32 કિલો સોનું, 1500 કિલો ચાંદી અને 582 કરોડ રૂપિયા રોકડાનું દાન... રામ મંદિર ટ્રસ્ટનો હિસાબ આવ્યો સામે

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નાણાકીય સ્થિતિ અને દાનમાં મળેલા સોના અને ચાંદીના રેકોર્ડ અંગેની વિગતો હવે જાહેર કરવામાં આવી છે. SITનો પ્રાથમિક અહેવાલ અને ટ્રસ્ટના ઉપલબ્ધ નાણાકીય વિવરણ અનુસાર, ટ્રસ્ટને 31 માર્ચ, 2026 સુધીમાં હજારો કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું હતું. આ અહેવાલમાં રોકડ દાન, મંદિર નિર્માણ પરનો ખર્ચ, ટ્રસ્ટના વર્તમાન ભંડોળ, જમીન ખરીદી અને દાન તરીકે મળેલા સોના અને ચાંદીની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

અહેવાલ મુજબ, ટ્રસ્ટને 2020 થી 31 માર્ચ, 2026 દરમિયાન નિધિ સમર્પણ અભિયાન અને કોર્પસ ડોનેશન ન દ્વારા કુલ 3264 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. અહેવાલ મુજબ, પ્રાપ્ત થયેલી કુલ રકમમાંથી, 2370 કરોડ રૂપિયા મંદિર નિર્માણ અને અન્ય મૂડી કાર્યો પર ખર્ચવામાં આવ્યા હતા. આમાં બાંધકામ પ્રવૃત્તિઓ અને સંબંધિત મૂડી ખર્ચનો સમાવેશ થાય છે.

ram-templeram-temple3
indiatoday.in

મળતી માહિતી અનુસાર ટ્રસ્ટને 31 માર્ચ, 2026 સુધીમાં ₹582 કરોડ રોકડ દાનના રૂપમાં મળી હતી. રિપોર્ટમાં જણાવાયું છે કે આ રકમમાંથી ₹391 કરોડ ઓપરેશનલ અને રેવન્યુ સંબંધિત ખર્ચ પર ખર્ચવામાં આવ્યા હતા. 31 માર્ચ, 2026 સુધીમાં અનઓડિટેડ કામચલાઉ નાણાકીય સ્થિતિ મુજબ, ટ્રસ્ટ પાસે કુલ ₹1,876.30 કરોડનું ભંડોળ હતું. આ ભંડોળ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), બેંક ઓફ બરોડા (BOB) અને પંજાબ નેશનલ બેંક (PNB)ની ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ખાતાઓમાં રાખવામાં આવ્યું છે.

અહેવાલ અનુસાર, 1 એપ્રિલ, 2025 અને 31 માર્ચ, 2026 વચ્ચે, ટ્રસ્ટે વિવિધ સ્થળોએ 2.57 એકર જમીન ખરીદી, અથવા ખરીદવા માટે કરાર કર્યા. આના પર કુલ ₹20.16 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે સમગ્ર નાણાકીય વિવરણ 31 માર્ચ, 2026ના રોજની સ્થિતિ પર આધારિત છે, જેમાં ટ્રસ્ટની આવક, ખર્ચ, રોકડ ભેટો, બાંધકામ ખર્ચ, જમીન ખરીદી અને દાનમાં મળેલી કિંમતી ધાતુઓના રેકોર્ડનો સમાવેશ થાય છે.

ram-templeram-temple2
boldnewsonline.com

અહેવાલમાં દાનમાં આપેલા સોના અંગે પણ ખુલાસો કરવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, 31 માર્ચ, 2026 સુધીમાં, ટ્રસ્ટના રેકોર્ડમાં 32.256 કિલોગ્રામ સોનાની વસ્તુઓની નોંધાયેલી છે. ચાંદી અંગે, અહેવાલમાં જણાવાયું છે કે ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત થયેલી ચાંદીની વસ્તુઓ સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SPMCIL)ને મોકલવામાં આવી હતી, જ્યાં તેને રિફાઇન કરીને ચાંદીના બારમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. 31 માર્ચ, 2026 સુધીમાં ટ્રસ્ટના રેકોર્ડમાં 849.272 કિલોગ્રામ 99.99% શુદ્ધ ચાંદી અને 669.653 કિલોગ્રામ અન્ય ચાંદી જેવી ધાતુનો સમાવેશ થાય છે. આ પ્રકારે કુલ ચાંદીનો રેકોર્ડ  1518.925 કિલોગ્રામ થયો છે.

ram-temple1
hindi.news24online.com

રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દાનમાં મળેલા ચાંદીના બાર ગાયબ થવા અંગે સોશિયલ મીડિયા પર ફરતા આરોપોની પણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અને વિશ્વ સિંધી સેવા સમાજ દ્વારા દાનમાં મળેલા ચાંદી અંગેના આરોપો પાયાવિહોણા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, બધી વસ્તુઓ સરકારી ટંકશાળના રજિસ્ટર અને ટ્રસ્ટના અભિલેખોમાં નોંધાયેલી હોવાનું જાણવા મળ્યું છે.

About The Author

Related Posts

Top News

સુરતના 3 યુવાનોએ કમાલ કરી, 425 કરોડનું ફંડ મેળવવાની તૈયારી

સુરતની ઓળખ દુનિયભારમા ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી તરીકેની છે. પરંતુ હવે સુરત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના ક્ષેત્રમાં પણ...
Business 
સુરતના 3 યુવાનોએ કમાલ કરી, 425 કરોડનું ફંડ મેળવવાની તૈયારી

32 કિલો સોનું, 1500 કિલો ચાંદી અને 582 કરોડ રૂપિયા રોકડાનું દાન... રામ મંદિર ટ્રસ્ટનો હિસાબ આવ્યો સામે

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની નાણાકીય સ્થિતિ અને દાનમાં મળેલા સોના અને ચાંદીના રેકોર્ડ અંગેની વિગતો હવે જાહેર કરવામાં આવી...
National 
32 કિલો સોનું, 1500 કિલો ચાંદી અને 582 કરોડ રૂપિયા રોકડાનું દાન... રામ મંદિર ટ્રસ્ટનો હિસાબ આવ્યો સામે

ભારતીય રેલવે: AC કોચમાં અપાતા ધાબળા-ચાદર કરતાં આ વસ્તુ વધુ ચોરાઈ

ભારતીય રેલ્વેના AC કોચમાં મુસાફરી કરતા મુસાફરોને આપવામાં આવતી ચાદર, ઓશિકા, ધાબળા અને ટુવાલ જેવી બેડરોલ વસ્તુઓ અંગે...
National 
ભારતીય રેલવે: AC કોચમાં અપાતા ધાબળા-ચાદર કરતાં આ વસ્તુ વધુ ચોરાઈ

ગણિતમાં થયા નાપાસ, રસ્તા પર આઈસ્ક્રીમ વેચી, હવે છે 20000 કરોડના માલિક!

કોઈ કોલેજની ડિગ્રી નથી, ન તો કોઈ મોટા ધંધાકીય પરિવારમાંથી આવ્યા, ન હતી કરોડોની મૂડી... એક યુવાન જેણે...
Business 
ગણિતમાં થયા નાપાસ, રસ્તા પર આઈસ્ક્રીમ વેચી, હવે છે 20000 કરોડના માલિક!
Copyright (c) Khabarchhe All Rights Reserved.