મહિલાએ પ્રેમીને દાહોદથી સુરત બોલાવ્યો અને પતિનું કાસળ કાઢી નાખ્યું

સુરતના ડિંડોલી વિસ્તારમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવનાર અને ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના પતિની હત્યા માટેનો પત્નીએ જ પ્લાન બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. દાહોદથી પત્નીએ પ્રેમીને સુરત બોલાવ્યો હતો અને પોતાના પ્રેમમાં અડચણરૂપ બનેલા પતિની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. આથી દાહોદથી આવેલા પ્રેમીએ રાતના સમયે ફૂટપાથ પર નિદ્રા માણી રહેલા પોતાની પ્રેમિકાના પતિને છાતીમાં ચપ્પુ મારી ફરાર થઈ ગયો હતો.

જે બાદ શ્રમજીવી યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા તે ત્યાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. તો બીજી તરફ પોલીસે આ ઘટનાને અંજામ આપનાર પત્ની અને તેના પ્રેમીની ધરપકડ પણ કરી લીધી છે.

ડિંડોલી સણિયા કણદે ગામ પાસે આવેલ આત્મીય સંસ્કારધામ સંકુલની બાંધકામ સાઈટમાં કામ કરતા શ્રમજીવી ખુમાનભાઈ મંગાભાઈ ભૂરિયા ગત 28 ડિસેમ્બરના રોજ વહેલી સવારે પોતાની પત્ની તથા બાળકી સાથે પતરાંના શેડમાં સૂતાં હતાં. તે સમયે ત્યાં ધાબળો ઓઢીને સૂતેલા ખુમાનભાઈ પર એક અજાણ્યો ઇસમ છાતીના ભાગે ચપ્પુથી હુમલો કરી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન આજુબાજુમાં રહેતા શ્રમજીવી મજૂરો જાગી ગયા હતા અને સિવિલ હોસ્પિટલ ખાતે ખુમાનભાઈને સારવાર અર્થે લઇ ગયા હતા. આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે ખુમાનભાઈની પત્ની ગીતાબેન દ્વારા ફરિયાદ નોંધાવવામાં હતી. જે ફરિયાદના આધારે પોલીસે હુમલો કરનાર સામે તપાસ હાથ ધરી હતી.

આ સમગ્ર મામલામાં સતર્કતાથી અને ગંભીરતાથી પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જેને લઇ શ્રમજીવી યુવક પર હુમલો થયો ત્યારે તેની આસપાસ રહેતા અન્ય શ્રમજીવી લોકોની પણ સુરતની ડિંડોલી પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસે ખુમાનભાઈની પત્ની ગીતાબેનની પણ આ સમગ્ર ઘટના અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં. ખુમાનભાઈની પત્નીના જવાબો પર પોલીસને શંકા ગઈ હતી આથી પોલીસે તેની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડી હતી અને તેણે ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, પોતાના પતિની હત્યાનો પ્લાન તેણે બનાવ્યો હતો.

પોલીસ આગળ ગુનાની કબૂલાત કરતાં પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચેક વર્ષથી તેનો તેના પતિના ગામના કૌટુંબિક ભાઈ લાલા ભૂરિયા સાથે પ્રેમસંબંધ છે. પ્રેમી લાલા ભૂરિયા તથા તે અને તેનો પતિ કોરોના લોકડાઉન સમયે સુરત શહેરમાં અલગ અલગ બાંધકામ સાઈટ પર સાથે મજૂરીકામ કરતાં હતાં. જે દરમ્યાન મારા પતિને અમારા બંનેના પ્રેમસંબંધ વિશે ખબર પડી ગઈ હતી. જેને કારણે તેમના ગામ બિલવાણ ખાતે તેના પતિ અને પ્રેમી વચ્ચે ગત રક્ષાબંધનના સમયે ઝઘડો થયો હતો. જે બાદ, પોતાના પતિ અને બાળકી સાથે તેઓ સુરત આવી ગયા હતા અને ડિંડોલીમાં સણિયા કણદે ખાતે આવેલી બાંધકામ સાઈટ આત્મીય સંસ્કારધામ સંકુલ પર તેઓ મજૂરીકામ કરતા હતા. જે દરમિયાન પોતાના પ્રેમી લાલા ભૂરિયાને ગીતાબેને ફોન કરીને દાહોદથી સુરત બોલાવી લીધો હતો અને પોતાના પ્રેમમાં અડચણરૂપ એવા પતિનો કાંટો કાઢી નાખવા માટે જણાવ્યું હતું.

પ્રેમી લાલા ભૂરિયા આ પ્લાન મુજબ સુરત આવી ગયો હતો અને સુરતમાં આવી તે બે દિવસ રોકાયો હતો. જે દરમ્યાન ખુમાનભાઈ જ્યારે ઊંઘમાં હોય ત્યારે જ તેમની હત્યા કરવાના બનાવવામાં આવેલા પ્લાનને અંજામ આપવા ગત 28 ડિસેમ્બરના રોજ ધાબળો ઓઢીને સૂતેલા ખુમાનભાઈ પર છાતીના ભાગે ચપ્પુનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી લાલા ભૂરિયા ફરાર થઈ ગયો હતો.

આ ઘટના બાબતે પોલીસને સમગ્ર હકીકત વિશે જાણકારી મળતા પોલીસે સૌપ્રથમ પત્ની ગીતા ભૂરિયાની તેના પતિને મારવાના કાવતરા બદલ ધરપકડ કરી હતી અને ત્યાર બાદ તેના પ્રેમી લાલા ભૂરિયાની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન મહિલાનો પ્રેમી અને ભોગ બનનારનો પિતરાઈ ભાઈ લાલા ભૂરિયાની પણ પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી લીધી હતી. બંનેની ધરપકડ કર્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.