તાંત્રિકના કહેવાથી માતાએ પોતાના 4 મહિનાના બાળકને પાવડાથી કાપીને બલિદાન આપ્યું

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં માતાનું વિચિત્ર સ્વરૂપ જોવા મળ્યું. હકીકતમાં, અહીં એક કલયુગી માતાએ તંત્ર સાધનાની પ્રક્રિયામાં કાલીની પ્રતિમાની સામે પાવડાથી કાપીને પોતાના 4 મહિનાના બાળકનું બલિદાન આપ્યું હતું. આ હૃદયદ્રાવક ઘટનાથી ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી મહિલાને કસ્ટડીમાં લીધી.

ઘટના સુલતાનપુર જિલ્લાના ગોસાઈગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધનઉડીહ ગામની છે. મળતી માહિતી મુજબ અહીં શિવકુમાર નામના વ્યક્તિનો પરિવાર રહે છે. શિવકુમાર પોતે કાનપુરમાં મજૂર તરીકે કામ કરે છે. જ્યારે તેની પત્ની મંજુ દેવી (35) ગામમાં જ રહે છે. મંજુએ 4 મહિના પહેલા પુત્રને જન્મ આપ્યો હતો. બાળકના જન્મથી શિવકુમારનો પરિવાર ખૂબ જ ખુશ હતો. પરંતુ શિવકુમારને ખબર ન હતી કે એક દિવસ તેની પત્ની જ તેના પુત્રને મારી નાંખશે.

મંજુએ રવિવારે સવારે લગભગ 9:00 વાગ્યે ગામમાં કાલીમાંની મૂર્તિની સામે પાવડાથી કાપીને તેના 4 મહિનાના બાળક પ્રિતમનું બલિદાન આપ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે, મંજુ દેવી માનસિક રીતે બીમાર છે. તે અવારનવાર વિચિત્ર હરકતો કરતી રહેતી હતી. પરંતુ આ વખતે તેણે પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ઘટનાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા મંજુ દેવીને કસ્ટડીમાં લીધી હતી. જ્યારે, 4 મહિનાના બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં મોકલવામાં આવ્યો છે. આ બનાવ સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં કલયુગી માએ પોતાના હ્રદયના ટુકડાની હત્યા કરી હતી, પોલીસ આ ઘટનાને એક અંધશ્રદ્ધાની નજરે જોઈ રહી છે.

છોકરાની બલી આપ્યાની માહિતી મળતાં પોલીસ સ્ટેશન પ્રમુખ રાઘવેન્દ્ર પ્રતાપ રાવત, સબ ઈન્સ્પેક્ટર ગુલાબચંદ પાલ ઘટનાસ્થળે પહોંચ્યા અને પૂછપરછ કરી. અધિક પોલીસ અધિક્ષક વિપુલ કુમાર શ્રીવાસ્તવ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કેપ્ટન સોમેન બર્માએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરીને સંપૂર્ણ માહિતી મેળવી અને કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી.

કેટલાક લોકોએ પોલીસને જણાવ્યું કે, મંજુ દેવી કોઈ તાંત્રિકના ચક્કરમાં આવી ગઈ હતી. તેણે પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જ એક તાંત્રિકની સલાહ પર પોતાના બાળકનું બલિદાન આપ્યું છે. જો કે આ તાંત્રિક કોણ છે તે કોઈને ખબર નથી. પોલીસ અધિક્ષક સોમેન વર્માએ જણાવ્યું કે, હાલ મામલાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. મંજુની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.