ભોલેનાથનો અદ્ભુત ભક્ત, ખભા પર 51 લીટર ગંગાજળ લઈને કરી રહ્યા છે 350 Kmની પદયાત્રા

આ દુનિયામાં સૌથી વધારે ભક્તો ભગવાન ભોલેનાથના જ દેખાઈ રહ્યા છે, કારણ કે, કહેવાય છે કે ભગવાન ભોલેનાથ તરત જ ભક્તોની અરજ સાંભળી લે છે. અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં આપણને એક એકથી ચડિયાતા મહાદેવના ભક્તો દેખાઈ રહ્યા છે. જેઓ ભગવાન મહાદેવની અલગ-અલગ રીતે પૂજા-અર્ચના કરવા માટે લાંબા અંતરની યાત્રા કરી રહ્યા છે.

અસરગંજ કાવડિયાઓની કાચી સડક પર એક એવા શિવ ભક્તના દર્શન થયા, જે કાવડ યાત્રામાં 51 લીટર પવિત્ર જળ લઈને પદયાત્રા કરી રહ્યા છે. ઝારખંડના ગિરિડીહ જિલ્લાના સરૈયા ગામનો રહેવાસી વિરાટ દેશ અને દુનિયામાં સનાતન ધર્મ અને હિંદુ એકતાનો પ્રચાર કરવા માટે 51 લિટર ગંગાજળ પોતાના ખભા પર લઈને પોતાના ઘરથી 350 કિલોમીટરની પગપાળા મુસાફરી કરી રહ્યો છે.

અહીં તમને જણાવી દઈએ કે, શિવ ભક્ત વિરાટ 8 જુલાઈએથી આ યાત્રા પર નીકળ્યા છે, જે પોતાના જિલ્લાના ઉત્તર વાહિની ગંગા કિનારેથી જળ લઈને સુલતાનગંજના બાબા અજગૈબીનાથ ધામ પહોંચશે અને ત્યાં ભોલેનાથનો જલાભિષેક કરશે. ત્યારબાદ સુલતાનગંજના ગંગા કિનારેથી 51 લીટર પાણી લઈને બાબા બૈદ્યનાથ જ્યોતિર્લિંગની યાત્રા શરૂ કરી.

શિવભક્ત વિરાટે કહ્યું કે, હું આ યાત્રા કોઈ અંગત મનોકામના સાથે નથી કરી રહ્યો, પરંતુ વિશ્વભરના સનાતનીઓને એક કરવાની ઈચ્છા સાથે જઈ રહ્યો છું. મેં મારા નિવાસસ્થાન રજદા ધામ મંદિરથી મારી યાત્રા શરૂ કરી છે. તેમણે કહ્યું કે, મને બાળક હોવાનો ગર્વ છે, પરંતુ આજે લોકો જાતિના આધારે વહેંચાયેલા છે, તેમણે આ રીતે વિભાજિત ન થવું જોઈએ અને બધાએ એક થઈને ચાલવું જોઈએ. તેણે કહ્યું કે, અગાઉ આ હેતુ માટે મેં 4500 કિલોમીટર પગપાળા પ્રવાસ કર્યો હતો. જેમાં મેં કાશી વિશ્વનાથ, વિંધ્યાચલ, મૈહિયાર, ઉજ્જૈન મહાકાલેશ્વર, અયોધ્યા, કટરા, હનુમાન જી, હરિદ્વાર, કેદારનાથ અને અન્ય ઘણા તીર્થસ્થાનોની મુલાકાત લીધી હતી. જે પૂર્ણ કરવામાં મને 201 દિવસ લાગ્યા. હમણાં મેં આ યાત્રાના 27 દિવસ પૂરા કર્યા છે. તેમણે કહ્યું કે, મારી પોતાની કોઈ માનતા-બાધા નથી, હું માત્ર એટલું ઈચ્છું છું કે સનાતન ધર્મમાં એકતા રહે. તેમણે વધુમાં કહ્યું કે, જો મનમાં ભગવાન પ્રત્યે સાચી શ્રદ્ધા હોય તો દરેક કાર્ય શક્ય બને છે. ભોલે બાબા પ્રત્યેની આ શ્રદ્ધા આપણને આપણા લક્ષ્યને પૂર્ણ કરવામાં મદદ કરે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.