માતાએ 3 બાળકો સાથે ટ્રેન સામે કૂદી આત્મહત્યા કરી, પણ 8 મહિનાના બાળકને કંઈ ન થયું

એક કહેવત છે કે જાકો રખે સૈયાને કોઈ નહીં મારી શકે. અર્થાત્ ભગવાન જેની સાથે હોય તેને કોઈ નુકસાન કરી શકે નહીં. આવો જ એક કિસ્સો UPના ચંદૌલીથી સામે આવ્યો છે, જ્યાં એક માતા તેના 3 બાળકો સાથે ટ્રેનની સામે કૂદીને મૃત્યુ પામી હતી. પરંતુ તેના 8 મહિનાના બાળકને જરા સરખો ઉઝરડો પણ ન પડ્યો.

ચંદૌલીમાં કૌટુંબિક ઝઘડાને કારણે મહિલાએ તેના ત્રણ બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડી હતી. ટ્રેનની અડફેટે આવી જતાં મહિલા સહિત બે બાળકોના મોત થયા છે. જ્યારે 8 મહિનાનું બાળક ટ્રેનના પાટા વચ્ચે સુરક્ષિત રીતે બચી ગયું હતું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અને આગોતરી કાર્યવાહી શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુગલસરાય કોતવાલીના પરોરવા ગામની રહેવાસી મંજુના લગ્ન સાત વર્ષ પહેલા વારાણસીના ચિતાઈપુરના રહેવાસી કલ્લુ યાદવ સાથે થયા હતા. 26 વર્ષની મંજુને ત્રણ બાળકો હતા, જેમાં 6 વર્ષની આરાધ્યા, 4 વર્ષની અમૃતા અને 8 મહિનાનો પુત્ર અંકિત યાદવનો સમાવેશ થાય છે. મંજુના પતિ કલ્લુ યાદવના પિતરાઈ ભાઈ સાથે મંજુનું પ્રેમપ્રકરણ ચાલતું હતું. જેના કારણે પરિવારમાં ભારે તણાવ રહેતો હતો અને પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતા રહેતા હતા.

મામલો એટલો વધી ગયો કે, મંજુએ પોતાના બાળકો સહિત મરવાનું મન બનાવી લીધું. આ દરમિયાન, મંજુ ત્રણ બાળકો સાથે મુગલસરાય કોતવાલીના પડાવ વિસ્તારમાં DDU જંક્શન-વારાણસી રેલ રૂટ પર સ્થિત અવધૂત ભગવાન રામ હોલ્ટ સ્ટેશન પાસે પહોંચી અને બાળકો સાથે ટ્રેનની સામે કૂદી પડી.

ટ્રેનની અડફેટે આવી જતાં મંજુ અને બંને છોકરીઓ આરાધ્યા અને અમૃતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પરંતુ આખી ટ્રેન પસાર થઈ ગયા પછી પણ 8 મહિનાનો અંકિત રેલવે ટ્રેકની વચ્ચે સુરક્ષિત રીતે બચી ગયો હતો. ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા.

આ દરમિયાન ઘટનાની માહિતી મંજુના પતિ કલ્લુ યાદવને આપવામાં આવી હતી. માહિતી મળ્યા બાદ મુગલસરાય પોલીસ સ્ટેશન પહોંચેલા કલ્લુ યાદવને 8 મહિનાના બાળક અંકિતને સોંપવામાં આવ્યો હતો. આ અંગે CO પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર અનિરુદ્ધ સિંહે જણાવ્યું હતું કે, પારિવારિક વિખવાદને કારણે એક મહિલાએ 3 બાળકો સાથે રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી હતી. જેમાં એક બાળક સુરક્ષિત રીતે બચી ગયો હતો.

About The Author

Related Posts

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.