એર ઈન્ડિયા 787-8 ડ્રીમલાઇનરમાં ક્યાં હોય છે સીટ 11A, જેના પર બેઠા મુસાફરનો બચી ગયો જીવ

અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે. એર ઇન્ડિયાના આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ઘણા મુસાફરોના મોત થયા છે. જોકે, એક મુસાફર બચી ગયો છે. જે યાત્રીનો જીવ બચી ગયો છે, એ મુસાફર એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11 A પર બેઠો હતો. જો અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઇનર વિમાનની બેઠક વ્યવસ્થાની વાત કરીએ, તો તેમાં સૌથી આગળ તરફ બિઝનેસ ક્લાસ હોય છે. ત્યારબાદ, તેની પાછળ ઇકોનોમી ક્લાસ છે. આજ ઇકોનોમી ક્લાસની પહેલી લાઇનમાં, બારીવાળી સીટ નંબર 11 A છે, જેના પર બેઠો વ્યક્તિ આ અકસ્માતમાં બચી ગયો છે.

Air India Plane
economictimes.indiatimes.com

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11A પર બેઠેલા વ્યક્તિની ઓળખ રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. રમેશની ઉંમર 40 વર્ષ છે અને તે બ્રિટિશ નાગરિક છે. રમેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઇજાગ્રસ્ત છે, પરંતુ તે પોતાના પગ પર ચાલતો જોવા મળી રહ્યો છે. રમેશ સુરક્ષિત છે. જોકે, આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે.સાથે જ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેમનું પણ મોત થઈ ગયું છે.

Ahmedabad plan crash
ndtv.com

એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને 12 જૂનની સવારે 10:07 વાગ્યે નવી દિલ્હીથી ઉડાણ ભરી હતી અને 11:40 વાગ્યે અમદાવાદ પહોંચ્યું હતું. દિલ્હીથી અમદાવાદ વચ્ચે આ વિમાને AI 423 નંબરથી ઉડાણ ભરી હતી. ત્યારબાદ, જ્યારે આ જ વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાણ ભરે છે, ત્યારે ક્રેશ થઈ ગયું. આ ઘટના પર, ગુજરાત સરકારે કહ્યું છે કે આ અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તેમના શબોને ઓળખી શકવા મુશ્કેલ છે. એટલે, મૃતકોના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. આ શબોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્માએ મંગળવારે દારૂ કંપની ડિયાજિયો સ્કોટલેન્ડ સાથે સંકળાયેલા કથિત લાંચ કેસના સંદર્ભમાં કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમ...
National 
ન્યાયાધીશ સ્વર્ણકાંતા શર્માએ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના કેસમાંથી પોતાને અલગ કેમ કર્યા?

રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

IPL 2026માં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ કેપ્ટન રિયાન પરાગ ભારે મુશ્કેલીમાં ફસાઈ ગયો છે....
Sports 
રિયાન પરાગનું દર વખતનું છે... આ પહેલા 4 કોન્ટ્રોવર્સીમાં ફસાઈ ચૂક્યો છે

UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPECમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. UAE 1 મે...
Business 
UAE OPECમાંથી બહાર નીકળી ગયું, આનાથી ભારતને ફાયદો જ ફાયદો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -30-04-2026 વાર - ગુરુવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.