‘એક દેશ, એક ચૂંટણી’ અને જાતિગત વસ્તી ગણતરી કરાવવા પર જાણો અમિત શાહે શું કહ્યું?

ગણતરી કરાવવાના સવાલ પર પણ જવાબ આપ્યો છે. એ સિવાય શાહે મણિપુરની હાલત અને ત્યાં સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થયા છે. 17 સપ્ટેમ્બરે આ અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શાહ સાથે સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત હતા. બંનેએ NDA સરકારના 100 દિવસોના કાર્યોનો એક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો.

આ દરમિયાન લોકસભાની ચૂંટણીના સમયે કરવામાં આવેલા વાયદાઓને ગણાવ્યા. આ અનુસંધાને તેમણે એક દેશ, એક ચૂંટણી’ની વાત પણ કહી. અમિત શાહે કહ્યું કે, અમારી યોજના આ સરકારના કાર્યકાળ દરમિયાન જ ‘એક દેશ, એક ચૂંટણી’ની વ્યવસ્થા લાગૂ કરવાની છે. નવી સરકારની રચના બાદ આ મુદ્દો ઉચ્ચ નેતૃત્વ તરફથી પહેલા પણ ઉછાળાઇ ચૂક્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક દેશ એક ચૂંટણી’ની વકીલાત કરી હતી.

લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશને ‘એક દેશ, એક ચૂંટણી’ માટે આગળ આવવું પડશે. તેમણે તર્ક આપ્યો હતો કે વારંવાર ચૂંટણી કરાવવાથી દેશની પ્રગતિમાં બાધા ઉત્પન્ન થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની અધ્યક્ષતામાં રચાયેલી એક સમિતિએ માર્ચ 2024માં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી. સમિતિએ એક સાથે ચૂંટણી કરાવવાની વ્યવસ્થા લાગૂ કરવા માટે કોઈ સમય સીમા નક્કી કરી નથી. પરંતુ જાણકાર માને છે કે તેને લાગૂ કરાવી શકવું એટલું સરળ નથી. તેના માટે સંવિધાનમાં સંશોધનની જરૂરિયાત પડી શકે છે.

વસ્તી ગણતરીની જાહેરાત જલદી જ

દેશમાં દર 10 વર્ષમાં થનારી વસ્તી ગણતરીની કવાયદમાં કોરોના મહામારીના કારણે મોડું થયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર ખૂબ જ જલદી વસ્તી ગણતરી કરાવશે. પ્રેસ કોન્ફરન્સમાં શાહને પૂછવામાં આવ્યું કે શું સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવશે? ગૃહ મંત્રીએ આ સંભાવનાને નકારી નહોતી અને કહ્યું કે, જ્યારે વસ્તી ગણતરીની જાહેરાત થશે ત્યારે તેના પર નિર્ણય સાર્વજનિક કરવામાં આવશે. અમે ખૂબ જ જલદી જાહેરાત કરીશું. જ્યારે અમે વસ્તી ગણતરીની જાહેરાત કરીશું તો અમે બધા વિવરણ સાર્વજનિક કરીશું.

ભારતમાં 1881થી દર 10 વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. સરકાર પાસે વસ્તી ગણતરીનું છેલ્લા અપડેટેડ આંકડા 2011ના છે. આ દશકમાં વસ્તી ગણતરીની શરૂઆત એપ્રિલ 2020માં થવાની હતી. પરંતુ આ દરમિયાન દેશ અને દુનિયા કોરોના મહામારીથી ઝઝૂમી રહી હતી, જેના કારણે આ કવાયદને સ્થગિત કરવી પડી. 100 દિવસના કાર્યકાળનું લેખું-જોખ પ્રસ્તુત કરતા શાહે મણિપુર પર પણ વાત કરી. તેમણે દાવો કર્યો કે ગયા અઠવાડિયે 3 દિવસની હિંસા સિવાય છેલ્લા 3 મહિનામાં કોઈ મોટી ઘટના થઈ નથી. શાહે કહ્યું કે, સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં મેતેઇ અને કુકી બંને સમુદાયો સાથે વાતચીત કરી રહી છે.

About The Author

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.