સુરત મહાનગર પાલિકા કહે છે ડેન્ગ્યુનો એક પણ કેસ નથી, ડૉક્ટરો કહે છે 60% જેટલા...

સુરતમાં ડેંગ્યુનો વાવર ચાલી રહ્યો છે, એ વિશે અમને તો થોડા ઇન્પૂટ મળ્યા તો અમે ડેંગ્યૂના સત્ય વિશે જાણવાની કોશિશ કરી અને પાલિકાના અધિકારીઓ અને ડોકટરો સાથે વાત કરી.શહેરના 4થી 5 ડોકટરો સાથે અમે વાત કરી, પરંતુ તેમણે નામ નહીં છાપવાની શરતે કહ્યું કે, સુરતમાં અત્યારે જેટલા પણ કેસો આવી રહ્યા છે તેમાંથી 60થી 70 ટકા કેસો ડેંગ્યૂના હોય છે. શહેરના આરોગ્યની જવાબદારી સુરત મહાનગર પાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ પાસે છે અને ડેંગ્યુને કંટ્રોલ કરવાની જવાબદારી આરોગ્ય વિભાગની છે, એટલે ડોકટરોના દાવાને તપાસવા માટે અમે પાલિકાના મેડિકલ ઓફિસર ડો. પી. એચ. ઉમરીગરને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે, પાલિકાની મુખ્ય ઓફિસ પર આજે સાંજે 5 વાગ્યે આવો તમને જે માહિતી જોઇતી હશે તે મળશે.

 

અમે 5 વાગ્યે પાલિકાની હેલ્થ ઓફિસે પહોંચી ગયા હતા અને ડો. ઉમરીગરને મળ્યા હતા. તેમણે કહ્યું કે, ડેંગ્યૂ તો ખતમ થઇ ગયો, હવે એક પણ કેસ નથી ડેંગ્યૂના. અમે કહ્યુ કે શહેરના ડોકટરો તો કહે છે કે, 60 ટકાથી વધારે કેસ છે. ડો. ઉમરીગરે કહ્યું કે, એ મને ખબર નથી, પરંતુ તમે થોડા દિવસો પહેલાં પુછ્યું હતે તો એ વખતે શહેરમાં ડેંગ્યૂના 60 ટકાથી વધારે કેસ હતા, હવે નથી.

ડો. ઉમરીગરની સાથે વાત કરતા પહેલાં અમે સુરત મહાનગર પાલિકાની વેબસાઇટ પરથી માહિતી મેળવી હતી. છેલ્લાં 10 દિવસમાં ડેંગ્યૂના ઝીરો ઝીરો કેસ બતાવવામાં આવ્યા છે. બીજી એક ચોંકાવનારી વાત એ છે કે છેલ્લાં 2005થી અત્યાર સુધીમાં મચ્છરજન્ય રોગથી એક પણ મોત થયા નથી એવું બતાવ્યું છે.

એક અધિકારીએ નામ નહીં છાપવાની શરતે કહ્યુ હતું કે, માર્ચ 2023થી સુરત મહાનગર પાલિકાની આરોગ્યની વિગત અપડેટ કરવામાં નથી આવી. પહેલાં મસ્કતી હોસ્પિટલમાં ઓફિસ હતી હવે ખજોદમાં ઓફિસ લઇ જવામાં આવી એટલે વેબસાઇટ અપડેટ થઇ શકી નથી.

સુરત મહાનગર પાલિકા મેલેરિયા માટે કરોડો રૂપિયા ખર્ચે છે અને વેબસાઇટ માટે હજારો રૂપિયાના પગારદારો રાખ્યા છે છતા આવી પોલમપોલ ચાલે છે.

મેલેરિયાના એક નિષ્ણાતે અમને કહ્યું કે, ડેંગ્યૂ મચ્છરની આ સિઝન છે, ભેજવાળું વાતાવરણ હોય અને લઘુતમ તાપમાન વધારે હોય ત્યારે ડેંગ્યૂ મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે. ડેંગ્યુ મચ્છરનો સ્વભાવ એવો છે કે તે દિવસમાં જ કરડે છે અને બીજાને પણ ચેપ ફેલાવે છે, જ્યાં વધારે લોકો હોય ત્યાં ડેંગ્યૂ ઝડપથી ફેલાય છે. ડેંગ્યુ માટે હજુ સુધી કોઇ એન્ટીબાયોટીક શોધાઇ નથી.માત્ર તેના લક્ષણોને આઘારે જ સારવાર કરવી પડે છે.

 ડેંગ્યૂ ઘરમાં પાણી જૂનુ થાય તેમાંથી થાય છે, એટલે આપણી પણ જવાબદારી છે કે ઘરમાં કે આજુબાજુમાં પાણી ભેગું ન થાય તે જોવું પડે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.