અખિલેશ યાદવે ખોલી નાખ્યા પત્તા, જણાવ્યું- 2024ની ચૂંટણીમાં કોને આપશે સાથ

વર્ષ 2023 શરૂ થવાનો છે અને લોકસભાની ચૂંટણીને હવે માત્ર એક વર્ષ જ બાકી છે. એવામાં તમામ રાજકીય પાર્ટીઓએ પોત-પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, નેતાઓ ગુણા-ગણિત લગાવી રહ્યા છે. કઈ પાર્ટી કોને સાથ આપશે તેના માટે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે, દિલ્હીની ખુરશીનો રસ્તો UPમાંથી થઈને જ જાય છે. એવામાં UPની મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટીના (SP) મુખ્યા અખિલેશ યાદવે લોકસભા ચૂંટણી 2024ને લઈને પોતાના પત્તા ખોલી નાખ્યા છે. અખિલેશ યાદવે જણાવ્યું કે, લોકસભા ચૂંટણીમાં તેઓ કોને સાથ આપશે?

કોનો સાથ આપશે અખિલેશ યાદવ?

અહીં તમને જણાવી દઈએ કે, સપા સુપ્રીમો અખિલેશ યાદવ પહેલા જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાથી દૂરી બનાવી ચૂક્યા છે અને હવે તેમણે 2024ની લોકસભા ચૂંટણી માટે પોતાના પ્લાનનો ખુલાસો કરી દીધો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે, જો ત્રીજો મોરચો બનશે તો તે તેને સાથ આપશે. આજે ભાજપથી બધા પરેશાન છે.

કોંગ્રેસથી સપા પ્રમુખે બનાવી દૂરી

હાલમાં જ અખિલેશ યાદવે કહ્યું હતું કે, તેમને કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ નથી મળ્યું. જો કે, તેણે એમ પણ કહ્યું કે તેની યાત્રાની સાથે અમારી ભાવનાઓ છે. પછી અખિલેશે કહ્યું કે, ભાજપ અને કોંગ્રેસ બંને એક જ છે. આનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, અખિલેશ યાદવ હવે કોંગ્રેસ-ભાજપ સિવાય જે મોરચો બનશે, તેની સાથે રહેશે.

અખિલેશે જણાવ્યું આ કારણ

અખિલેશ યાદવે આગળ કહ્યું કે, અમારી પાર્ટીનો સિદ્ધાંત અલગ છે, ભાજપ અને કોંગ્રેસ બંને એક છે. જો કે, કોંગ્રેસ તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે તેના તરફથી ભારત જોડો યાત્રામાં અખિલેશ યાદવ, માયાવતી અને જયંત ચૌધરી સહિત બિન-ભાજપ પાર્ટીના નેતાઓને UPમા 3 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી યાત્રામાં સામેલ થવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ અગાઉ, સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે અખિલેશ યાદવ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાને કારણે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં  સામેલ નહીં થશે. સપાના કોઈ અન્ય નેતા યાત્રામાં સામેલ થવા પર તેમણે કહ્યું કે, આ અંગે ચર્ચા નથી થઈ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.