એર ઈન્ડિયા 787-8 ડ્રીમલાઇનરમાં ક્યાં હોય છે સીટ 11A, જેના પર બેઠા મુસાફરનો બચી ગયો જીવ

અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટના ઘટી છે. એર ઇન્ડિયાના આ વિમાનમાં 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ઘણા મુસાફરોના મોત થયા છે. જોકે, એક મુસાફર બચી ગયો છે. જે યાત્રીનો જીવ બચી ગયો છે, એ મુસાફર એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11 A પર બેઠો હતો. જો અમદાવાદથી લંડન જઈ રહેલા 787-8 ડ્રીમલાઇનર વિમાનની બેઠક વ્યવસ્થાની વાત કરીએ, તો તેમાં સૌથી આગળ તરફ બિઝનેસ ક્લાસ હોય છે. ત્યારબાદ, તેની પાછળ ઇકોનોમી ક્લાસ છે. આજ ઇકોનોમી ક્લાસની પહેલી લાઇનમાં, બારીવાળી સીટ નંબર 11 A છે, જેના પર બેઠો વ્યક્તિ આ અકસ્માતમાં બચી ગયો છે.

Air India Plane
economictimes.indiatimes.com

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયા બોઇંગ 787-8 ડ્રીમલાઇનરની સીટ નંબર 11A પર બેઠેલા વ્યક્તિની ઓળખ રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે. રમેશની ઉંમર 40 વર્ષ છે અને તે બ્રિટિશ નાગરિક છે. રમેશનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઇજાગ્રસ્ત છે, પરંતુ તે પોતાના પગ પર ચાલતો જોવા મળી રહ્યો છે. રમેશ સુરક્ષિત છે. જોકે, આ ઘટનામાં ઘણા લોકોના મોત થયા છે.સાથે જ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ વિમાનમાં સવાર હતા, જેમનું પણ મોત થઈ ગયું છે.

Ahmedabad plan crash
ndtv.com

એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને 12 જૂનની સવારે 10:07 વાગ્યે નવી દિલ્હીથી ઉડાણ ભરી હતી અને 11:40 વાગ્યે અમદાવાદ પહોંચ્યું હતું. દિલ્હીથી અમદાવાદ વચ્ચે આ વિમાને AI 423 નંબરથી ઉડાણ ભરી હતી. ત્યારબાદ, જ્યારે આ જ વિમાન અમદાવાદથી લંડન માટે ઉડાણ ભરે છે, ત્યારે ક્રેશ થઈ ગયું. આ ઘટના પર, ગુજરાત સરકારે કહ્યું છે કે આ અકસ્માતમાં જે લોકોના મોત થયા છે, તેમના શબોને ઓળખી શકવા મુશ્કેલ છે. એટલે, મૃતકોના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. આ શબોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.