CM બદલવાથી વધારે ગુજરાત સરકારની 'અક્ષમતાનો બીજો કોઈ પુરાવો નથીઃ કોંગ્રેસ નેતા

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ તિવારીએ બુધવારે અહીં દાવો કર્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ના મુખ્યમંત્રીને બદલવાના પગલા કરતાં ગુજરાતમાં સરકારની "અક્ષમતા” નો બીજો કોઈ મોટો પુરાવો હોઈ શકે નહીં.

પત્રકારો સાથે વાત કરતા, તિવારીએ મોરબી બ્રિજ અકસ્માતનો ઉલ્લેખ કર્યો અને રાજ્ય સરકારના "અહંકાર" ની ટીકા કરી. તાજેતરમાં મોરબી અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી તિવારીએ પ્રશ્ન કર્યો હતો કે શા માટે આ ઘટના પર કોઈએ રાજીનામું આપ્યું નથી અને "સૌથી મોટા આરોપીઓ", શ્રીમંત વ્યક્તિઓ અને જેમણે પુલના નવીનીકરણનો કોન્ટ્રાક્ટ લીધો હતો, તેમની ધરપકડ કેમ કરવામાં આવી નથી.

2016 માં, ભાજપે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને બદલીને વિજય રૂપાણીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી પછી પણ રૂપાણી મુખ્યમંત્રી તરીકે ચાલુ રહ્યા અને ગયા વર્ષે તેમને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે, સરકારની બિનકાર્યક્ષમતાનો આનાથી મોટો પુરાવો હોઈ શકે નહીં કે તે મુખ્યમંત્રીઓને હટાવવા સુધી પહોંચી છે. વર્તમાન મુખ્યમંત્રીનું ભાવિ શું હશે, જનતા નક્કી કરશે.

તેમણે કહ્યું, "સરકારની નિષ્ફળતાનું આનાથી વધુ જીવતું જાગતું ઉદાહરણ હોઈ શકે નહીં કે તમારે તમારા મુખ્યમંત્રીઓને ત્રણ વખત બદલવા પડ્યા.

તિવારીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં ભ્રષ્ટાચારને કાયદેસર કરવામાં આવ્યો છે અને તે જ 'મોડલ' દેશ પર લાદવામાં આવી રહ્યું છે.  તેમણે કહ્યુ કે,ભ્રષ્ટાચારને કાયદેસર બનાવવો એ દેશ માટે ખતરનાક છે.

તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતનું દેવું રૂ. 2.98 લાખ કરોડ છે અને 20-24 વર્ષની વય જૂથના યુવાનો માટે બેરોજગારીનો દર 12.5 ટકા છે, જે કદાચ દેશમાં સૌથી વધુ છે.

આમ આદમી પાર્ટી (AAP) વિશેના પ્રશ્નના જવાબમાં, તિવારીએ દાવો કર્યો હતો પાકિસ્તાનની સરહદે આવેલા પંજાબ રાજ્યને ચલાવવા માટે જે પ્રકારનો વહીવટી અનુભવ, સંવેદનશીલતા અને જવાબદારી જરૂરી છે નવી પાર્ટી AAP  પાસે છે તે દર્શાવવામાં આવ્યું નથી.તિવારીએ કહ્યુ કે, મારી ગુજરાતની જનતાને વિનંતી છે કે બીજી વખત ભુલ દોહરાવતા નહીં.

રાહલની ભારત જોડો યાત્રામાં નર્મદા બચાવોની કાર્યકર મેઘા પાટકર સામેલ થવાના સવાલ પર મનીષ તિવારીએ કહ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી, કોરોના મહામારીના મેનેજમેન્ટ, ભષ્ટાચાર જેવા મુદ્દાઓને ભટકાવવામાં ભાજપ સરકારે પીએચડી કરેલું છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.