વિરાટ કોહલીની નિવૃત્તિનો યોગ્ય સમય કયો? ડીવિલિયર્સે કર્યો ખુલાસો

સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડિવિલિયર્સનું માનવું છે કે જો ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતી જાય છે તો વિરાટ કોહલી માટે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો આદર્શ સમય રહેશે. વિરાટ કોહલીનું વનડે કરિયર જોરદાર રહ્યું છે. કોહલીની ગણતરી દુનિયાના મહાન બેટ્સમેનોમાં થાય છે. રાઈટ હેન્ડ બેટ્સમેને 281 મેચોમાં 57.38ની સરેરાશથી 13083 રન બનાવ્યા છે. જેમાં 47 સદી સામેલ છે. કોહલી તેંદુલકરની વનડે સદીના રેકોર્ડથી માત્ર બે ડગલા દૂર છે.

આ વર્ષ કોહલી માટે સારુ રહ્યું

34 વર્ષીય વિરાટ કોહલી માટે આ વર્ષ જોરદાર રહ્યું છે. ભારતીય બેટ્સમેને 16 મેચોમાં 55.63ની સરેરાશથી 612 રન બનાવ્યા છે. કોહલી પાસેથી ભારતીય ફેન્સને આવનારા વર્લ્ડ કપમાં સારા પ્રદર્શનની આશા છે.

ડીવિલિયર્સે શું કહ્યું

વિરાટ કોહલીના સારા મિત્ર એબી ડીવિલિયર્સે કહ્યું કે, સાઉથ આફ્રિકામાં 2027નો વર્લ્ડ કપ થવાનો છે અને તેમાં વિરાટ કોહલીનું રમવું મુશ્કેલ છે. પૂર્વ કેપ્ટનનું માનવું છે કે, જો ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 જીતવામાં સફળ રહે છે તો વિરાટ કોહલી માટે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો સારો સમય રહેશે.

ડીવિલિયર્સે કહ્યું કે, હું જાણું છું કે વિરાટ કોહલીને સાઉથ આફ્રિકાની યાત્રા કરવી ઘણી પસંદ છે. પણ 2027 વર્લ્ડ કપમાં તેનું ટીમમાં રહેવું મુશ્કેલ છે. પહેલા આ વર્લ્ડ કપ પર ધ્યાન આપી લઇએ. મારા ખ્યાલથી વિરાટ કોહલી તમને આ વાત જરૂર રહેશે. મારું માનવું છે કે, જો ભારત આ વર્લ્ડ કપ જીતે છે તો એ કહેવાનો સારો સમય રહેશે કે આભાર. હું હવે થોડા વર્ષ ટેસ્ટ ક્રિકેટ રમીશ અને અમુક IPL પણ. પોતાના કરિયરના છેલ્લા સમયનો ભરપૂર આનંદ લેવા માગું છું. હું પરિવાર સાથે વધારે સમય પસાર કરીશ અને સૌ કોઈને ગુડબાઈ કહેવાનું પસંદ કરીશ.

જણાવીએ કે, ડીવિલિયર્સે પોતાની યૂટ્યૂબ ચેનલ પર આ વાત કહી છે. તેણે કહ્યું કે, જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતી ગઇ તો વિરાટ માટે વનડે અને T20ને અલવિદા કહેવાનો આનાથી વધુ સારો સમય બીજો નથી. જોકે, કોહલી અમુક વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે જેમાં IPL પણ સામેલ રહેશે.

સાથે જ ડીવિલિયર્સે કહ્યું કે, કોહલી 2023 વનડે વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લઇ શકે છે. પણ જો ક્રિકેટના ભારણને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવે તો કોહલી 2027 વર્લ્ડ કપ સુધી સરળતાથી રમી શકે છે. કોહલીની ફિટનેસ કમાલની છે. હાલમાં તે 34 વર્ષનો છે. તે ઈચ્છે તો સરળતાથી 40 વર્ષ સુધી ક્રિકેટ રમી શકે છે. કોહલીનો ક્રિકેટ કેલેન્ડર જો મેનેજમેન્ટ યોગ્ય રીતે નક્કી કરે તો તે સરળતાથી 3 થી 4 વર્ષ વનડે અને ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે.

About The Author

Related Posts

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.