સુપ્રીમ કોર્ટે સંજય કપૂર મિલકત વિવાદ પર પરિવારને ચેતવણી આપતા કહ્યું કે, 'આપણે ખાલી હાથે આવ્યા હતા, અને ખાલી હાથે જ જવાનું છે..'

સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સંજય કપૂર સાથે સંકળાયેલા એસ્ટેટ અને કૌટુંબિક ટ્રસ્ટ વિવાદના કિસ્સામાં, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જ્યાં સુધી પરિવાર વચ્ચે ચાલી રહેલી મધ્યસ્થી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી, કોઈપણ પક્ષે સમાધાનના પ્રયાસોને જોખમમાં મૂકી શકે તેવું કોઈ પગલું ન લેવું જોઈએ. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તે મધ્યસ્થીની પ્રગતિ પર વ્યક્તિગત રીતે દેખરેખ રાખશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ સમયગાળા દરમિયાન પાલન અંગે કોઈ દબાણ લાવી શકશે નહીં.

25

સંજય કપૂરની માતા, રાની કપૂરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ મામલો પહેલાથી જ મધ્યસ્થી માટે મોકલવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં જો સતત બોર્ડ મીટિંગ્સ અને વહીવટી નિર્ણયો લેવાતા રહ્યા તો વિવાદ વધુ વધી શકે છે. રાની કપૂરના વકીલે દલીલ કરી હતી કે, આવી મીટિંગ્સ ફેમિલી ટ્રસ્ટ અને તેની સાથે સંકળાયેલી સંપત્તિઓને અસર કરી શકે છે, જે મધ્યસ્થી પ્રક્રિયાને નબળી પાડે છે.

બીજી બાજુ, પ્રિયા કપૂર અને અન્ય પક્ષોએ કોર્ટમાં દલીલ કરી હતી કે, આ મીટિંગ્સ નિયમો અનુસાર જ યોજાઈ હતી. તેમના વકીલોએ બતાવ્યું કે, બોર્ડ મીટિંગ્સ RBI માર્ગદર્શિકા અને કંપનીઓમાં ડિરેક્ટરોની નિમણૂકને નિયંત્રિત કરતા નિયમો અનુસાર બોલાવવામાં આવી હતી. આ ફક્તને ફક્ત કોર્પોરેટ ગવર્નન્સ સંબંધિત પ્રક્રિયા છે.

27

સુનાવણી દરમિયાન, જસ્ટિસ J.B. પારડીવાલાએ બંને પક્ષોને સલાહ આપતા કહ્યું, 'આપણે બધા ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જઈશું. આપણે ફક્ત આપણા આત્માને જ સાથે લઈ જઈશું. પરિવારના દરેક વ્યક્તિના મનમાં આ મામલાનો ઉકેલ લાવવાની ઇચ્છા હોવી જોઈએ, અને કોઈએ ભારે હૃદયથી મધ્યસ્થીનો સંપર્ક ન કરવો જોઈએ.'

ખરેખર, રાની કપૂરે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે સંજય કપૂરની ત્રીજી પત્ની, પ્રિયા સચદેવ કપૂર અને અન્ય ઘણા પક્ષોને RK ફેમિલી ટ્રસ્ટના મામલામાં દખલ કરતા અટકાવવામાં આવે. તેઓ દલીલ કરે છે કે, કોર્ટે 7 મેના રોજ આ મામલે મધ્યસ્થી શરૂ કરી હતી, અને આ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે કોઈ વહીવટી નિર્ણયો લેવા જોઈએ નહીં.

26

આ ઉપરાંત, રાની કપૂરે 8 મેના રોજ રઘુવંશી ઇન્વેસ્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બહાર પડાયેલી નોટિસને પણ પડકાર્યો હતો. આ નોટિસમાં 18 મેના રોજ કંપનીની બોર્ડ મીટિંગ બોલાવવાની માંગ કરવામાં આવી હતી. રાની કપૂરે કોર્ટને મીટિંગ પર સ્ટે મૂકવાની વિનંતી કરી, એવી દલીલ કરી કે કંપની પાસે ઘણી બધી કૌટુંબિક સંપત્તિ છે અને આ સમય દરમિયાન લેવામાં આવેલ કોઈપણ નિર્ણય વિવાદને વધારી શકે છે.

About The Author

Related Posts

Top News

પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી હતી. T20 સીરિઝની ત્રીજી મેચમાં વૈભવે ...
Sports 
પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો વૈભવ સૂર્યવંશી... પરંતુ કોચ VVS લક્ષ્મણે જણાવી તેના સૌથી મોટી નબળાઇ

કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

NEET (UG) પરીક્ષામાં ગેરરીતિઓ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતમાં પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે ઇન્ફોસિસના...
National 
કોણ છે નંદન નીલેકણિ, જેમને સોંપવામાં આવી પરીક્ષા સુધારાની જવાબદારી

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.