ગુજરાતમાં ખેતીની જમીન કેમ ઘટી રહી છે? છેલ્લા 5 વર્ષનો આંકડો જાણીને ચોંકી જશો

ગ્રામીણ કક્ષાએ ખેતી અને પશુપાલન લોકોની જીવાદોરી છે. મોટાભાગના લોકો આના પર જ નિર્ભર હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીની જમીન સતત ઘટી રહી છે. તેના આંકડા જાણીને ચોંકી જશો. જો કે, આ પાછળના કેટલાક કારણો પણ છે.

અત્યારે વધતી જતી મોંઘવારીમાં શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણની દોડમાં ગુજરાતમાં ખેતીની જમીની સતત ઘટી રહી છે. gujarati.indianexpress.comના અહેવાલ મુજબ, છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખેતી લાયક જમીન અંદાજે 2.28 લાખ હેક્ટર કે 1.83 ટકા ઘટી ગઇ છે. એક બાજુ ખેતીની જમીન ઘટી છે અને બાજુ ખેતીની જમીન વેચનાર ખેડૂતો મજૂરી કરવા મજબૂર થયા છે. ખેતી મોંઘી થતાં ખેડૂતો ખેતીલાયક જમીનો વેચી રહ્યાં છે જેથી ગુજરાતમાં આ સ્થિતિનું નિર્માણ થયું છે.

Farmer
gemini.google.com

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 1.83 ટકા ખેતીલાયક જમીન ઘટી છે. લોકસભામાં રજૂ કરાયેલા લેન્ડ યુઝ સ્ટેટિસ્ટિક્સ આંકડામાં આ ચોંકાવનારી વિગત સામે આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ ગુજરાતમાં ગુજરાતમાં વર્ષ  2021-22 ખેતી લાયક જમીન 124.62 લાખ હેક્ટર હતી, જે વર્ષ 2022-23માં ઘટીને 123.68 લાખ હેક્ટર થઇ ગઇ. વર્ષ 2023-24માં આ જમીન હજી વધારે ઘટીને 123.17 લાખ હેક્ટર થઇ ગઇ, તો વર્ષ 2024-25માં ખેતી લાયક જમી122.38 લાખ હેક્ટર થઇ ગઇ. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં 2.28 લાખ હેક્ટર ખેતી લાયક જમીન ઘટી ગઇ છે.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સરકારી અહેવાલ મુજબ વર્ષ 2020-21માં રાજ્યમાં 124.62 લાખ હેક્ટર ખેતીલાયક જમીન હતી, જે વર્ષ 2024-25 સુધીમાં ઘટીને માત્ર 122.38 લાખ હેક્ટર રહી ગઈ છે. જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો સાબરકાંઠામાં સૌથી વધુ 43.72 ટકા અને જામનગરમાં 40.61 ટકા અને વડોદરામાં 38.18 ટકા ખેતીની જમીન ઓછી થઈ છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં 71,786 હેક્ટર જમીન બિન-ખેતીમાં ફેરવાઈ ગઈ છે.

ખેતીની જમીન ઘટવા પાછળ ઝડપી શહેરીકરણ મુખ્ય જવાબદાર પરિબળ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મેટ્રો શહેરોની સરહદો સતત વિસ્તરી રહી છે. હાઉસિંગ પ્રોજેક્ટ્સના કારણે ખેડૂતો ઊંચી કિંમતે ખેતીલાયક જમીનો વેચી રહ્યા છે.

farmer
gemini.google.com

સરકારી આંકડા મુજબ ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ ઘટાડો થયો છે. સાબરકાંઠામાં 43.72 ટકા અને જામનગરમાં 40.61 ટકા અને વડોદરામાં 38.18 ટકા ખેતીની જમીન ઓછી થઈ છે. તો અમદાવાદ જિલ્લામાં 71,786 હેક્ટર ખેતીની જમીનને બિન ખેતીમાં ફેરવામાં આવી છે.

મહત્ત્વનું કારણ એ પણ છે, હવે બિયારણ, ખાતર અને મજૂરીના વધતા ખર્ચ સામે ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી. આ જોતાં ખેડૂતોને ખેતી પોષાય તેમ નથી જેથી તેઓ ખેતીલાયક જમીન વેચી રહ્યાં છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર રૂ. 12,631 છે જેના કારણે નવી પેઢી ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ વળી રહી છે.

