AAPને દિલ્હી પાલિકામાં મોટો ઝટકો, ભાજપે તેના ગઢમાં પણ સુરતવાળી કરી દીધી

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી થવાની છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)ને એક મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હીના બવાના વૉર્ડથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પવન સેહરાવત ભારતીય જનતા પાર્ટી (BJP)માં સામેલ થઇ ગયા છે. દિલ્હી ભાજપ તરફથી ટ્વીટ કરીને તેની જાણકારી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની ઉપસ્થિતિમાં બવાનાથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પવન સેહરાવતે ભાજપની સભ્યતા ગ્રહણ કરી. ઉલ્લેખનીય છે કે દિલ્હી આપનું ગઢ છે. ત્યાં પણ સુરતમાં જેમ કોર્પોરેટરોને ખેંચી લાવ્યા હતા તે રીતે લઇ આવ્યા છે. 

MCDમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી અગાઉ કોર્પોરેટરના રાજીનામાંથી આમ આદમી પાર્ટીને ઝટકો લાગી શકે છે. MCDના સદનની કાર્યવાહી આજે બોલાવવામાં આવી છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી થવાની છે. 22 ફેબ્રુઆરીના રોજ મેયરની ચૂંટણી થઇ હતી, જેમાં આમ આદમી પાર્ટીના એક કોર્પોરેટરે ક્રોસ વોટિંગ કર્યું હતું. ત્યારબાદ ફરી આખી રાત સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી માટે સદનની કાર્યવાહી ચાલી, પરંતુ હોબાળો અને ઝપાઝપી સિવાય બીજું કંઇ ન થઇ શક્યું.

સ્થાયી સમિતિમાં કેટલા સભ્ય?

MCDની સ્થાયી સ્થિતિમાં કુલ 18 સભ્ય હોય છે. જેમાં 6 સભ્ય કોર્પોરેટરો દ્વારા ચૂંટાય છે, તો 12 સભ્ય MCDના અલગ અલગ ઝોનથી ચૂંટવામાં આવે છે. કેન્દ્ર સરકારે સુચારું કામકાજ માટે MCDના 12 પ્રશાસનિક (ઝોન) ક્ષેત્રોમાં વહેચી રાખ્યા છે, જેમાં દિલ્હીના સેન્ટ્રલ, સિટી SP (સદર પહાડગંજ), સિવિલ લાઇન્સ, કરોલ બાગ, કેશવ પુરમ, નજફગઢ, નરેલા નોર્થ શાહદરા, રોહિણી, સાઉથ શાહદરા, સાઉથ અને વેસ્ટ સામેલ છે. MCDમાં સ્થાયી સમિતિ પાસે ખૂબ પાવર છે.

કોન્ટ્રેક્ટવાળી પરિયોજનાઓ પર મેયર નિગમાયુક્તને પહેલા સ્થાયી સમિતિથી મંજૂરી લેવી પડશે. સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થયા બાદ જ તેને મેયર સદનથી પાસ કરાવવા માટે રાખી શકે છે. પ્રસ્તાવ અસહમત થવા પર સદન સ્થાયી સમિતિની પરિયોજનાઓને ફગાવી શકે છે. સ્થાયી સમિતિ પ્રસ્તાવો પરત કરીને વિભાગને નવી રીતે સમીક્ષા કરવાનો આદેશ આપી શકે છે. મોટા વ્યાવસાયિક અને આવાસીય સંપત્તિઓના નકશા અને લે-આઉટ પ્લાન પાસ કરવાનો અધિકાર સ્થાયી સમિતિ પાસે છે.

દિલ્હી નિગમાયુક્તની રજા મંજૂર કરવા અને નિગમમાં કઇ એજન્સી કામ કરશે અને કઇ નહીં. તેનો નિર્ણય લેવાનો અધિકાર સ્થાયી સમિતિ પાસે છે. MCDના કોઇ પણ પરિયોજનાનું બજેટ નક્કી કરવા અને 50 ટકા રૂપિયા સુધીની કોઇ પણ અચલ સંપત્તિ વેચવા અને ભાડા પર આપવાના અધિકાર પણ સ્ટેન્ડિંગ કમિટી પાસે છે. સ્ટેન્ડિંગ કમિટીમાં જે ચેરમેન બનશે, તેની હેસિયત કામકાજના હિસાબે મેયરથી ઓછી નથી. સ્ટેન્ડિંગ કમિટી પર જો કોઇ પ્રકારે ભાજપનો કબજો થઇ જાય છે, તો પછી MCDમાં ઉપરાજ્યપાલ અને કેજરીવાલ સરકારની જેમ પાવર ક્લેશ થતો રહેશે. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.