શું અહેમદ પટેલના પુત્ર ભાજપમાં જોડાશે, જાણો પુત્રી મુમતાઝે શું આપ્યો જવાબ

કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલની ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સાથેની તસ્વીરો સામે આવવાને કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને ફૈઝલના ભાજપમાં જોડાવવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. ફૈઝલ પટેલે પોતે ટ્વીટર પર ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલ સાથેની 2 તસ્વીરો શેર કરી છે. ફૈઝલે લખ્યું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી સી.આર.પાટીલ સાથે વાતચીત કરી રહ્યો છું. સોશિયલ મીડિયા પર આ તસ્વીરો વાયરલ થઇ રહી છે અને લોકો તેમના ભાજપમાં જોડાવવાનો અંદાજ લગાવી રહ્યા છે.

જો કે તસ્વીરોને કારણે ફૈઝલ પટેલ ચર્ચામાં આવ્યા હોય તેવું પહેલીવાર બન્યું નથી. આ પહેલાં તેમની એક તસ્વીર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સાથે પણ સામે આવી હતી. ફૈઝલ પટેલે એ ટ્વીટમાં અરવિંદ કેજરીવાલની પ્રસંશા કરી હતી. ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રીને મળીને ગૌરવ અનુભવું છે. એક દિલ્હીના રહેવાસી તરીકે, હું તેમના વર્ક ઇથિક્સ,નેતૃત્વ કૌશલનો પ્રશંસક છું. માનવતા પર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના પ્રભાવ પર તેમની સાથે ચર્ચા કરી હતી. તે વખતે પણ  ફૈઝલની AAPમાં જોડાવવાની ચર્ચાએ જોર પકડયું હતું.

ફૈઝલ પટેલે અગાઉ એક ટ્વીટમાં પાર્ટી છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું  કે તે રાહ જોઈને થાકી ગયો છે. પક્ષના ટોચના નેતાઓ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી. મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. જોકે, તેમણે ટ્વીટમાં એ નહોતું લખ્યું કે તેમને ટોચના નેતાઓ પાસેથી કેવા પ્રોત્સાહનની અપેક્ષા છે.

હવે ફરી એકવાર ફૈઝલની નવી ટ્વીટે કોંગ્રેસની પરેશાની વધારી દીધી છે, કારણકે, સ્વ. અહેમદ પટેલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના વફાદાર હતા અને ગાંધી પરિવાર પછી તેમને પાર્ટીના સૌથી શક્તિશાળી નેતા તરીકે માનવામાં આવતા હતા.

Khabarchhe.Comએ અહેમદ પટેલના પુત્રી અને ફૈઝલ પટેલના બહેન મુમતાઝ પટેલ સાથે ફોન પર વાત કરી હતી. મુમતાઝ પટેલે કહ્યુ હતું કે, આ બધી ખોટી અફવાઓ ફેલાઇ રહી છે. મારા ભાઇએ એક જૂની અને એક હમણાંની સી.આર. પાટીલની તસ્વીર શેર કરી છે.મારો ભાઇ સમાજસેવા સાથે જોડાયેલો છે અને હું રાજકારણ સાથે જોડાયેલી છું. અમારા પિતાના કોંગ્રેસ સાથેના ઇમોશન સંકળાયેલા છે, એટલે અમારા પરિવારમાંથી કોંગ્રેસ છોડીને કોઇ પણ ભાજપમાં ન જાય.

ફૈઝલ પટેલે અગાઉ એક ટ્વીટમાં પાર્ટી છોડવાનો સંકેત આપ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું હતું  કે તે રાહ જોઈને થાકી ગયો છે. પક્ષના ટોચના નેતાઓ તરફથી કોઈ પ્રોત્સાહન મળ્યું નથી. મારા માટે તમામ વિકલ્પો ખુલ્લા છે. જોકે, તેમણે ટ્વીટમાં એ નહોતું લખ્યું કે તેમને ટોચના નેતાઓ પાસેથી કેવા પ્રોત્સાહનની અપેક્ષા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.