સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કામલીલાનો કથિત વીડિયો વાયરલ, ટ્રસ્ટી કહે- વીડિયો જૂનો છે

એક વીડિયો વાયરલ થવાની સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાય ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખત રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામના સ્વામિનારાયણગુરુકુળના ખજાનચીનો કથિત વીડિયો વાયરલ થતા હાહાકાર મચી ગયો છે. સ્વામીનો કથિત વાયરલ વીડિયોના કારણે સંપ્રદાય ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયોમાં ગુરુકુળના ખજાનચીને ભગવાધારી યુવાન સાથે કથિત રીતે કામલીલા કરતા દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Swaminarayan-Gurukul

વીડિયો વાયરલ થતા જ સનાતની સમુદાયમાં ભારે રોશ જોવા મળી રહ્યો છે અને સ્વામિનારાયણ સંપ્રદાયે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સ્વામીને બરતરફ કર્યા છે. ટ્રસ્ટીઓ આ વીડિયો 8-9 મહિના જૂનો હોવાનો દાવો કરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં વધુ એક સ્વામીનો કથિત વીડિયો વાયરલ થતા, વીડિયોમાં દેખાતા સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયને પર ડાઘ લગાવ્યો છે.

વાયરલ થયેલા આ વીડિયોમાં, ફરેણી ગુરુકુળના ખજાનચી હરીચરણ સ્વામી અન્ય એક ભગવાધારી યુવાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા દેખાય છે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયો સામે આવ્યા બાદ ઘણા હરિભક્તો એવુ કહી રહ્યાં છે કે, સ્વામી હરીચરણે ફરેણી ગુરુકુળનું નામ ખરાબ કર્યું છે. જે તે સમયે આ વીડિયો બહાર ના આવે તેના માટે પ્રયાસ કરાયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

આ વાયરલ વીડિયો રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી ગામના ગુરુકુળના ખજાનચી સ્વામીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને વીડિયોમાં દેખાતો સ્વામી એક યુવાન સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. મંદિરના ટ્રસ્ટી મયુરભાઇ શિંગાળાએ જણાવ્યું, કે, વાયરલ વીડિયો લગભગ 8-9 મહિના જૂનો છે. વાયરલ વીડિયો અમારી ધ્યાનમાં આવતા જ અમે તે સાધુને સાધુભ્રષ્ટ કરી બરતરફ કરી દીધો છે. હાલ તેઓ ક્યાં છે તે અમને ખબર નથી. સંપ્રદાય વિરૂદ્ધ કામ કર્યું હોવાથી તેમને સાધુ પદેથી હટાવીને તાત્કાલિક દૂર કરી દેવામાં આવ્યા છે.

Swaminarayan-Gurukul2

તેમણે વધુમાં જણાવ્યું કે, અમે એમને પૂછપરછ કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, હા મારાથી આ ભૂલ થઇ ગઇ છે. જેથી અમે ટ્રસ્ટીઓએ નક્કી કરી તેમને દૂર કરી દીધા હતા. આ વિદ્યાર્થી કોણ છે એ અમને ખબર નથી. સ્કૂલના કોઇ વિદ્યાર્થી કે વાલી અને સ્ટાફ તરફથી કોઇ ફરિયાદ મળી નથી. સંપ્રદાયને લાંછન લાગે તેવું કૃત્ય હોવાથી અમે તેમને તાત્કાલિક દૂર કરી દીધા છે.

આ ઘટના પર જ્યોતિર્નાથ મહારાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે આવા બાવાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માગ કરી છે અને સમાજના લોકોને પણ આવા સાધુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. જ્યોતિર્નાથ મહારાજ અને અન્ય હિન્દુ સંતોએ વાયરલ વીડિયોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયની નિંદા કરી છે.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.