GI ટેગ મેળવનાર અમલસાડી ચીકુમાં શું ખાસ છે? જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે

તાજેતરમાં અમલસાડી ચીકુને GI ટેગ મળ્યો છે. GI એટલે (Geographical Indication) 'જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન' ટેગ, ખેડૂતો તેનાથી ખુબ જ ખુશ છે. આનાથી દેખાવમાં નરમ અને મુલાયમ છાલવાળા આ ફળને વિશ્વના બજાર સુધી પહોંચવામાં મદદ મળશે. બીજા બધા ચીકુની જેમ, તેના ફાયદા અસંખ્ય છે. તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તે પાચનમાં સુધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચહેરાનો ગ્લો વધારે છે. હવે સવાલ એ છે કે અમલસાડી ચીકુના ફાયદા શું છે? અમલસાડના ચીકુમાં કયા પોષક તત્વો હોય છે? આવો અમે તમને એના વિશે જણાવી દઈએ...

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, તેમાં ફાઇબરની સાથે વિટામિન A, B, C, E, કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ બધા તત્વો આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. અમલસાડી ચીકુ વિશે વાત કરીએ તો, તે તેની અસાધારણ મીઠાશ, સુંદર રચના અને સારી શેલ્ફ લાઇફ માટે જાણીતું છે. GI ટેગ પુષ્ટિ કરે છે કે તે અનોખું અને ગુણોથી ભરપૂર છે. અમલસાડ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલું છે.

02

સંશોધન મુજબ, તેમાં રહેલા વિટામિન A, B, C, E, કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ સહિત ઘણા પોષક તત્વો હાડકાં અને ફેફસાં સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં તેમજ પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં, તે આંખોની રોશની જાળવવામાં પણ ફાયદાકારક છે.

હવે આ ટેગ સ્થાનિક ખેડૂતોને આર્થિક લાભ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાની આશા છે. GI ટેગ કોઈપણ ઉત્પાદનને તેની ગુણવત્તા સાથે સંબંધિત દરજ્જો આપે છે. જેમ કે બનારસી સાડી કે ગયાના સિલાવ ખાજાની જેમ. આ ટેગ સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોને આર્થિક લાભ પૂરો પાડે છે અને ગ્રાહકોને ખાતરી પણ આપે છે કે, તેઓ વાસ્તવિક અને ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ ખરીદી રહ્યા છે.

03

અમલસાડ ચીકુ અથવા સપોડિલા, GI ટેગ મેળવનારી ગુજરાતની 28મી વસ્તુ બની ગઈ છે. અમલસાડ ચીકુના GI વિસ્તારમાં ગણદેવી તાલુકાના 51 ગામો, જલાલપોર તાલુકાના 6 ગામો અને નવસારી તાલુકાના 30 ગામોનો સમાવેશ થાય છે, જે કુલ ઉત્પાદનમાં 30 ટકા ફાળો આપે છે.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.