બાગેશ્વર બાબાનો દરબાર શરૂ થાય તે પહેલાં લિંબાયતમાં પોસ્ટરો ફાડી નંખાયા

બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુજરાતાં પધરામણી થઇ ચૂકી છે અને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા એમ 4 શહેરોમાં તેમના દિવ્ય દરબારનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. 10 દિવસના ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાતના કાર્યક્રમની શરૂઆત સુરતથી થઇ છે અને શુક્રવાર અને શનિવારે લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી ગ્રાઉન્ડ પર દિવ્ય દરબાર થવાનો છે.

શુક્રવારે બાબાનો કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં કોઇ તોફાની તત્ત્વોએ લિંબાયત વિસ્તારમાં દિવ્ય કરબાર કાર્યકમને લગતા પોસ્ટરો ફાડી નાંખતા હોબાળો મચી ગયો હતો.આયોજકો દોડતા થઇ ગયા હતા અને પોસ્ટરો કોણે ફાડ્યા તૈની તપાસ હાથ ધરવામાં આવી છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત પહેલીવાર આવ્યા છે અને તેમના દિવ્ય દરબારના કાર્યક્રમના પોસ્ટરો શહેરમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે. બાબા બાગેશ્વરના આગમનનો પહેલા વિરોધ શરૂ થયો હતો, પરંતુ ધીમે ધીમે વિવાદ શાંત પડી ગયો હતો. હવે લિંબાયત વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનથી માત્ર 700 મીટરના અંતરે લાગેલા બેનરો વિરોધીઓ દ્રારા ફાડી નાંખવામાં આવ્યા છે.

લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પર બાબાનો બે દિવસનો કાર્યક્રમ થવાનો છે અને હજારોની સંખ્યામાં લોકો આવવાના છે એ ધ્યાનમાં રાખીને પુરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, છતા કોઇક બેનરો ફાડી ગયું હતું. આ અટકચળાને કારણે આયોજકોનું ટેન્શન વધી ગયું છે.

આયોજકોના કહેવા મુજબ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમમાં લગભગ દોઢ લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. ઉપરાંત પીવાનું પાણી, પાર્કિંગ, મોબાઇલ ટોઇલેટ, નીલગીરી ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ, 30થી વધારે LED સ્ક્રીન લગાવવામાં આવી છે.

ધીરેન્દ્ર શાસ્ત્રી 26 મે, 2023ના દિવસે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી મેદાનમાં તેમનો ‘દરબાર’ યોજશે. બાગેશ્વર સરકારનો ‘દરબાર’ સાંજે શરૂ થશે અને રાત્રે 10 વાગ્યા સુધી ચાલશે. આ દિવ્ય દરબારમાં પ્રવેશ માટે 22 જેટલા એન્ટ્રી ગેટ રાખવામાં આવ્યા છે.

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષા માટે હજારથી વધારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ખાનગી સિક્યોરિટી કંપનીના પણ સુરક્ષા કર્મીઓ સુરક્ષામાં હાજર રહશે.

ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત બાદ અમદાવાદમાં તેમનો ‘દિવ્ય દરબાર’ યોજશે. તેઓ 29 અને 30 મેના રોજ અમદાવાદમાં રોકાશે. જેમાં અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શક્તિચોક ખાતે તેનો ‘દિવ્ય દરબાર’લાગશે. એ પછી રાજકોટ અને વડોદરામાં તેમનો કાર્યક્રમ છે.

About The Author

Related Posts

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.