એર ઈન્ડિયા 787-8 ડ્રીમલાઇનરમાં ક્યાં હોય છે સીટ 11A, જેના પર બેઠા મુસાફરનો બચી ગયો જીવ

અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે. એર ઇન્ડિયાના આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ઘણા મુસાફરોના મોત થયા છે. જોકે, એક મુસાફર બચી ગયો છે. જે યાત્રીનો જીવ બચી ગયો છે, એ મુસાફર એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11 A પર બેઠો હતો. જો અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઇનર વિમાનની બેઠક વ્યવસ્થાની વાત કરીએ, તો તેમાં સૌથી આગળ તરફ બિઝનેસ ક્લાસ હોય છે. ત્યારબાદ, તેની પાછળ ઇકોનોમી ક્લાસ છે. આજ ઇકોનોમી ક્લાસની પહેલી લાઇનમાં, બારીવાળી સીટ નંબર 11 A છે, જેના પર બેઠો વ્યક્તિ આ અકસ્માતમાં બચી ગયો છે.

Air India Plane
economictimes.indiatimes.com

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11A પર બેઠેલા વ્યક્તિની ઓળખ રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. રમેશની ઉંમર 40 વર્ષ છે અને તે બ્રિટિશ નાગરિક છે. રમેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઇજાગ્રસ્ત છે, પરંતુ તે પોતાના પગ પર ચાલતો જોવા મળી રહ્યો છે. રમેશ સુરક્ષિત છે. જોકે, આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે.સાથે જ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેમનું પણ મોત થઈ ગયું છે.

Ahmedabad plan crash
ndtv.com

એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને 12 જૂનની સવારે 10:07 વાગ્યે નવી દિલ્હીથી ઉડાણ ભરી હતી અને 11:40 વાગ્યે અમદાવાદ પહોંચ્યું હતું. દિલ્હીથી અમદાવાદ વચ્ચે આ વિમાને AI 423 નંબરથી ઉડાણ ભરી હતી. ત્યારબાદ, જ્યારે આ જ વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાણ ભરે છે, ત્યારે ક્રેશ થઈ ગયું. આ ઘટના પર, ગુજરાત સરકારે કહ્યું છે કે આ અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તેમના શબોને ઓળખી શકવા મુશ્કેલ છે. એટલે, મૃતકોના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. આ શબોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.