બાબા રામદેવનો દાવો- કોવિડ મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા

યોગ ગુરુ બાબા રામદેવે દાવો કર્યો કે દેશમાં કોરોના મહામારી બાદ કેન્સરના કેસ વધ્યા છે. જો કે, મેડિકલ એક્સપર્ટ્સનું કહેવું છે કે બંને વચ્ચે કોઈ સંબંધ નથી અને કેન્સરના કેસો વધવા એક સામાન્ય ઘટના છે. એક ન્યૂઝ એજન્સી મુજબ, રામદેવે ગોવામાં એક સભાને સંબોધિત કરતા આ ટિપ્પણી કરી, તેમની સાથે મંચ પર ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પણ ઉપસ્થિત હતા. તેમણે કહ્યું કે, કોરોના મહામારી બાદ કેન્સરના કેસ ઘણા વધી ગયા છે. કોરોના બાદ લોકોએ પોતાની આંખની રોશની, સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી છે.

રામદેવે કહ્યું કે, આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારત સ્વાસ્થ્યના ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બને. એ જ મારું સપનું છે કે ગોવા સ્વાસ્થ્ય ક્ષેત્રમાં એક કેન્દ્ર તરીકે સ્થાપિત થાય. તેમણે હોટલ ઉદ્યોગને આગ્રહ કર્યો કે તેઓ પોતાના પ્રતિષ્ઠાનોમાં આયુર્વેદના પાંચ ચરણોવાળી ડિટોક્સ થેરેપી ‘પંચકર્મ’ શરૂ કરે અને તેની સાથે રહેતા પર્યટકોને યોગનો પરિચય કરાવે. તેમણે કહ્યું કે, ગોવા માત્ર ખાવા-પીવાનો અડ્ડો ન હોવો જોઈએ, જીવન માત્ર ખાવું-પીવું અને મરવાનું નથી.

જો કે, જાણીતા ઓન્કોલોજિસ્ટ ડૉ. સાલકરે કહ્યું કે કેન્સરના કેસ વાર્ષિક 5 ટકા વધી રહ્યા છે અને તેનું કોરોના મહામારી સાથે કોઈ લેવું-દેવું નથી. ઓન્કોલોજિસ્ટ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગોવા યુનિટના પૂર્વ પ્રમુખ ડૉ. શેખર સાલકરે કહ્યું કે, દુનિયાભરમાં વસ્તીમાં વધારા સાથે કેન્સરના કેસોની સંખ્યા વધી રહી છે. કેન્સરના કેસો ઓછા થવાના નથી, પરંતુ તમે તેના માટે કોરોના મહામારીને જવાબદાર ઠેરવી નહીં શકો. તેમણે બાબા રામદેવનું નામ લીધા વિના કહ્યું કે, સેલિબ્રિટીઓએ જવાબદારીપૂર્વક નિવેદન આપવું જોઈએ કેમ કે લોકોને તેમની વાતો પર ભરોસો હોય છે.

ડૉક્ટર સાલકરે કહ્યું કે, ભારતમાં પ્રતિ લાખની વસ્તી પર 104 કેન્સરના દર્દી છે, વર્ષ 2018માં પ્રતિ લાખ 85 દર્દીઓની વૃદ્ધિ થઈ છે, પરંતુ સાથે જ આપણે અમેરિકાની તુલનામાં ખૂબ સારા છીએ, જેનો દર પ્રતિ લાખ 500 દર્દીઓને પાર કરી રહ્યો છે. ડૉ. સાલકર ગોવા ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચિકિત્સા સેલના પ્રમુખ પણ છે. તેમણે કહ્યું કે, જો આપણે પોતાની જીવન શૈલી સારી કરતા નથી, તો ભારત અમેરિકન કેન્સર દરને પાર કરી શકીએ છીએ. સર્જકલ ઓન્કોલોજીસ્ટ ડૉ. શ્રધરન એન.એ પણ કહ્યું કે, કેન્સરના દર્દીઓની સંખ્યામાં 5 ટકાની વૃદ્ધિ એક સામાન્ય ઘટના છે, પરંતુ એવા કોઈ ડેટા નથી, જેથી એ સાબિત થાય કે કોરોના બાદ કેન્સરના કેસ વધ્યા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.