ભારતની 90 ટકા સ્ત્રીઓમાં વિટામિન Dની ઉણપ! સ્ટડી પરથી નીકળ્યા તારણો

ભારત દેશની અંદર જરૂર પૂરતો સૂર્ય પ્રકાશ મળી રહે છે, એટલે કે દેશવાસીઓને જરૂરી તડકો મળી રહે છે, છતાં પણ આ દેશની વસ્તીમાં, ખાસ કરીને સ્ત્રીઓમાં વિટામિન Dની ઉણપ સૌથી વધારે જોવા મળે છે. કરવામાં આવેલા ઘણા અભ્યાસો અનુસાર, દેશમાં લગભગ 80થી 90 ટકા સ્ત્રીઓ વિટામિન Dની ઉણપથી પીડાય રહી છે. આના મુખ્ય કારણોમાં સૂર્યના તડકામાં ઓછું નીકળવું, આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરવા અને ખાવામાં વિટામિન Dથી ભરપૂર વસ્તુઓનો અભાવ છે.

જ્યારે શરીરમાં વિટામિન Dનું સ્તર 20 ng/mLથી નીચે આવે છે, ત્યારે તેને ઉણપ માનવામાં આવે છે. 12 ng/mLથી નીચેનું સ્તર ગંભીર માનવામાં આવે છે અને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. 30 ng/mL કે તેથી વધુનું સ્તર સ્વસ્થ માનવામાં આવે છે.

Vitamin-D-Deficiency
boldsky.com

પીઠ, કમર, હિપ્સ, પગ અથવા છાતીની પાંસળીઓમાં ઊંડો દુખાવો થવો વિટામિન Dની ઉણપનો સંકેત હોઈ શકે છે. આની ઉણપથી હાડકાં નબળા અને નરમ બનાવ લાગે છે, જેને ઓસ્ટિઓમલેશિયા કહેવાય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હાડકાં તૂટવાનું જોખમ વધારે રહેતું હોય છે. ઘણીવાર વધતી ઉંમરને આ દુખાવાનું કારણ માની લેવામાં આવે છે, પરંતુ તેનું વાસ્તવિક કારણ કેલ્શિયમ અને વિટામિન Dનો અભાવ હોય છે.

Vitamin-D-Deficiency3
onlymyhealth.com

વિટામિન D મગજમાં ખુશ રહેવાના હોર્મોન સેરોટોનિનને સંતુલિત કરે છે. આ હોર્મોન ન હોવાને કારણે ચીડિયાપણું, ઉદાસી, ચિંતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી તરફ દોરી શકે છે. આ સાથે અનિદ્રા અથવા વારંવાર ઊંઘમાંથી ઉઠી જવું પણ સામાન્ય સમસ્યાઓ છે. તડકામાં ઓછું નીકળવું, રાત્રિ શિફ્ટમાં કામ કરવું અને પ્રદૂષણ આ સમસ્યાને વધુ વધારી દે છે.

Vitamin-D-Deficiency2
healthkart.com

વારંવાર શરદી, ઉધરસ, અથવા ફ્લૂ, અને બીમારીમાંથી સ્વસ્થ થવામાં વાર લાગવી વગેરે શરીરમાં નબળી રોગપ્રતિકારક શક્તિ હોવાનો સંકેત છે. ઘા પણ જલ્દીથી સારો થતો નથી. વિટામિન Dની ઉણપ ધરાવતી સ્ત્રીઓના બાળકોમાં પણ હાડકા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે.

વધુ પડતા વાળ ખરવા, કારણ વગર વજન વધવું, વધુ પડતો પરસેવો થવો અથવા બ્લડ પ્રેશરમાં વધારો થવો, દાંતમાં સડો થવો અથવા પેઢામાંથી લોહી નીકળવું, હાથ અને પગમાં ઝણઝણાટી, ત્વચા પીળી પડી જવી અથવા ભૂખ ઓછી લાગવી, એ બધા લક્ષણો વિટામિન Dની ઉણપ તરફ નિર્દેશ કરે છે અને તેને અવગણવા જોઈએ નહીં.

Vitamin-D-Deficiency4
onlymyhealth.com

સૌપ્રથમ, તમારા શરીરમાં વિટામિન Dનું સ્તર નક્કી કરવા માટે બ્લડ ટેસ્ટ કરાવો. તમારા ડૉક્ટરની ભલામણ મુજબ વિટામિન D સપ્લિમેન્ટ લો. તમારા હાથ અને ચહેરો ખુલ્લા રાખીને દરરોજ 10 થી 30 મિનિટ સુધી બપોરે તડકામાં બેસો. આ ઉપરાંત, તમારા ખાવામાં ઈંડા, માછલી, ફોર્ટિફાઇડ દૂધ, દહીં અને પનીરનો સમાવેશ કરો.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.