કેજરીવાલ બોલ્યા- કેન્દ્ર સરકાર પોતાનું કામ કરે અને બીજાને પણ કરવા દે, પણ તે...

આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર પર રાજ્યો, ન્યાયાધીશો, ખેડૂતો અને વેપારીઓ સહિત બધા સાથે ઝઘડો કરવાનો આરોપ શનિવારે લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલે ન્યાયાધીશોની વરણી સાથે સંબંધિત કોલેજિયમ પ્રણાલીના સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર વચ્ચે ઘર્ષણ પર સરકારને બીજાઓના કામમાં દખલઅંદાજી ન કરવાની સલાહ આપી છે. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી કે, ‘કેન્દ્ર સરકાર બધા સાથે ઝઘડો કેમ કરે છે?’

તેમણે આગળ કહ્યું કે, ‘ન્યાયાધીશો સાથે, સુપ્રીમ કોર્ટ સાથે, રાજ્ય સરકારો સાથે, ખેડૂતો સાથે, વેપારી સાથે? સૌની સાથે ઝઘડો કરવાથી પ્રગતિ નહીં થાય. તમે પોતાનું કામ કરો, બીજાઓને કામ કરવા દો. બધાના કામમાં દખલઅંદાજી ન કરો.’ દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટીનું શાસન અને અધિકાર ક્ષેત્ર સંબંધિત અલગ અલગ મુદ્દાને લઇને કેન્દ્ર દ્વારા વરણી કરાયેલા ઉપરાજ્યપાલ સાથે ઘણી વખત ઘર્ષણ થઇ ચૂક્યું છે. અરવિંદ કેજરીવાલ સાથે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ ગયા મહિના શાળાના શિક્ષકોને ટ્રેનિંગ માટે ફિનલેન્ડ મોકલવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપવામાં કથિત મોડું થવાને લઇને રાજ નિવાસ સુધી માર્ચ કાઢી હતી.

તેમણે કેન્દ્ર પર સરકારોને પાડવા અને ધારાસભ્યોની ખરીદી માટે એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો દુરુપયોગ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. EDએ દિલ્હીમાં કથિત આબકારી નીતિ કૌભાંડ મામલે હાલમાં જ આરોપ પત્ર દાખલ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ઉપરાજ્યપાલને વધુ શક્તિઓ આપનારા રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર દિલ્હી સરકાર સંશોધન અધિનિયમ (GNCTD)ને પણ સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અત્યાર સુધી નિર્ણય સંભળાવ્યો નથી.

અરવિંદ કેજરીવાલે ગુરુવારે કેન્દ્ર દ્વારા વર્ષ 2021માં લાવવામાં આવેલા GNCTD સંશોધન અધિનિયમની નિંદા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે કોર્ટ તેને અસંવૈધનિક જાહેર કરી દેશે. દિલ્હીમાં તથા કથિત દારૂ કૌભાંડમાં ભાજપે અરવિંદ કેજરીવાલ સરકાર વિરુદ્ધ હલ્લા-બોલ કર્યો હતો. આમ આદમી પાર્ટીની ઓફિસ સામે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. અરવિંદ કેજરીવાલ પર ભાજપનો સીધો આરોપ છે કે, દારૂ કૌભાંડ અરવિંદ કેજરીવાલની જાણકારીમાં થયો છે. તેને લઇને શનિવારે ભાજપે જોરદાર પ્રહાર કર્યો.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.