રાજકોટને મળી બે નવી ફ્લાઇટ, મનસુખ માંડવિયાએ કહ્યું- ટુંક સમયમાં રાજકોટ-દુબઈની ફ્લાઇટ પણ મળશે

પોરબંદર લોકસભા મત વિસ્તારના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતના મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દિવાળીના પર્વ બાદ આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. લાભ પાંચમના દિવસે તેઓએ રાજકોટ અને પોરબંદર ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

ડૉ. માંડવિયા આજે બપોરે  રાજકોટના ઉપલેટા નજીક ગોરસ સ્થિત પોતાના સાંસદ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત કરી હતી. ત્યારબાદ સાંજે 6 વાગ્યે તેઓ પોરબંદરના ડૉ. વી. આર. ગોઢાણીયા કોલેજ ખાતે આયોજિત ભાજપના સ્નેહમિલન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત  રહ્યા હતા.

આ પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રને એક મહત્વની ભેટ પણ મળી હતી. ડૉ. માંડવિયાના સતત પ્રયત્નોથી રાજકોટ અને દિલ્હી વચ્ચે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની બે નવી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં છ દિવસ (બુધવાર સિવાય) સવારે ઉડાન ભરશે, જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉપલબ્ધ રહેશે.

bsandesh.com

આ નવી હવાઈ સેવાઓ શરૂ થવાથી સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રવાસન અને વેપાર ક્ષેત્રને મોટો વેગ મળશે. રાજકોટ અને દિલ્હીની સીધી હવાઈ કનેક્ટિવિટીથી ઉદ્યોગજગત, વેપારીઓ અને પ્રવાસીઓને વિશાળ રાહત મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં પ્રવાસન અને માળખાકીય સુવિધાઓના ક્ષેત્રમાં સતત વિકાસ થઈ રહ્યો છે. સોમનાથ, પોરબંદર અને દ્વારકા જેવા આસ્થાના કેન્દ્રો તથા રાજકોટ-જામનગર જેવા ઉદ્યોગ વિસ્તારો વચ્ચે નવી ફ્લાઇટ સેવાઓ સૌરાષ્ટ્રના આર્થિક વિકાસમાં નવી ઊર્જા પુરવાર થશે.

Photo-(2)

મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ ખૂબ મહત્વનું છે, કારણ કે વિદેશથી વેપારીઓ અહીં સતત મુલાકાત લેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એવિએશન મિનિસ્ટ્રીને રાજકોટ-દુબઈની ફ્લાઇટ વહેલી તકે શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની કનેક્ટિવિટી પણ મળી શકે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.