સુધરી જાઓ નહીં તો જેલ મોકલી આપીશ-મંત્રીએ અધિકારીને આપી ધમકી

બિહાર સરકારના ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીએ ખુલ્લેઆમ એક અધિકારીને ફટકાર લગાવી દીધી. મંત્રીએ કહ્યું કે, તમારી ઘણી ફરિયાદો આવી રહી છે. સુધરી જાઓ...નહિતર કેસ દાખલ કરી જેલ મોકલી આપીશું. મંત્રીનો આ રીતે સૌની સામે અધિકારીને ફટકાર લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં પ્રભારી મંત્રી અલીગંજના અંચર અધિકારી અરવિંદ કુમારને ફટકાર લગાવતા નજર આવી રહ્યા છે.

પ્રભારી મંત્રી રવિવારે અલીગંજમાં એક વિકાસ શિવિરના ઉદ્ઘાટન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અંચલ અધિકારી અરવિંદ કુમાર પર તેમની નજર પડી. મંત્રી જિલ્લા પદાધિકારી અવનીશ કુમાર બાજુ જાય છે અને કંન્ફર્મ કરવા પૂછે છે કે આમની જ ફરિયાદ આવે છે ને!!

જિલ્લાધિકારી હા પાડતા કશુ કહે છે અને મંત્રી સીઓ પર ભડકી જાય છે. મંત્રી સીઓને પૂછે છે કે, સરકાર તમને પગાર નથી આપતી કે શું? ત્યાર પછી સીઓના સુધરવાની ધમકી આપતા કહે છે કે, જેલ મોકલ્યા પછી સરકાર સરકાર પ્રપત્રનું ગઠન થતું રહેશે. ગુસ્સામાં મંત્રી વારે વારે બોલે છે કે તમારી ઘણી ફરિયાદ મળી છે.

જનતાને હેરાન ન કરો! આ લાસ્ટ વોર્નિંગ

ડીએમને પૂછ્યા પછી અશોક ચૌધરી તે અધિકારીને કહે છે, સરકારના રૂપિયાથી પેટ નથી ભરાતું? જેલ જવું છે તમારે...કેટલા દિવસ થઇ ગયા છે. જેલ જવા માગો છો. કેટલી ફરિયાદો છે તમારી. સરકાર પગાર આપે છે ને, તેનાથી ધરાતા નથી. ગેરસમજમાં ન રહેતા, ખોટું કામ કરશો FIR પણ દાખલ કરાવીશ અને ધરપકડ કરાવી જેલ પણ મોકલીશ. જનતાને હેરાન ન કરો. આ છેલ્લી વોર્નિંગ છે.

આ દરમિયાન મંત્રી સુમિત કુમાર સિંહ, વિધાન પાર્ષદ અજય કુમાર સિંહ, જિલ્લા પદાધિકારી અવનીશ કુમાર સિંહ મોજૂદ હતા. જમીનમાં દાખલાને લઇ અન્ય કેસોમાં અધિકારી અરવિંદ કુમારનું નામ સામે આવ્યું. હાલમાં નકલી દસ્તાવેજો પર દાખલો કઢાવવાને લઇ તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે. તેને લઇ મંત્રીએ તેમના જમુઈ પ્રવાસ દરમિયાન અડધા ડઝનથી પણ વધારે પંચાયત પ્રતિનિધિઓ ઉપરાંત પીડિતોએ ફરિયાદ દાખલ કરાવી હતી. અમુક લોકો ગ્રામ વિકાસ શિવિરમાં ફરિયાદ લઇ પહોંચ્યા હતા. ત્યાર પછી જ મંત્રીને ગુસ્સો આવ્યો અને નજર પડતા જ અધિકારીને ફટકાર લગાવી દીધી.

About The Author

Top News

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.