ભારતની 90 ટકા સ્ત્રીઓમાં વિટામિન Dની ઉણપ! સ્ટડી પરથી નીકળ્યા તારણો

ભારત દેશની અંદર જરૂર પૂરતો સૂર્ય પ્રકાશ મળી રહે છે, એટલે કે દેશવાસીઓને જરૂરી તડકો મળી રહે છે, છતાં પણ આ દેશની વસ્તીમાં, ખાસ કરીને સ્ત્રીઓમાં વિટામિન Dની ઉણપ સૌથી વધારે જોવા મળે છે. કરવામાં આવેલા ઘણા અભ્યાસો અનુસાર, દેશમાં લગભગ 80થી 90 ટકા સ્ત્રીઓ વિટામિન Dની ઉણપથી પીડાય રહી છે. આના મુખ્ય કારણોમાં સૂર્યના તડકામાં ઓછું નીકળવું, આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરવા અને ખાવામાં વિટામિન Dથી ભરપૂર વસ્તુઓનો અભાવ છે.

જ્યારે શરીરમાં વિટામિન Dનું સ્તર 20 ng/mLથી નીચે આવે છે, ત્યારે તેને ઉણપ માનવામાં આવે છે. 12 ng/mLથી નીચેનું સ્તર ગંભીર માનવામાં આવે છે અને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. 30 ng/mL કે તેથી વધુનું સ્તર સ્વસ્થ માનવામાં આવે છે.

Vitamin-D-Deficiency
boldsky.com

પીઠ, કમર, હિપ્સ, પગ અથવા છાતીની પાંસળીઓમાં ઊંડો દુખાવો થવો વિટામિન Dની ઉણપનો સંકેત હોઈ શકે છે. આની ઉણપથી હાડકાં નબળા અને નરમ બનાવ લાગે છે, જેને ઓસ્ટિઓમલેશિયા કહેવાય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હાડકાં તૂટવાનું જોખમ વધારે રહેતું હોય છે. ઘણીવાર વધતી ઉંમરને આ દુખાવાનું કારણ માની લેવામાં આવે છે, પરંતુ તેનું વાસ્તવિક કારણ કેલ્શિયમ અને વિટામિન Dનો અભાવ હોય છે.

Vitamin-D-Deficiency3
onlymyhealth.com

વિટામિન D મગજમાં ખુશ રહેવાના હોર્મોન સેરોટોનિનને સંતુલિત કરે છે. આ હોર્મોન ન હોવાને કારણે ચીડિયાપણું, ઉદાસી, ચિંતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી તરફ દોરી શકે છે. આ સાથે અનિદ્રા અથવા વારંવાર ઊંઘમાંથી ઉઠી જવું પણ સામાન્ય સમસ્યાઓ છે. તડકામાં ઓછું નીકળવું, રાત્રિ શિફ્ટમાં કામ કરવું અને પ્રદૂષણ આ સમસ્યાને વધુ વધારી દે છે.

Vitamin-D-Deficiency2
healthkart.com

વારંવાર શરદી, ઉધરસ, અથવા ફ્લૂ, અને બીમારીમાંથી સ્વસ્થ થવામાં વાર લાગવી વગેરે શરીરમાં નબળી રોગપ્રતિકારક શક્તિ હોવાનો સંકેત છે. ઘા પણ જલ્દીથી સારો થતો નથી. વિટામિન Dની ઉણપ ધરાવતી સ્ત્રીઓના બાળકોમાં પણ હાડકા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

વધુ પડતા વાળ ખરવા, કારણ વગર વજન વધવું, વધુ પડતો પરસેવો થવો અથવા બ્લડ પ્રેશરમાં વધારો થવો, દાંતમાં સડો થવો અથવા પેઢામાંથી લોહી નીકળવું, હાથ અને પગમાં ઝણઝણાટી, ત્વચા પીળી પડી જવી અથવા ભૂખ ઓછી લાગવી, એ બધા લક્ષણો વિટામિન Dની ઉણપ તરફ નિર્દેશ કરે છે અને તેને અવગણવા જોઈએ નહીં.

Vitamin-D-Deficiency4
onlymyhealth.com

સૌપ્રથમ, તમારા શરીરમાં વિટામિન Dનું સ્તર નક્કી કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો. તમારા ડૉક્ટરની ભલામણ મુજબ વિટામિન D સપ્લિમેન્ટ લો. તમારા હાથ અને ચહેરો ખુલ્લા રાખીને દરરોજ 10 થી 30 મિનિટ સુધી બપોરે તડકામાં બેસો. આ ઉપરાંત, તમારા ખાવામાં ઈંડા, માછલી, ફોર્ટિફાઇડ દૂધ, દહીં અને પનીરનો સમાવેશ કરો.

About The Author

Related Posts

Top News

36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન જોવા મળી રહ્યું છે. 'Gen-Z' આંદોલન બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીના પરિણામોમાં કાઠમંડુ મહાનગરના પૂર્વ મેયર...
World 
36 વર્ષનો યુવક બનશે નેપાળનો PM, Gen-Zના ફેવરિટ એન્જિનિયર-રેપર બાલેન શાહ વિશે જાણો

સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સેમીફાઇનલમાં ભારત સામેની હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક ખૂબ જ નિરાશ...
Sports 
સેમીફાઇનલમાં હાર બાદ ઇંગ્લિશ કેપ્ટને જણાવ્યું- કંઈ ભૂલે વર્લ્ડ કપ બહાર કર્યું

ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. રાજ્યમાં ગરમીનું જોર વધવાની સાથે જ હવામાન...
Gujarat 
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: એકબાજુ પારો 40 ડિગ્રીને વટાવશે, તો બીજીબાજુ અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

ગુજરાતના સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત ખાદ્ય સુરક્ષા વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન...
Gujarat 
સુરતમાં 1400 કિલો નકલી પનીર પકડાયું, પામ ઓઈલ, કેમિકલથી બનાવતા, કેવી રીતે ઓળખવું?

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.