલ ગાંધી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે સુરત કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. જેમાં તેમને 2 વર્ષની સજા સંભળાવવામાં આવો હતી. રાહુલ ગાંધી પર હાઇ કોર્ટના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેમની સંસદ સભ્યતા હજુ રદ્દ જ રહેશે. જો કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પાસે સુપ્રીમ કોર્ટ જવાનો વિકલ્પ ખુલ્લો છે.

હાઇ કોર્ટમાં ફરિયાદકર્તા પૂર્ણેશ મોદી તરફથી વરિષ્ઠ વકીલ નિરુપમ નાનાવટીએ દલીલો રાખી હતી, તો રાહુલ ગાંધી તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધાવી ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ 2 જૂનના રોજ હાઇ કોર્ટે રાહુલ ગાંધીને મધ્યસ્થ રાહત આપતા નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. મોદી સરનેમને લઈને વિવાદિત ટિપ્પણીને લઈને દાખલ કરવામાં આવેલા ગુનાહિત માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા 23 માર્ચના રોજ દોષી કરાર આપવામાં આવ્યો હતો.

ઇન્ડિયન પિનલ કોડ (IPC)ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષી ઠેરવતા 2 વર્ષ જેલની સજા સંભળાવી હતી. ત્યારબાદ રાહુલ ગાંધીની સંસદ સભ્યતા રદ્દ કરી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં વાયનાડથી સાંસદ બન્યા હતા. જે વિવાદિત નિવેદનને લઈને રાહુલ ગાંધી પર કેસ થયો હતો તે તેમણે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી દરમિયાન કર્ણાટકની એક રેલીમાં આપ્યું હતું. તેમણે લલીત મોદી, નીરવ મોદી જેવા ભાગેડુઓનું નામ લેતા પૂછ્યું હતું કે બધા ચોરોનું સરનેમ મોદી કેમ છે? ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેને આખા સમુદાયનું અપમાન બતાવતા સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

હાઇ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવતા શું કહ્યું?

હાઇ કોર્ટના જજ જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેન્ચે અરજી ફગાવતા કહ્યું કે, રાહુલ ગાંધી એકદમ અસ્તિત્વહીન આધાર પર રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચલી કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલી સજા પર રોક લગાવવાનો કોઈ નિયમ નથી, પરંતુ એક અપવાદ છે જેનો સહારો દુર્લભ કેસોમાં લેવો જોઈએ.

અરજીકર્તા વિરુદ્ધ લગભગ 10 ગુનાહિત કેસ પેન્ડિંગ છે.

અહીં સુધી કે આ ફરિયાદ બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક ફરિયાદ વીર સાવરકરના પૌત્રએ નોંધાવી.

સજા પર રોક ન લગાવવી રાહુલ ગાંધી સાથે અન્યાય નહીં હોય.

દોષસિદ્ધિ પર રોક લાગવાનો કોઈ ઉચિત આધાર આપવામાં આવ્યો નથી.

સેશન કોર્ટનો આદેશ ન્યાયસંગત અને ઉચિત છે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.