1984થી નાણા મંત્રીઓ ક્યાં તો ચૂંટણી લડ્યા નથી અને લડ્યા તો હારી ગયા છે

ભારતના રાજકારણનો એક રોચક ઇતિહાસ સામે આવ્યો છે. 1980 સુધી નાણા મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડતા હતા અને જીતતા હતા, પરંતુ 1984 પછી એકાદ અપવાદ બાદ કરતા એવું જોવા મળ્યું છે કે ક્યાં તો નાણા મંત્રીઓએ ચૂંટણી લડવાની ના જ પાડી છે અને લડ્યા હોય તો પછી હારી ગયા છે.

1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઇ એ પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં આર.વેંકટ રમણ અને પ્રણવ મુખર્જિએ લોકસભા લડવાની ના પાડેલી. રાજીવ ગાંધીની સરકારમાં 1989માં લોકસભાની ચૂંટણી વખતે શંકર ચવ્હાણ નાણા મંત્રી હતા અને તેમણે ચૂંટણી લડવાની ના પાડેલી.

1991માં નરસિંહ રાવની સરકારમાં ડો. મનમોહન સિંહ નાણા મંત્રી હતા, તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડેલી. 1999-2004માં અટલ બિહાર વાજપેયીની સરકારમાં 2 નાણા મંત્રી બન્યા હતા. જશવંત સિંહ 3 વર્ષ માટે અને 2 વર્ષ માટે યશવંત સિંહા હતા. જશવંત સિંહે ચૂંટણી લડવાની ના પાડેલી, પરંતુ યશવંત સિંહા ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.

UPAના બીજા કાર્યકાળમાં પ્રણવ મુખર્જિ નાણા મંત્રી અને 2012માં તેમના રાષ્ટ્રપતિ બનાવેલા. એ પછી પી. ચિદમ્બરમ નાણા મંત્રી બન્યા, પરંતુ તેમણે 2014માં લોકસભા લડવાની ના પાડેલી.

2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં અરૂણ જેટલી નાણા મંત્રી હતા અને જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2019 સુધી પિયુષ બસંલ નાણા મંત્રી હતા, પરંતુ બંનેએ ચૂંટણી લડવાની ના પાડેલી અને હવે નિર્મલા સીતારમણે પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

Related Posts

Top News

મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

પંજાબ કિંગ્સે IPL 2025ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર...
Sports 
મેચ જીત્યા બાદ ઐયરે આ ખેલાડીને આપી ગાળ, હાથ પણ ન મળાવ્યો

ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ ફૂડ સેફટીના કડક ઉલ્લંઘનને પગલે Zeptoની પેરન્ટ કંપની Kiranakart Technologies Pvt Ltdનું ફૂડ લાઇસન્સ...
Business 
ફૂગ લાગેલી ખાદ્યવસ્તુઓ અને ગંદકી વચ્ચે આ શહેરમાં Zeptoનું લાઇસન્સ રદ

કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

કોંગ્રેસે કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. તેમણે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં એક્ટર...
Politics  Gujarat 
કડી-વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવાર જાહેર

ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?

ઓપરેશન સિંદૂર પછીના 20 દિવસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 6 નિવેદનોને કારણે  વિપક્ષની ઉંઘહરામ થઇ ગઇ છે. વિપક્ષનું માનવું છે કે ...
National 
ઓપરેશન સિંદૂર પછી PM મોદીના નિવેદનોથી વિપક્ષની ઉંઘ કેમ હરામ થઇ ગઇ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.