1984થી નાણા મંત્રીઓ ક્યાં તો ચૂંટણી લડ્યા નથી અને લડ્યા તો હારી ગયા છે

ભારતના રાજકારણનો એક રોચક ઇતિહાસ સામે આવ્યો છે. 1980 સુધી નાણા મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડતા હતા અને જીતતા હતા, પરંતુ 1984 પછી એકાદ અપવાદ બાદ કરતા એવું જોવા મળ્યું છે કે ક્યાં તો નાણા મંત્રીઓએ ચૂંટણી લડવાની ના જ પાડી છે અને લડ્યા હોય તો પછી હારી ગયા છે.

1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઇ એ પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં આર.વેંકટ રમણ અને પ્રણવ મુખર્જિએ લોકસભા લડવાની ના પાડેલી. રાજીવ ગાંધીની સરકારમાં 1989માં લોકસભાની ચૂંટણી વખતે શંકર ચવ્હાણ નાણા મંત્રી હતા અને તેમણે ચૂંટણી લડવાની ના પાડેલી.

1991માં નરસિંહ રાવની સરકારમાં ડો. મનમોહન સિંહ નાણા મંત્રી હતા, તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડેલી. 1999-2004માં અટલ બિહાર વાજપેયીની સરકારમાં 2 નાણા મંત્રી બન્યા હતા. જશવંત સિંહ 3 વર્ષ માટે અને 2 વર્ષ માટે યશવંત સિંહા હતા. જશવંત સિંહે ચૂંટણી લડવાની ના પાડેલી, પરંતુ યશવંત સિંહા ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.

UPAના બીજા કાર્યકાળમાં પ્રણવ મુખર્જિ નાણા મંત્રી અને 2012માં તેમના રાષ્ટ્રપતિ બનાવેલા. એ પછી પી. ચિદમ્બરમ નાણા મંત્રી બન્યા, પરંતુ તેમણે 2014માં લોકસભા લડવાની ના પાડેલી.

2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં અરૂણ જેટલી નાણા મંત્રી હતા અને જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2019 સુધી પિયુષ બસંલ નાણા મંત્રી હતા, પરંતુ બંનેએ ચૂંટણી લડવાની ના પાડેલી અને હવે નિર્મલા સીતારમણે પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.