- Gujarat
- શું તમે જાણો છો સુરત શહેરનું નામ કેવી રીતે પડ્યું?
શું તમે જાણો છો સુરત શહેરનું નામ કેવી રીતે પડ્યું?
સુરત નામ કેમ પડ્યુ તેના પર ઘણા તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. રાંદેરની એક વારાંગના નામ સૂરજના નામ પરથી પડ્યુ છે, તો ક્યાંક કંડારાયું છે કે ગોપી મલિકની માતા સૂરજના નામ પરથી પડ્યુ છે. રૂમી નામના એક તુર્કી સોદાગરની પત્ની સુરતાના નામ પરથી પડ્યુ છે, કામરેજના રાજાની અહીં સુરજવાડી હતી તે પરથી અને સૂરતજી નામના માછી લોકોના વડાના નામ પરથી પડ્યુ છે એમ પણ કહેવાય છે. આ બધી માન્યતાઓ સુરત અગિયારમી સદીના અરસામાં ફરી વસ્તુ તે પછીનો છે. પણ શહેરને સૂર્યપુર,બ્રહ્મપુર,બ્રહ્મારણ્ય, તાપીપુર અને બુદ્ધપુર એક કે બુધ અને સૂર્યનું આ રીતે વર્ણવવામાં આવ્યુ છે.
સુરતના કતારગામના કાંતારેશ્વરમાં સૂર્ય એ તપ કરેલું, તેના પૂત્રો અશ્વિની કુમારો અશ્વિની કુમારમાં રહીને વિદ્યા ભણ્યા, તાપી સૂર્યપૂત્રી કે સુર્ય દેહા કહેવાય છે. સુરતમાં આવેલા રાંદેર વિસ્તારનું મૂળ નામ રન્નાદે અને પાસે જ કુરુક્ષેત્ર પણ છે. એ બધા પરથી પુરાણા કાળમાં અહીં સૂર્યપુર નામે સ્થાન હોવાની વિષે કોઇ શંકા નથી.
અહીં સૂર્યપુર હતુ, તે કાળના ગર્ભમાં વિલીન થયું ને પછી હજારો વર્ષે એટલે કે લગભગ અગિયારમી સદીમાં અહીં પાછો વસવાટ થયો. રાંદેર તે વખતે સમૃદ્ધ નગર હતુ. તે તૂટીને સુરત વસ્યુ એમ લાગે છે. જૈન ગ્રંથોમાં પણ સૂર્યપુરનો ઉલ્લેખ મળી આવ્યો છે. એટલે અગિયારમી સદી પહેલા નષ્ટ થયેલું શહેર તે સૂર્યપુર ને તે પછી નવું વસ્યુ તે સુરત એમ માનીને ચાલીએ તો ખોટું નથી.

