ભારતમાં વધશે કેન્સરનો પ્રકોપ, ICMRએ આપી ચેતવણી, જણાવ્યા આ કારણો

દેશમાં આવનારા ત્રણ વર્ષોમાં કેન્સર ઝડપથી વધવાનું છે. આ દાવો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કર્યો છે. ICMR એ 2025 સુધી કેન્સરના કેસોમાં 12.7 ટકાનો વધારો થવાની વાત કહી છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કેન્સરના વધતા આંકડાને જોતા વિશેષજ્ઞોએ આ દાવો કર્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, 2020માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેન્સરના અંદાજિત મામલા 2020માં 13.92 લાખ હતા જે 2021માં વધીને 14.26 લાખ થયા અને 2022માં વધીને 14.61 લાખ પર પહોંચી ગયા હતા.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, દેશમાં હૃદય રોગ અને શ્વાસની બીમારીઓ જ નહીં પરંતુ, કેન્સરના મામલા પણ વધી રહ્યા છે. કેન્સરના વધતા પ્રસાર માટે ઘણા પ્રકારના ફેક્ટર્સ જવાબદાર છે જેમા વધતી ઉંમર, જીવનશૈલીમાં બદલાવ, વ્યાયામ અને પૌષ્ટિક આહારની કમી સામેલ છે. ઘણીવાર લોકોને કેન્સરના લક્ષણોની પૂરી જાણકારી નથી હોતી, જેને કારણે સમય પર તેમનામાં બીમારીની જાણકારી મળી નથી શકતી અને સારવારમાં પણ વિલંબ થઈ જાય છે. જલ્દી સારવાર ના મળવાના કારણે કેન્સર વધી જાય છે. આથી લોકોની વચ્ચે કેન્સર અંગે જાગૃતતા ફેલાવવી પણ ખૂબ જ જરૂરી છે.

છેલ્લાં કેટલાક વર્ષોના આંકડાઓ અનુસાર, ભારતમાં પુરુષોમાં સૌથી વધુ મોઢાં અને ફેફસા કેન્સરના મામલા સામે આવે છે. જ્યારે મહિલાઓમાં સૌથી વધુ મામલા બ્રેસ્ટ અને ગર્ભાશયના કેન્સરના રહ્યા. બેંગલુરુ સ્થિત ICMR નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઈન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) અનુસાર, 2015થી 2022 સુધી તમામ પ્રકારના કેન્સરના આંકડામાં આશરે 24.7 ટકાનો વધારો થયો છે. 14 વર્ષની ઉંમરના બાળકોમાં લિમ્ફોઈડ લ્યુકેમિયા એટલે કે બ્લડ સાથે સંકળાયેલા કેન્સર થવાનું જોખમ વધુ હોય છે. કેન્સરથી બચવા માટે તેના વિશે જાગૃતતા ફેલાવવી જરૂરી છે.

કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટો ઓન્કોલોજિસ્ટ ડૉ. સુહાસ આગ્રેના જણાવ્યા અનુસાર, વૃદ્ધાવસ્થા, ફેમિલી હિસ્ટ્રી, જેનેટિક્સ, મેદસ્વિતા, તંબાકુનું સેવન, દારૂ, વાયરલ સંક્રમણ જેવા હ્યુમન પેપિલોમાવાયરસ (HPV), વાતાવરણમાં કેમિકલ્સ, પ્રદૂષણ, સૂર્યના હાનિકારક યુવી કિરણોનો સંપર્ક, ખરાબ આહાર, શારીરિક ગતિવિધિની ઉણપ અને કેટલાક હોર્મોન અને બેક્ટેરિયા આ ભયાનક બીમારીના ફેલાવાના કારણોમાં સામેલ છે. આ બીમારીથી બચવા માટે જરૂરી છે કે, કેન્સરના લક્ષણ દેખાતા જ તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

જૈન મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલના સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. તનવીર અબ્દુલ મજીદ કહે છે, ભારતમાં કેન્સરના મામલા વધી રહ્યા છે. કેન્સર માત્ર વધુ આબાદી અથવા વયસ્કોને જ પ્રભાવિત કરી રહ્યો છે એવુ નથી પરંતુ, નાની ઉંમરના યુવાનોને પણ પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. કેન્સરનું સમય પર નિદાન અને સારવાર ના મળવા પર માણસનું મોત થઈ જાય છે. ભારતમાં પુરુષોમાં સૌથી સામાન્ય મોઢાનું કેન્સર, ફેફસા, માથુ અને પ્રોસ્ટેટિક કેન્સર છે જ્યારે મહિલાઓમાં બ્રેસ્ટ અને ગર્ભાશય ગ્રીવાનું કેન્સર સૌથી સામાન્ય છે.

ડૉ. સુહાસ આગ્રે કહે છે, લોકોએ કેન્સરથી બચવા માટે તંબાકૂ અને દારૂથી દૂર રહેવુ જોઈએ. સંતુલિત આહાર લેવો જોઈએ અને દરરોજ વ્યાયામ કરવો જોઈએ. હેપેટાઈટિસ બી, હ્યુમન પેપિલોમાવાયરસ માટે વેક્સીન મુકાવો. નિયમિત સ્ક્રીનિંગ અને પ્રદૂષણથી દૂર રહેવુ પણ જરૂરી છે. જો કોઈની ફેમિલી હિસ્ટ્રીમાં આ બીમારી રહી હોય તો તે પરિવારના સભ્યોએ તરત જ પોતાની તપાસ કરાવવી જોઈએ.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.