આસામ સરકારનો મોટો નિર્ણય, આ લોકો માટે નવા આધાર કાર્ડ નહીં બને

21 ઓગસ્ટે આસામ સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હવે પુખ્ત વયના (18 વર્ષથી ઉપરના) લોકોને નવા આધાર કાર્ડ આપવામાં નહીં આવે.  કેબિનેટ બેઠક પછી  મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ આ નિર્ણયની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું કે આ પગલું રાજ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી મુજબ, ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશમાંથી ઘૂસણખોરી કરતા લોકો આધાર કાર્ડ મેળવીને પોતાને ભારતીય નાગરિક તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રવાહ રોકવા માટે સરકારે આ કડક નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

assam1
tv9gujarati.com

શું મળશે આધાર કાર્ડ?

સીએમ શર્માએ સ્પષ્ટ કર્યું કે હવે સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે નવા આધાર કાર્ડ જારી નહીં થાય. માત્ર દુર્લભ અને ખાસ કેસોમાં જ જિલ્લા પોલીસ અને વિદેશી ન્યાયાધિકરણની ભલામણ બાદ આધાર કાર્ડ આપવામાં આવશે.

1 ઓક્ટોબરથી લાગુ થશે નિયમ

આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. જોકે, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને ચાના બગીચામાં કામ કરતા લોકોને એક વર્ષની વધારાની છૂટ આપવામાં આવી છે.

assam
gujarati.news18.com

એક વર્ષની છૂટ બાદ પણ તક

જો કોઈ કારણસર આ વર્ગના લોકો એક વર્ષની અંદર આધાર કાર્ડ મેળવવામાં પાછળ રહી જાય, તો તેઓ જિલ્લા કલેક્ટર (DC) પાસે અરજી કરી શકશે. ત્યારબાદ કલેક્ટર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અને વિદેશી ન્યાયાધિકરણ સાથે ચર્ચા કર્યા પછી અત્યંત ખાસ પરિસ્થિતિમાં આધાર કાર્ડ જારી કરવાનો નિર્ણય લઈ શકશે.

 

 

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.