કેજરીવાલને CBIએ બોલાવ્યા, જાણો એના પર અન્ના હજારેએ શું કહ્યું

દિલ્હીમાં આબકારી નીતિ કૌભાંડની તપાસ કરતા હવે CBI મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી પહોંચી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રીને 16 એપ્રિલ એટલે કે આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કેજરીવાલને મળેલા સમન્સ પર અન્ના હજારેએ પ્રતિક્રિયા આપી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા અન્ના હજારેએ કહ્યું કે, કેટલાક દોષ નજરે પડી રહ્યા છે એટલે પૂછપરછ થશે, જો ભૂલ કરી છે તો સજા થવી જોઈએ. હું તો પહેલા પણ એક ચિઠ્ઠી લખી ચૂક્યો હતો.

અન્ના હજારેએ કહ્યું કે, દારૂ બાબતે શું વિચારો છો, સારી વાતો વિચારો, પૈસા માટે કંઈ પણ કરવાનું સારું નથી, દારૂથી કોઈનું ભલું થયું નથી, એટલે અત્યારે CBIએ જોયું હશે તો તપાસ થઈ રહી છે, જો કોઈ દોષ નીકળે છે તો સજા મળવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે આ મારી સાથે હતા ત્યારે એવો કોઈ દિવસ નહીં હોય, જ્યારે મેં એમ ન કહ્યું હોય કે, આચાર, વિચાર શુદ્ધ રાખો. શુદ્ધ રસ્તે જ જવાનું છે. અવળા રસ્તે ન જવું જોઈએ. મને ખૂબ દુઃખ થાય છે કે સિસોદિયા જેવા વ્યક્તિ જેલમાં છે. હંમેશાં સમાજ અને દેશનું ભલું થવું જોઈએ, પોતાનું નહીં.

દિલ્હી સરકારમાં આબકારી નીતિ કૌભાંડથી હાહાકાર મચી ગયો છે. CBIએ આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યા છે અને તેમને આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. આ દરમિયાન શનિવારે સમાચાર આવ્યા કે દિલ્હી વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ વિશેષ સત્ર સોમવારે માટે બોલાવવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) સરકારે આ વિશેષ સત્ર એવા સમયે બોલાવ્યું છે, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે.

આ કેસમાં ED તરફથી હાલમાં જ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. તે મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દારૂ વેપારી અને આબકારી નીતિ કૌભાંડના મુખ્ય આરોપી સમીર મહેન્દ્રૂ પાસેથી ફેસટાઇમ કોલ પર વાત કરી હતી. આ વાતચીત આમ આદમી પાર્ટીના સંચાર પ્રભારી વિજય નાયરે કરાવી હતી. ED મુજબ ગયા વર્ષે 12 અને 15 નવેમ્બરના રોજ પૂછપરછ દરમિયાન સમીરે અધિકારીઓને જણાવ્યું હતું કે, વિજય નાયરે અરવિંદ કેજરીવાલ સાથે તેની મુલાકાત નક્કી કરી હતી, પરંતુ જ્યારે વાત ન બની શકી તો વિજયે તેમની સાથે ફેસટાઇમ કોલ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વીડિયો કોલ દ્વારા વાત કરાવી.

EDનું કહેવું છે કે, આ વાતચીતમાં અરવિંદ કેજરીવાલે સમીર મહેન્દ્રૂને કહ્યું કે, વિજય તેનો છોકરો છે, તે તેના પર ભરોસો કરી શકે છે અને તેણે વિજય સાથે રહેવું જોઈએ. આ કૌભાંડમાં નાયર આરોપીઓમાંથી એક છે. સમીર મહેન્દ્રૂ અને વિજય નાયરે કથિત રીતે દિલ્હી આબકારી નીતિ કૌભાંડમાં બીજાઓ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. સમીર અને વિજય સાથે મળીને કામ કરી રહ્યો હતો અને રાજનેતાઓ અને દારૂના વેપારીઓ સાથે ઘણી બેઠકોનો હિસ્સો પણ રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.