જાન આવે એ પહેલા પાણી ખૂટી પડ્યું, તંત્રની ઊંઘ ઉડાડવા મહેંદી ભરેલા હાથ લઈ દુલ્હન ઢોલ-નગારા સાથે પાણી ભરવા પહોંચી

છોટાઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકામાં આવેલું કેલધરા ગામ 2500ની વસ્તી ધરાવે છે. ગામમાં પાણીની ટાંકી છે, પરંતુ તેમાં પાણી જ નથી કેમ કે હાંફેશ્વર પાણીપુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી હતી અને ઘરે-ઘર નળ ગોઠવવામાં આવ્યા છે, પરંતુ આ નળમાં હજી પાણી સુધી આવ્યું જ નથી. ગામમાં અલગ-અલગ ફળિયામાં 100 જેટલા પાણીના બોર કરાયા છે. પરંતુ ઉનાળાના કારણે પાણી નીચે જતા રહ્યા છે, જેથી તમામ બોર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કેટલાક બોર બંધ થઈ ગયા છે. નદી, કોતર સુકાઈ ગયા છે. આ દરમિયાન ગામના ખેડૂત નારણભાઈ રાઠવાની દીકરી ઓમનાના લગ્ન હતા.

Bride2
telanganatoday.com

જાન આવવા માટે ગણતરીના કલાકો બચ્યા હતા અને પાણી જ ખૂટી પડ્યું તો લગ્નવાળા ઘરે હાહાકાર મચી ગયો. પાણીની વ્યવસ્થા કરવા માટે ઓમનાના પરિવારજનોએ ગામમાં આવેલી નદીના સામે કિનારે આવેલા હેન્ડપંપ પર પહોચ્યા. જો કે, આ મુશ્કેલી જોઈને દુલ્હન ઓમનાને તંત્રની ઊંઘ ઉડાડવાનો વિચાર આવ્યો. દુલ્હન પોતે મહેંદીવાળા હાથ અને લગ્નના શણગાર સાથે ઢોલ-નગારા અને શરણાઈવાળા સાથે બેડું લઈને નીકળી પડી પાણી ભરવા અને હેન્ડપંપ પર જઈને બેડામાં પાણી ભરી લાવી. લગ્નમાં આવેલા મહેમાનો પણ પાણી લાવવામાં મદદ કરવા લાગ્યા.

Photo-(2)-copy

દુલ્હન ઓમના રાઠવાએ કહ્યું કે, મારા લગ્ન છે, મારા ઘરે મહેમાનો આવ્યા છે. બોરમાં પાણી નથી, મહેમાનોને પાણી કંઈ રીતે આપવું. ટેન્કર મગાવ્યું હતું, તેમાં રહેલું પાણી ખૂટી ગયું એટલે ઢોલ નગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકીને પાણી ભરવા જવું પડ્યું, એટલે ગામમાં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસ સરકારે કરવા જોઇએ.

Bride
orissapost.com

દુલ્હનના પિતા નારણ રાઠવાએ જણાવ્યુ કે, ઉનાળાની શરૂઆત થતા જ પાણીની તંગી ઊભી થઈ છે, મારી દીકરીના લગ્ન હોવા છતાય મારી દીકરી અને તેની બહેનપણીઓને લગ્નની વિધિ અગાઉ પાણી ભરવા જવું પડ્યું, જ્યારે ટેન્કરો અને જગ મગાવ્યા હતા તે ખાલી થઈ ગયા.  સેવનભાઇ રાઠવા નામના સ્થાનિકે જણાવ્યુ કે, અમારા ગામમાં 100 જેટલા બોર છે, ઘરે-ઘર નળ ગોઠવવામાં આવ્યા છે, પરંતુ બોરમાં પાણી ખતમ થઈ ગયું છે. હાંફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી અમને આપવામાં આવ્યું નથી. અત્યારે તો અમારું ગામ પાણી વિના હેરાન થઈ રહ્યું છે. વિકાસની વાત ખોટી છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.