રાહુલને 2 વર્ષની સજાનો ચુકાદો આપનાર જજનું પ્રમોશન થશે, અઢી મહિનામાં બીજું...

સુરત ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટના પદ પર તૈનાત જજ હરીશ હસુમુખભાઇ વર્મા હવે જિલ્લા જજ બનશે. તેમણે પ્રમોશન માટેની પરીક્ષાપાસ કરી છે. તેની જાહેરાત 10 માર્ચ 2023ના દિવસે કરવામાં આવી હતી. લગભગ અઢી મહિના પહેલા, 29 ડિસેમ્બર 2022ના દિવસે જારી કરવામાં આવેલા એક ગેજેટ નોટિફિકેશન મુજબ તેમને એડિશનલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટથી ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સીનિયર સિવિલ જજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ વર્મા તાજેતરમાં જ માનહાનિના એક કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપીને ચર્ચામાં છે.હરીશ વર્માને અઢી મહિનામાં આ બીજું પ્રમોશન મળ્યું છે.

એક દશકથી વધારે સમયથી ન્યાયિક સેવામાં કાર્યરત  વર્માએ 23 માર્ચે રાહુલ ગાંધીને 2 વર્ષની સજાનો ચુકાદો આપ્યો હતો અને તેને આધારે રાહુલે સાંસદ તરીકેનું સભ્યપદ ગુમાવવાનો વારો આવ્યો હતો.

ગુજરાત સરકારે 29 ડિસેમ્બર 2022ના દિવસે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું જેમાં ગુજરાત હાઇકોર્ટ દ્રારા જિલ્લા અને સેશન્સ કોર્ટમાં ન્યાયિક અધિકારીઓના પ્રમોશનનું વિવરણ હતું અને તેમાં હરીશ વર્માનું નામ સામેલ હતું. તે વખતે તેઓ સુરતમા જ ચોથા એડિશનલ સીનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યૂડિશનલ મેજિસ્ટ્રેટના પદ પર હતા. જજ હરીશ વર્માને ચીફ જ્યૂડિશયલ મેજિસ્ટ્રેટ અને એડિશનલ સિવિલ જજ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, ગુજરાત હાઇકોર્ટેના 10 માર્ચ 2023ના નોટિફિકેશન મુજબ હરીશ હસમુખભાઇ વર્માએ 65 ટકા પ્રમોશન કોટા હેઠળ આયોજિત 200 ગુણની પરીક્ષામાં 127 ગુણ મેળવ્યા હતા. જે સીનિયર સિવિલ જજથી ડિસ્ટ્રીક્ટ જજ કેડરના પ્રમોશન માટે યોગ્ય છે. આ નોટિફિકેશન મુજબ વર્મા સહિત કુલ 68 સીનિયર સિવિલ જજોએ આ પરીક્ષા પાસ કરી છે. અઢી મહિ્નામાં હરીશ હસમુખભાઇ વર્માને આ બીજું પ્રમોશન મળ્યું છે. આ પહેલાં 2022માં તેમને પ્રમોશન મળ્યું હતું.

ગુજરાતના વડોદરામાં જન્મેલા 43 વર્ષના હરીશ હસમુખભાઇ વર્માએ પોતાનો LLBનો અભ્યાસ મહારાજા સયાજીરાવ કોલેજમાંથી કર્યો છે. એ પછી તેઓ ન્યાયિક સેવામાં જોડાયા હતા. મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા મુજબ હરીશ વર્માના પિતા પણ વકીલ રહી ચૂક્યા છે. હરીશ વર્માની છબિ એક કડક અને ફાયરબ્રાન્ડ ન્યાયાધીશ તરીકેની છે. તેમના માટે એવું કહેવાય છે કે તેઓ સમયના એકદમ પાક્કા છે.

રાહુલ ગાંધીને વર્ષ 2019ની તેમની એક ટિપ્પણી મામલે સજા થઇ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્ણાટકની એક ચૂંટણી સભામાં મોદી સરનેમ વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. એ પછી ગુજરાત ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જજ હરીશ વર્માએ 17 માર્ચે આ કેસની સુનાવણી પુરી કરી હતી અને 23 માર્ચે ચુકાદો જાહેર કર્યો હતો. રાહુલને 2 વર્ષની સજા કરવામાં આવી હતી. જો કે રાહુલને ઉપલી કોર્ટમાં જવા માટે 30 દિવસનો સમય આપીને જામીન આપવામાં આવ્યા હતા.

આ જ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સામે બીજા પણ બે કેસ ચાલી રહ્યા છે. એડવોકેટ પ્રદીપ મોદીએ રાંચીની કોર્ટમાં કેસ કરેલો છે અને  ભાજપના નેતા સુશીલ મોદીએ પણ રાહુલની સામે કેસ કરેલો છે.

About The Author

Related Posts

Top News

300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

રણવીર સિંહની નવી જાસૂસી થ્રિલર ફિલ્મ 'ધુરંધર' ભારતમાં ધૂમ મચાવી રહી છે, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય રિલીઝને ખાસ...
Entertainment 
300 કરોડની કમાણી પણ ફિલ્મ 'ધૂરંધર' પર આ છ મુસ્લિમ દેશોએ પ્રતિબંધ મૂક્યો!

કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર અને મર્યાદિત જાહેર સમર્થન છતાં, કોંગ્રેસ પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તે 'મત...
કોંગ્રેસની દિલ્હીમાં આજે વિશાળ રેલી, આ શક્તિ પ્રદર્શનમાં રાહુલ અને ખડગે હાજર રહેશે

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.