1984થી નાણા મંત્રીઓ ક્યાં તો ચૂંટણી લડ્યા નથી અને લડ્યા તો હારી ગયા છે

ભારતના રાજકારણનો એક રોચક ઇતિહાસ સામે આવ્યો છે. 1980 સુધી નાણા મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડતા હતા અને જીતતા હતા, પરંતુ 1984 પછી એકાદ અપવાદ બાદ કરતા એવું જોવા મળ્યું છે કે ક્યાં તો નાણા મંત્રીઓએ ચૂંટણી લડવાની ના જ પાડી છે અને લડ્યા હોય તો પછી હારી ગયા છે.

1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઇ એ પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં આર.વેંકટ રમણ અને પ્રણવ મુખર્જિએ લોકસભા લડવાની ના પાડેલી. રાજીવ ગાંધીની સરકારમાં 1989માં લોકસભાની ચૂંટણી વખતે શંકર ચવ્હાણ નાણા મંત્રી હતા અને તેમણે ચૂંટણી લડવાની ના પાડેલી.

1991માં નરસિંહ રાવની સરકારમાં ડો. મનમોહન સિંહ નાણા મંત્રી હતા, તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડેલી. 1999-2004માં અટલ બિહાર વાજપેયીની સરકારમાં 2 નાણા મંત્રી બન્યા હતા. જશવંત સિંહ 3 વર્ષ માટે અને 2 વર્ષ માટે યશવંત સિંહા હતા. જશવંત સિંહે ચૂંટણી લડવાની ના પાડેલી, પરંતુ યશવંત સિંહા ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.

UPAના બીજા કાર્યકાળમાં પ્રણવ મુખર્જિ નાણા મંત્રી અને 2012માં તેમના રાષ્ટ્રપતિ બનાવેલા. એ પછી પી. ચિદમ્બરમ નાણા મંત્રી બન્યા, પરંતુ તેમણે 2014માં લોકસભા લડવાની ના પાડેલી.

2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં અરૂણ જેટલી નાણા મંત્રી હતા અને જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2019 સુધી પિયુષ બસંલ નાણા મંત્રી હતા, પરંતુ બંનેએ ચૂંટણી લડવાની ના પાડેલી અને હવે નિર્મલા સીતારમણે પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

About The Author

Related Posts

Top News

‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના...
National 
‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

રાજસ્થાન સરકારના કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ભરતપુર અને દૌસા જિલ્લાની સીમા પર આવેલા કમાલપુરા ગામ...
National  Politics 
મંત્રીએ અડધી રાત્રે દરોડા પાડીને નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-01-2026 વાર- બુધવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો

દક્ષિણ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન (UNMISS)માં તૈનાત ભારતીય સૈન્ય અધિકારી મેજર સ્વાતિ શાંતિ કુમારને 2025નો UN સેક્રેટરી...
World 
મેજર સ્વાતિએ દક્ષિણ સુદાનમાં હજારો મહિલાઓનું કેવી રીતે રક્ષણ કર્યું? UNએ મોટો પુરસ્કાર એનાયત કર્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.