અમદાવાદમાં પતિ મિત્રની વિધવા સાથે પ્રેમમાં પડતા પત્ની પહોંચી પોલીસ સ્ટેશન

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આક્ષેપ છે કે તેના પતિએ મિત્રના અવસાન બાદ તેની વિધવા પત્ની સાથે સંબંધ બાંધ્યા અને તેને પામવા માટે પત્ની પર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યો.

30 વર્ષીય મહિલાએ 2014માં લગ્ન કર્યા હતા. થોડા વર્ષો બાદ પતિનો સાબરમતી વિસ્તારમાં રહેતા મિત્રનું અવસાન થયું. ત્યારથી પતિ વારંવાર મૃતકની પત્નીને મળવા જતો હતો અને ધીમે ધીમે બંને વચ્ચે નજીકતા વધતા ખુલ્લેઆમ મળવા લાગ્યા. પત્નીએ આ બાબતે વિરોધ કર્યો ત્યારે પતિ ઝઘડો કરી તેને મારપીટ કરતો હતો.

love
news18.com

મહિલાના જણાવ્યા મુજબ, પતિ ઘરમાં સૌની સામે પ્રેમિકા સાથે ફોન પર વાત કરતો અને એક પ્રસંગે તે પ્રેમિકાના ઘરમાંથી રંગેહાથ ઝડપાયો હતો. આ ઘટના બાદ થયેલા ઝઘડામાં કંટાળી મહિલાએ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. છતાં પણ પતિએ દારૂના નશામાં તેના પિયરમાં જઈ ગાળાગાળી કરી, માર મારીને ઘરમાંથી કાઢી મુકવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

love2
divyabhaskar.co.in

અંતે કંટાળેલી મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો. પોલીસએ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી અંગે વિચારણા હાથ ધરવામાં આવી રહી છે.

આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે, જે સમાજ માટે ચિંતાજનક ગણાય છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.