વેરાવળ-સોમનાથ પંથકમાં જોવા મળી અદભુત ખગોળીય ઘટના, લોકો થયા આશ્ચર્યચકિત

ગુજરાતના આકાશમાં થોડા સમયથી વિવિધ ખગોળીય ઘટનાઓ બનતી નજરે પડી રહી છે. ત્યારે વધુ એક ઘટના વેરાવળ સોમનાથ પંથકના આકાશમાં જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ અદભુત ખગોળીય ઘટનાને જોઈને ત્યાંના સ્થાનિક લોકોમાં કુતૂહલ સર્જાયું છે. ઘટના વિશે વિસ્તારથી વાત કરીએ તો, આજે એટલે કે શુક્રવારના રોજ બપોરના સમયે જિલ્લાના કોડીનાર તાલુકામાં આકાશમાં સૂર્યની ફરતે વલય (સર્કલ) દેખાયું હતું. કુદરતનો આ અદભૂત નજારો જોવા લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી રહ્યા હતા અને આ દ્રશ્યને નિહાળતા જ લોકોમાં રોમાંચ સાથે કુતૂહલપણ જોવા મળ્યું હતું. જો કે, રિપોર્ટ મુજબ આવી જ ઘટના દોઢેક વર્ષ પહેલા વેરાવળ સોમનાથના આકાશમાં પણ જોવા મળી હતી.

લોકો થયા રોમાંચિત

ગીર સોમનાથ જિલ્લા પંથકના આકાશમાં સૂર્યની ફરતે રંગબેરંગી વલય (સર્કલ) જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થયા હતા. જો કે, આ વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી ગઈ હતી. જેને કારણે લોકો કુતૂહલવશ થઈને ઘરની બહાર નીકળી આકાશમાં જોઈ રહ્યા હતા અને આકાશમાં જોવા મળી રહેલ અદભુત ખગોળીય ઘટના નિહાળી રોમાંચિત થઈ રહ્યા હતા. જો કે, આ રંગબેરંગી સર્કલ ગીર સોમનાથ પંથકના આકાશમાં સૂર્યની ફરતે ઘણો સમય સુધી સર્જાયેલું જોવા મળ્યું હતું. ત્યારે આ ખગોળીય ઘટનાને લઈને અનેક લોકોના મનમાં પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે, આ રંગબેરંગી સર્કલ કેમ બન્યું હશે. આમ આ સમગ્ર ઘટનાને લઈને લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ થઈ રહી હતી.

જાણકારોના મતે આવી ઘટના ભારત દેશમાં ભાગ્યે જ જોવા મળે છે, કોડીનાર પંથકના આકાશમાં જોવા મળેલી અદભુત ખગોળીય ઘટના અંગે જાણકારો કહે છે કે આવી ઘટનાઓ ઠંડા પ્રદેશોમાં નિયમિત જોવા મળે છે. દોઢેક વર્ષ પહેલાં પણ આવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને તે સમયે પણ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, આ અગાઉ પણ સૌરાષ્ટ્રના આકાશમાં એક અદભૂત ખગોળીય ઘટના બનવા પામી હતી અને આ ઘટનાએ લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. જે ઘટનાની વાત કરીએ તો આ ઘટના આ વર્ષે જ જૂન મહિનામાં બનવા પામી હતી. આ ઘટના અંતર્ગત આકાશમાં એકસાથે લાઇનમાં ચળકતી લાઇટો જોવા મળી હતી.  રાજ્યના જૂનાગઢ, કેશોદ, અમરેલી, ગીર સોમનાથ, માંગરોળ, જાફરાબાદ, રાજુલા, સાવરકુંડલા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આકાશમાં આ અદભૂત નજારો જોવા મળ્યો હતો. જાફરાબાદના લોર, કડીયાળી, વાઢેરા સહિતના ગ્રામજનોએ પણ આ નજારો નિહાળ્યો હતો.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.