સુરતના બિલ્ડરને ગ્રાહક કોર્ટની ફટકાર 84 ગ્રાહકોને 2.66 કરોડ ચુકવવા આદેશ

ફલેટ અને દુકાનો બુકીંગ કરાવનાર ગ્રાહકોને નક્કી કરેલા સમયે કબ્જો નહીં આપનાર એક બિલ્ડરના ગ્રાહક કોર્ટે કાન આમળ્યા છે અને વ્યાજ સહિત રકમ ચુકવવાનો આદેશ આપ્યો છે.

ગ્રાહકો પાસેથી બુકીંગના પૈસા મેળવીને પછી કબ્જો આપવા માટે ઠાગાઠૈયા કરતા સુરતના એક બિલ્ડરને ગ્રાહક કોર્ટે ફટકાર આપી છે અને 84 ગ્રાહકોને 2.66 કરોડની રકમ 15 ટકા વ્યાજ સાથે ચુકવવા આદેશ આપ્યો છે.

ગ્રાહકો કોર્ટનો આ ચુકાદો અનેક લોકોને કામ લાગે તેવો છે, કારણ કે રેરા જેવા કડક નિયમો હોવા છતા કેટલાંક લેભાગૂ બિલ્ડરો ગ્રાહકોને અનેક વાર છેતરતા હોય છે. કેટલાંક બિલ્ડરો તો લોકો પાસેથી પૈસા પડાવવા માટે જ જાતજાતની લોભામણી જાહેરખબરો આપતા હોય છે અને પછી પૈસા ચાઉં કરી જતા હોય છે.

જાણવા મળેલી માહિતી મુજબ રૂદ્રાક્ષ અને રૂદ્ર વન કોર્પોરેશનના સંચાલક શૈલેષ બાદલાવાળા અને તેના ભાગીદારોએ મળીને ભેસ્તાનના જીયાવમાં રૂદ્રાક્ષ અને રૂદ્ર વન નામથી રેસિડન્શીયલ અને શોપિંગ કોમ્પલેક્સનો પ્રોજેક્ટ મુક્યો હતો. આ પ્રોજેકટ માટે બિલ્ડરે બુકીંગ શરૂ કર્યું હતું.

લોકોએ બિલ્ડર પર વિશ્વાસ મુકીને દુકાનો અને ફલેટ બુક કરાવ્યા હતા. જયારે બુકીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે બિલ્ડરે નક્કી કરેલા સમયે ફલેટ અને દુકાનોનો કબ્જો આપી દેવા માટે લોકોને ભરોસો આપ્યો હતો.

 આ વચ્ચે ભાગીદારો વચ્ચે વિવાદ ઉભો થયો અને મામલો કોર્ટમાં પહોંચ્યો. બીજી તરફ જે લોકોએ દુકાન અને ફલેટના બુકીંગ કરાવ્યા હતા તેમને સમય પુરો થવા છતા કબ્જો નહીં મળતા અકળાયા હતા. અનેક વખત પુછપરછ કરવા છતા બિલ્ડર ન તો કબ્જો આપતો હતો કે ન તો રૂપિયા પરત કરતો હતો. આ પ્રોજેક્ટમાં એક બે નહી, પણ કુલ 84 લોકોએ બુકીંગ કરાવ્યા હતા.

 લાંબા સમય સુધી રાહ જોયા પછી ગ્રાહકોએ એડવોકેટ મોના કપુર મારફતે બિલ્ડર અને તેના ભાગીદારો વિરુદ્ધ ગ્રાહક કોર્ટમાં કેસ કર્યો હતો. અંતિમ સુનાવણી પછી, કોર્ટે ગ્રાહક સેવામાં થયેલા નુકશાનને ધ્યાનમાં રાખીને ફરિયાદ મંજૂર કરી હતી અને ગ્રાહકોને 2.66 કરોડ રૂપિયા 15 ટકા વ્યાજ સાથે ચુકવવા માટે બિલ્ડરને આદેશ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.