સાંસદના ઘરે કરણી સેના દ્વારા કરાયેલી તોડફોડથી અખિલેશ ભડક્યા, કહ્યું 'CM તાત્કાલિક પગલાં લે...'

કરણી સેના દ્વારા આગ્રામાં SP સાંસદ રામજી લાલ સુમનના નિવાસસ્થાન પર હુમલો કરવાના મામલે અખિલેશ યાદવનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, જ્યારે જિલ્લામાં CMની હાજરીમાં પણ કેટલાક લોકો દ્વારા PDA સાંસદના ઘરે તોડફોડની હિંસક ઘટના રોકી શકાતી નથી, તો પછી શૂન્ય સહિષ્ણુતા શૂન્ય થઇ જ જાય છે.

Karni Sena Ruckus
aajtak.in

અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે, શું CMનો પ્રભાવ ક્ષેત્ર દિવસેને દિવસે ઘટતો જાય છે કે, પછી 'Outgoing CM'નું કોઈ હવે સાંભળતું નથી. જો તેઓ હજુ પણ CM છે, તો તેમણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને AIની મદદથી ગુનેગારોને ઓળખવા જોઈએ અને તેમને સજા આપવી જોઈએ, નહીં તો એવું માનવામાં આવશે કે PDA સાંસદ સામે આ બધું તેમની પરવાનગીથી થયું છે.

SP પ્રમુખે આરોપ લગાવ્યો કે, રામજીલાલ સુમનના ઘર પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તે દલિત છે. અગાઉ, CM યોગી આદિત્યનાથ દ્વારા એક ઇન્ટરવ્યુમાં આપેલા નિવેદન અંગે, અખિલેશે કહ્યું હતું કે, માનનીય CMએ ઉત્તર પ્રદેશમાં BJPના ધારાસભ્યોને સમાવવા માટે 'ધમકીનું મંત્રાલય' પણ બનાવવું જોઈએ. આ મંત્રાલયમાં મંત્રી બનવા માટે તેમની પાર્ટીમાંથી પહેલાથી જ ઘણા એક થી એક ચડિયાતા લાયક ઉમેદવારો છે. જો તેઓ ઈચ્છે તો, તેઓ આ મંત્રાલય પોતે જ રાખી શકે છે, કારણ કે આ વિશિષ્ઠ ક્ષેત્રમાં તેમના કરતાં વધુ લાયકાત અને અનુભવ બીજા કોઈ પાસે નથી.

Akhilesh Yadav
aajtak.in

અખિલેશ યાદવના નિવેદન પર, UP BJP'X' પર લખ્યું કે, SP સાંસદ રામજી લાલ સુમને મહાન યોદ્ધા રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા. તુષ્ટિકરણ માટેના તેમના વાંધાજનક નિવેદનને સમર્થન આપીને, SP વડાએ આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. પરિણામે, કરણી સેનાએ રામજીલાલના ઘર પર હુમલો કર્યો. અખિલેશ જાતિગત સંઘર્ષ ઇચ્છે છે અને આ હિંસા માટે તેઓ જવાબદાર છે. સમાજવાદી પાર્ટી એક સમાજ વિરોધી અને કટ્ટર હિન્દુ વિરોધી પાર્ટી છે.

બીજી તરફ, UPના DyCM કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, રાણા સાંગાનું અપમાન કરવું અને ઔરંગઝેબની પ્રશંસા કરવી એ SPની રાજનીતિ અને તેના નેતા અખિલેશ યાદવની વાસ્તવિક ઓળખ છે. દેશના મહાપુરુષોનું વારંવાર અપમાન કરીને અને દેશના દુશ્મનોનું સન્માન કરીને, સમાજવાદી પાર્ટીએ પોતાના અંતનો માર્ગ જાતે જ પસંદ કર્યો છે. હવે જનતા SPને વ્યાજ સહિત તેના હિસાબ ચૂકવીને સજા કરશે અને તેને 'સમાપ્ત્વાદી પાર્ટી' બનાવવાનું કામ કરશે.

Karni Sena Ruckus
aajtak.in

અહીં તમને જણાવી દઈએ કે, રાણા સાંગા પરના વિવાદાસ્પદ નિવેદનને લઈને આજે બપોરે કરણી સેનાએ SPના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઘરે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. લાકડીઓનો ઉપયોગ થતો હતો. આ હોબાળામાં ઇન્સ્પેક્ટર સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. હાલમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. સાંસદના ઘરની બહાર ફોર્સ તૈનાત કરવામાં આવી છે. રાજકીય વાક્યુદ્ધ પણ શરૂ થઈ ગયું છે.

Related Posts

Top News

કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

કડી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર નીતિન પટેલને મોટો ઝટકો આપ્યો છે. નીતિન પટેલ જે ઉમદવારો માટે લોબીંગ કરી રહ્યા...
Gujarat 
કડી વિધાનસભાના ઉમેદવારનું નામ નીતિન પટેલ માટે કેમ ઝટકા સમાન છે?

AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

હજીરા - સુરત, જૂન 4, 2025: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) – વિશ્વના...
Gujarat 
AM/NS India દ્વારા વર્લ્ડ એન્વાયર્નમેન્ટ ડે નિમિત્તે સસ્ટેનેબિલિટી વીકની ઉજવણી

બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

બકરી ઇદ પહેલા, મધ્યપ્રદેશના IAS અધિકારી નિયાઝ ખાનની એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચામાં છે. તેમણે પ્રાણીઓનું લોહી વહેવડાવવાને અયોગ્ય...
National 
બકરી ઇદ પહેલા IAS નિયાઝ ખાને કહ્યું- 'પ્રાણીઓનું લોહી વહાવવું બિલકુલ વાજબી નથી, તેમનું...'

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.