માફિયા અતીકની હત્યાથી શું ભાજપ થશે ફાયદો કે નુકસાન? સરવેના આંકડા ચોંકાવનારા

માફિયામાંથી રાજનેતા બનેલા અતીક અહમદ અને તેના ભાઈ અશરફની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ અગાઉ અતીકના પુત્ર અસદનું પણ એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું હતું. વિપક્ષ સહિત ઘણા લોકોએ અતીક અને અશરફના કેસમાં ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાનો સાધ્યો છે. કેટલાક ગંભીર સવાલ પણ ઊભા કરવામાં આવ્યા છે. આ દરમિયાન ABP અને C વો઼ટરે એક સરવે કર્યો છે. અતીક અહમદ માર્યા ગયા બાદ તેમાં જનતા પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા છે.

15 એપ્રિલના થયેલી હત્યા બાદ 17 એપ્રિલ વચ્ચે થયેલા આ સરવેમાં 1700 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. સરવેના આંકડા ચોંકાવનારા છે. લોકોને પૂછવામાં આવ્યું કે, શું અસદના એન્કાઉન્ટર, અતીક અને અશરફની હત્યાથી ભાજપને નુકસાન પહોંચશે કે પછી ફાયદો થશે?

તેના પર લગભગ 47 ટકા લોકોએ કહ્યું કે તેનાથી ભારતીય જનતા પાર્ટી (BJP)ને ફાયદો થશે. તો 17 ટકા લોકોએ નુકસાન ગણાવ્યું. લગભગ 26 ટકા લોકોનું માનવું છે કે તેનાથી ભાજપ પર કોઈ અસર નહીં પડે. 10 ટકાએ ખબર નહીંનો જવાબ આપ્યો છે.

સરવેમાં જ્યારે લોકોને પૂછવામાં આવ્યું કે, પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યાને કઈ રીતે જુઓ છો? આ સવાલ પર 14 ટકા લોકોએ તેને પોલીસની નિષ્ફળતા બતાવી. 24 ટકા લોકોનું માનવું છે કે આ રાજનૈતિક ષડયંત્ર છે. સૌથી વધુ 51 ટકા લોકોનું કહેવું હતું કે તે માફિયા હતો. એવામાં તેનાથી કોઈ ફરક પડતો નથી કે તે કઈ રીતે મર્યો. 11 ટકાએ ખબર નહીંનો જવાબ આપ્યો.

માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેના પૂર્વ ધારાસભ્ય ભાઈ ખાલીદ અજીમ ઉર્ફ અશરફની પોલીસ કસ્ટડીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ બાબતે તપાસ માટે ઉત્તર પ્રદેશ પોલીસે 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. વિશેષ પોલીસ મહાનિર્દેશક (કાયદા વ્યવસ્થા) પ્રશાંત કુમારે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, પ્રયાગરાજના પોલીસ કમિશનર આર.કે. વિશ્વકરમાં આદેશ પર અપર પોલીસ ડેપ્યુટી કમિશનર, ગુના (મુખ્ય વિવેચક)ના નેતૃત્વમાં 3 સભ્યોની SIT બનાવવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, ગુણવત્તાપૂર્ણ તેમજ સમયબદ્ધ તપાસ સુનિશ્ચિત કરવા માટે 3 સભ્યોની નિગરાણી ટીમની પણ રચના કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ ટીમના પ્રમુખ પ્રયાગરાજના અપર પોલીસ મહાનિર્દેશક હશે તેમજ પ્રયાગરાજના પોલીસ કમિશનર અને લખનૌ સ્થિતિ વિધિ વિજ્ઞાન પ્રયોગશાળાના ડિરેક્ટર તેના સભ્ય હશે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.