પાકિસ્તાને 80 માછીમારોને મુક્ત કર્યા, 77 ગુજરાતના હતા, આ કારણે છોડ્યા

પાકિસ્તાને કરાચી જેલથી 80 ભારતીય માછીમારોને મુક્ત કરી દીધા છે. 10 નવેમ્બરે રાત્રે એ બધા માછીમારોને વાઘા બોર્ડર પર ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યા. પાકિસ્તાની સરકારના એક અભિયાન હેઠળ ગેરકાયદેસર વિદેશી પ્રવાસીઓ અને નાગરિકોને દેશમાંથી કાઢી દેવામાં આવી રહ્યો છે. મુક્તિ એ અભિયાનનો હિસ્સો છે. આ વાતની જાણકારી પાકિસ્તાન ફિશરફોક ફોરમ (PFF)ના મહાસચિવ સઇદ બલૂચે 10 નવેમ્બરના રોજ એક પોસ્ટમાં આપી હતી. મુક્ત થયેલા 80 ભારતીયોમાં 77 ગુજરાતથી છે.

59 માછીમાર ગુજરાતના ગીર સોમનાથથી, 15 દ્વારકાથી, 2 અમરેલીથી અને એક જામનગરથી છે. બાકી 3 માછીમાર કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ, દાદરા અને નગર હવેલીથી છે. અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, પાકિસ્તાન સમુદ્રી સુરક્ષા એજન્સી (PMSA)એ સપ્ટેમ્બ અને નવેમ્બર 2020 વચ્ચે આ 80 માછીમારોને માછલી પકડતી વખત કસ્ટડીમાં લીધા હતા. ત્યારબાદ તેમની ધરપકડ કરી લીધી છે. ભારતીય માછીમારો માટે લાહોરની યાત્રાની વ્યવસ્થા કરનાર ઇંધી વેલફેર ટ્રસ્ટના ફૈસલે મીડિયાને જણાવ્યું કે, બધા માછીમારો ઘર ફરવાને લઈને ખૂબ ખુશ છે.

તેમણે જણાવ્યું કે, તેણે બધાને ઘરથી લઈ જવા માટે થોડી રોકડ અને ઉપહાર પણ આપ્યા છે. બધાને ભારે સુરક્ષા વચ્ચે અલ્લામા ઇકબાલ એક્સપ્રેસ ટ્રેનથી મોકલવામાં આવ્યા. ગુજરાતનું ફિશરિઝ ડિપાર્ટમેન્ટના એક વરિષ્ઠ અધિકારી અખબારને જણાવ્યું કે, અધિકારીઓની એક ટીમ અમૃતસરમાં માછીમારોનું સ્વાગત કરશે. પાકિસ્તાન અને ભારત સમુદ્રી સીમાનું ઉલ્લંધન કરવાના આરોપમાં નિયમિત રૂપે એક-બીજાના માછીમારોની ધરપકડ કરે છે. એક જુલાઇ સુધીના આંકડાના હિસાબે પાકિસ્તાની જેલમાં 266 ભારતીય માછીમાર બંધ હતા.

તેમાંથી 2ના ઑગસ્ટ અને ઓક્ટોબરમાં મોત થઈ ગયા હતા. તો 68 પાકિસ્તાની માછીમાર ભારતની જેલોમાં પણ બંધ છે. PTIના એક રિપોર્ટ મુજબ, આ વર્ષે જુલાઈમાં ભારત અને પાકિસ્તાને કેદીઓની લિસ્ટ શેર કરી હતી. જુલાઇના હિસાબે જોઈએ તો પાકિસ્તાનની જેલોમાં 308 ભારતીય કેદી બંધ હતા. તો પાકિસ્તાને જણાવ્યું હતું કે, ભારતીય જેલોમાં તેના 417 કેદીઓ છે. બંને દેશોએ સજા પૂરી કરી ચૂકેલા કેદીઓને વહેલી તકે મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.