- Gujarat
- આ વખતની મોદી સરકારમાં સી આર પાટીલને મંત્રી પદ મળશે?
આ વખતની મોદી સરકારમાં સી આર પાટીલને મંત્રી પદ મળશે?
By Khabarchhe
On

સી આર પાટીલ જ્યારથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી તેમણે ભાજપ માટે પ્રોત્સાહિક કામગીરી કરી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તેમણે ભાજપને ઐતિહાસિક જીત અપાવી અને ભાજપ 182માંથી 156 બેઠકો જીતી શક્યું. સી આર પાટીલ પોતે 3 ટર્મથી સાસંદ હતા અને આ વખતે ચોથી ટર્મમાં પણ સારી એવી લીડ સાથે જીત્યા.
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે તેમની ટર્મ જૂન 2023માં પુરી થઇ ત્યારે એવું માનવામાં આવતું હતું કે પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ અથવા મોદી સરકારમાં મંત્રી પદ મળી શકે છે., પરંતુ, એવું બન્યું નહીં. લોકસભા 2024ની ચૂંટણી આવતા તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રખાયા. લોકસભા 2024માં સી આર પાટીલે 26માંથી 25 બેઠકો જીતાડવામાં ભારે યોગદાન આપ્યું છે. એટલે આ વખતે તેમને મોદી સરકારમાં સ્થાન મળી શકે છે એવી શક્યતાઓ વધી ઉજળી બની છે.
Related Posts
Top News
Published On
કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી
Published On
By Dharmesh Kalsariya
હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'
Published On
By Kishor Boricha
બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Published On
By Kishor Boricha
મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.