ગુજરાત મોડેલમાં ઉદ્યોગોને પ્રાથમિકતા મળતા હાઈવે ટચ ખેતીની જમીનો ફેક્ટરીઓ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન અને લોજિસ્ટિક પાર્કમાં ફેરવાઈ રહી છે. આ ઉપરાંત કચ્છ, સુરત જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જમીનમાં ખારાશ વધી રહી છે. રાસાયણિક ખાતરોના અતિશય વપરાશને લીધે પણ હજારો હેક્ટર જમીન બિન-ઉપજાઉ બની છે.

દરિયાઈ ખારાશ અને જમીનનું ધોવાણ : દરિયાઇ ખારાશના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેતી લાયક જમીનનું પ્રમાણ ઘટ્યું છે. ઉપરાંત પુરના કારણ જમીનનું ધોવાણ થવાથી પણ ખેતી લાયક જમીન ઘટી રહી છે.  ખેતી લાયક જમીન ઘટવાનું સૌથી મુખ્ય કારણ ખેતી માંથી ઓછી આવક છે. કૃષિ પાકોના ઉત્પાદન બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. જેના કારણે ખેતી હવે ખોટનો ધંધો બની ગયો છે. ખેડૂતોમાં ખેતી કરવાનો ઉત્સાહ ઓછો થઇ રહ્યો છે.

farmer
gemini.google.com

એક બાજુ બિયારણ અને જંતુનાશકોની કિંમત વધવાની સાથે સાથે ખેત મજૂરોનું મજૂરી પણ વધી છે. ગુજરાતમાં ખેડૂત પરિવારની સરેરાશ માસિક આવક માત્ર ₹ 2,631 છે, જે આજના મોંઘવારીના સમયમાં અત્યંત ઓછી છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ખેતી માંથી પુરતું વળતર ન મળતા ખેતીની જમીન વેચી રહ્યા છે.

કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે, જો ગુજરાતમાં જમીન બિન-ખેતી થવાનો આ ટ્રેન્ડ ન રોકાયો, તો આગામી સમયમાં નાના ખેડૂતો ખેતમજૂર બની જશે અને ધાન્ય પાકોની તીવ્ર અછત સર્જાઈ શકે છે. સરકાર દ્વારા જે રીતે બેફામ નોન એગ્રીકલ્ચરને મંજૂરી આપવામાં આવે છે તેનાથી ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. તંત્ર દ્વારા આ મામલે નિયંત્રણ નહીં લેવામાં આવે તો સ્થિતિ વણસી શકે છે.

About The Author

Related Posts

Top News

Atherએ 200 કિલોમીટર રેન્જ ધરાવતું નવું Ather Konarc EV સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત છે આટલી

Ather Energyએ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદદારો માટે નવું Ather Konarc લોન્ચ કર્યું છે. કંપનીએ તેને ખાસ કરીને કૌટુંબિક ઉપયોગ અને...
Tech and Auto 
Atherએ 200 કિલોમીટર રેન્જ ધરાવતું નવું Ather Konarc EV સ્કૂટર લોન્ચ કર્યું, કિંમત છે આટલી

ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ

શ્રી ચલથાણ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડ (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત એક વીમા કંપની વિરુદ્ધ દાખલ કરાવેલ ફરિયાદની વિગત...
Gujarat 
ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 30-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ કોંગ્રેસ સાંસદના અવસાન પર તેમના પરિવારને સાંત્વના આપવા ગયેલા BJPના 3 સાંસદોને નીતિન નબીને ઠપકો આપ્યો

પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારના નિધન બાદ તેમના પરિવારને સાંત્વના આપવા અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલા દિલ્હીના 3 ભાજપ લોકસભા સાંસદોને...
Politics 
પૂર્વ કોંગ્રેસ સાંસદના અવસાન પર તેમના પરિવારને સાંત્વના આપવા ગયેલા BJPના 3 સાંસદોને નીતિન નબીને ઠપકો આપ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.