1400 કરોડની ઓફર નકારી, ભારતમાં પ્લાસ્ટિકના કચરાથી બનાવ્યા રસ્તા

કચરાના રૂપમાં આપણી આસપાસ મોજૂદ પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું નુક્સાનદાયી છે એ કોઇનાથી છુપુ નથી. એજ કારણ છે કે દુનિયામાં દરેક સ્તરે એવી કોશિશ કરવામાં આવી રહી છે કે પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરવામાં આવે, જેથી ફરી તેનો ઉપયોગ કરી શકાય. આ દિશામાં મદુરાઇના એક પ્રોફેસરે વર્ષો સુધી કામ કર્યું અને પ્લાસ્ટિક વેઇસ્ટમાંથી રસ્તાઓ બનાવવાનો આઇડ્યા આખી દુનિયાને આપી દીધો. જેને લોકો પ્લાસ્ટિક મેન ઓફ ઈન્ડિયાના નામથી પણ જાણે છે. આ પ્રખ્યાત વ્યક્તિને ભારત સરકારે તેમના કામ માટે પદ્મશ્રીથી સન્માનિત પણ કર્યા છે.

પ્લાસ્ટિકના કચરામાંથી રસ્તા બનાવનાર આ પ્રોફેસરનું નામ છે રાજગોપાલન વાસુદેવન. જે મદુરાઈની એક કોલેજના કેમેસ્ટ્રી પ્રોફેસર છે. 2002માં તેમણે થિએગરાજાર કોલેજના પરિસરમાં પ્લાસ્ટિકના કચરાથી રસ્તો બનાવ્યો હતો. લગભગ 10 વર્ષની મહેનત પછી તેમની આ ટેક્નિકને માન્યતા મળી.

તેમના આ આઈડિયા વિશે જ્યારે દુનિયાને જાણ થઇ તો વાસુદેવનનો આ આઈડિયા ખરીદવાની કોશિશ થઇ. પણ તેમણે કોઇપણ રીતના પૈસા વિના આ ટેક્નિક ભારત સરકારને સોપ્યો. જેની મદદથી હજારો કિમી સુધીના રસ્તા બનાવાયા છે.

અમેરિકાની 1400 કરોડની ઓફર નકારી

તેમની આ ટેક્નિક ખરીદવા માટે અમેરિકાએ વાસુદેવનને 1400 કરોડ રૂપિયા ઓફર કર્યા હતા. પણ તેમણે આ ઓફર નકારી અને આ આઈડિયા અને ઈનોવેશન વાસુદેવને ભારત સરકારને ફ્રીમાં આપી દીધું.

તેમના આ આઈડિયાથી પ્રેરિત થઇને માર્ગ પરિવહન મંત્રાલયે એક મિશન શરૂ કર્યું. જેના હેઠળ પ્લાસ્ટિકના કચરાના મેનેજમેન્ટ માટે દેશમાં 26 હજાર લોકોને અભિયાનમાં સામેલ કરવામાં આવ્યા. ભારતમાં પહેલાથી જ પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનેલ લગભગ 100000 કિમીના રસ્તા મોજૂદ છે.

આખી દુનિયા કરે છે આ ટેક્નિકનો ઉપયોગ

ભારત જ નહીં બલ્કે દુનિયાભર તેમની આ ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ઈન્ડોનેશિયાના બાલી, સર્બિયા, બેકાસી, મકસાર સહિત ઘણી જગ્યાએ પ્લાસ્ટિક-ડામર મિશ્રણનો ઉપયોગ કરીને રસ્તા બનાવવામાં આવી રહ્યા છે.

નેધરલેન્ડમાં સાઇકલ ચલાવનારાઓ માટે ડચ કંપની વર્કર સેલ દ્વારા પ્લાસ્ટિકના રસ્તાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કડીમાં યૂકે જાહેર કરી ચૂક્યું છે કે તે પ્લાસ્ટિક રોડ ટેક્નિકના પરીક્ષણ માટે 1.6 મિલિયન પાઉન્ડનું રોકાણ કરશે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.